ખંડ ૧૯

લેઇસ વિંગ બગથી વાંસદા

લેઇસ વિંગ બગ

લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…

વધુ વાંચો >

લેઉઆ, રાઘવજી થોભણભાઈ

લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના…

વધુ વાંચો >

લેઑકોઑન (શિલ્પ) (Laocoon)

લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…

વધુ વાંચો >

લેઓપાર્દી, જાકોમો

લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…

વધુ વાંચો >

લેક ડિસ્ટ્રિક્ટ

લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી છે.…

વધુ વાંચો >

લૅકોલિથ (Laccolith)

લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને,…

વધુ વાંચો >

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…

વધુ વાંચો >

લૅક્ટિક ઍસિડ

લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક…

વધુ વાંચો >

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…

વધુ વાંચો >

લૅક્ટોબૅસિલસ (Lactobacillus)

લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…

વધુ વાંચો >

વનસ્પતિ-સંવર્ધન

Jan 14, 2005

વનસ્પતિ-સંવર્ધન વનસ્પતિઓનો ઉછેર. 6,000 વર્ષ પૂર્વે મેક્સિકન ઇન્ડિયનોએ વન્ય (wild) ઘાસને વધુ ઉત્પાદનશીલ ધાન્યમાં રૂપાંતર કરવાનો પ્રારંભ કર્યો હતો. તેઓ પ્રત્યેક ઋતુમાં સૌથી સહિષ્ણુ (hardiest) બીજની પસંદગી કરતા હતા અને બીજી ઋતુમાં વાવતા હતા. મકાઈ તે સમયના રૂઢિગત ઉછેર(traditional breeding)થી શરૂ થઈ આધુનિક જૈવપ્રાવૈધિક વિજ્ઞાન (biotechnology) યુગ સુધી કૃષિવિદ્યાકીય કૌશલનું…

વધુ વાંચો >

વનાંચલ (1967)

Jan 14, 2005

વનાંચલ (1967) : કવિ જયંત પાઠકની સ્મૃતિકથા. બાર પ્રકરણોમાં વિસ્તરેલી આ સ્મૃતિકથામાં પૂર્વ પંચમહાલમાં આવેલા પોતાના વતન અને આસપાસના પ્રદેશના પ્રાકૃતિક, ભૌગોલિક તેમજ સામાજિક-સાંસ્કૃતિક પરિવેશનું આલેખન છે. આ સ્મરણકથામાં લેખક, તેમનો પરિવાર ઉપરાંત મિત્રવર્તુળ તો છે, પરંતુ કથાના કેન્દ્રમાં તેમનું ગામ ગોઠ, તેની નદી, જંગલ-વનરાજિ, ખેતરો અને આદિવાસી લોકસમૂહ અને…

વધુ વાંચો >

વનિતા (ડૉ.)

Jan 14, 2005

વનિતા (ડૉ.) (જ. 7 ઑક્ટોબર 1954, અમૃતસર, પંજાબ) : પંજાબી કવયિત્રી અને વિવેચક. તેમણે ગુરુ નાનકદેવ યુનિવર્સિટીમાંથી સંગીતમાં એમ.એ.; દિલ્હી યુનિવર્સિટીમાંથી પંજાબીમાં એમ.એ.; એમ. ફિલ. અને 1998માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે અત્યાર સુધીમાં પંજાબીમાં 6 ગ્રંથો આપ્યા છે. ‘સુફનિઆન દી પગદંડી’ (1985); ‘હરિઆન ચાવન દી કબર’ (1989); ‘બોલ-આલાપ’ (1993)…

વધુ વાંચો >

વનિયાલ, પ્રેમાનંદ

Jan 14, 2005

વનિયાલ, પ્રેમાનંદ (જ. 1693; અ. 1788) : રાજસ્થાનના પ્રખ્યાત બિશ્નોઈ સંત. તેઓ બીકાનેરમાં રસિસર ગામના સુરતાનના પુત્ર હતા. તેમણે એક મકનોજી અને બીજા રાસોજી એમ બે ગુરુ કર્યા હતા. તેમણે ઉચ્ચ કોટિના સાહિત્યની રચના કરી છે. વળી સંખ્યાબંધ હસ્તપ્રતોનો તેમણે પુનરુદ્ધાર કર્યો છે. તેમના સમર્પિત પ્રયાસોને કારણે મૂલ્યવાન હસ્તપ્રતસાહિત્ય હંમેશને…

વધુ વાંચો >

વન્દે માતરમ્

Jan 15, 2005

વન્દે માતરમ્ : ભારતની આઝાદીની લડત દરમિયાન સ્વાતંત્ર્ય સૈનિકોને સર્વોચ્ચ બલિદાનની પ્રેરણા પૂરી પાડનાર તથા સ્વતંત્ર ભારતમાં રાષ્ટ્રગીતની સમકક્ષ અધિકૃત દરજ્જો ધરાવનાર રાષ્ટ્રીય પ્રેરણાગાન. ‘વન્દે માતરમ્’ ગીત ભારતીય સંસ્કૃતિનું અણમોલ રત્ન છે. સ્વાતંત્ર્ય-સંગ્રામમાં લોકજાગૃતિ દ્વારા અને પ્રેરણા પૂરી પાડવાના હેતુથી દેશભક્તિના સ્રોત સમું આ ગીત બંગાળના જાણીતા સાહિત્યકાર બંકિમચંદ્ર ચૅટરજી…

વધુ વાંચો >

વન્ય જીવો

Jan 15, 2005

વન્ય જીવો : સંરક્ષણ અને વ્યવસ્થાપન : વન કે અન્ય પ્રાકૃતિક પર્યાવરણમાં ઊછરતા, પાંગરતા અને વિચરતા પ્રાણીજીવો (wild life). સામાન્ય રીતે મનુષ્યના સહવાસમાં રહેતાં પાળેલાં પશુપંખીઓ સિવાયનાં જંગલી પ્રાણીઓને વન્ય પ્રાણી કે જીવો ગણવામાં આવે છે. પ્રાગ્-ઐતિહાસિક કાળમાં મનુષ્યજાતિ પણ એક વન્યજીવ હતો. આજે પણ ઍમેઝોન અને કૉંગોનાં ગાઢ જંગલોમાં…

વધુ વાંચો >

વન્ય પેદાશો

Jan 15, 2005

વન્ય પેદાશો : વનમાંથી પ્રાપ્ત થતી પેદાશો. વનસ્પતિ-સૃદૃષ્ટિ પ્રાણી માત્ર માટે આહારવિહારનો અગત્યનો સ્રોત હોવાથી વન્ય પેદાશો માનવી માટે ઉપયોગી છે. એક રીતે જોઈએ તો જળ પણ એક ખૂબ અગત્યની વન્ય પેદાશ ગણાય. વનવિસ્તારની ભૂમિ વિશાળ જળશોષક વાદળી જેવું કામ આપે છે અને વરસાદી જળને સમુદ્રમાં વહી જતું અટકાવી જળસ્તરને…

વધુ વાંચો >

વપરાશ (consumption)

Jan 15, 2005

વપરાશ (consumption) : વ્યક્તિઓ, સંસ્થાઓ તથા સરકારે તેમની વર્તમાન જરૂરિયાતો સંતોષવા માટે કરેલો ચીજવસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ. સમગ્ર અર્થતંત્રમાં વપરાશની ચીજવસ્તુઓ તથા સેવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચને વપરાશી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્થતંત્રમાં ઉત્પાદન તથા રોજગારીની સપાટી નક્કી કરવાની દૃષ્ટિએ વપરાશ પાછળ થતું ખર્ચ અગત્યનું છે. લોકો જ્યારે…

વધુ વાંચો >

વફા, પ્રભુ

Jan 15, 2005

વફા, પ્રભુ (જ. 19 સપ્ટેમ્બર 1915, લાડકણા, સિંધ) : સિંધી કવિ. મૂળ નામ પ્રભુ જોતુમલ છુગાણી. ‘વફા’ તેમનું તખલ્લુસ છે. 1934માં મૅટ્રિક થઈ કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાંથી તેમણે 1938માં સ્નાતક પદવી મેળવી. 13 વરસની ઉંમરે સાહિત્ય તરફ આકર્ષાયા. ઉર્દૂ અને સિંધીમાં કાવ્યો લખવા સાથે તેમણે મુશાયરાઓમાં ભાગ લેવા માંડ્યો.…

વધુ વાંચો >

વમળનાં વન (1976)

Jan 15, 2005

વમળનાં વન (1976) : જગદીશ જોષીનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહમાં કુલ 114 કાવ્યો છે; જેમાં સત્તાવન ગીતો છે, આડત્રીસ અછાંદસ રચનાઓ, ચૌદ જેટલી ગઝલો અને પાંચ છંદોબદ્ધ કાવ્યો છે. તળપદ અને આધુનિક નગરજીવન એમ બંને પ્રકારનું ભાવવિશ્વ આ કાવ્યોમાં ઝિલાયું છે. જગદીશ જોષીનાં ગીતોમાં તળપદ ગ્રામપરિવેશ છે, તો આધુનિક ગીતકવિતાનું અનુસંધાન…

વધુ વાંચો >