ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >મદીરા (નદી)
મદીરા (નદી) : દક્ષિણ અમેરિકામાં આવેલી ઍમેઝોનની એક શાખાનદી. આ નદીનું મૂળ મધ્ય બોલિવિયામાં રહેલું છે. ત્યાંથી તે વાયવ્ય તરફ વહે છે અને બોલિવિયા-બ્રાઝિલની સીમા પર આશરે 95 કિમી. વહીને ગુઆજારા-મીરીમ પાસે બ્રાઝિલની સીમામાં પ્રવેશે છે. તે રોન્ડોનિયા (Rondonia) અને ઍમેઝોનાસ (Amazonas) રાજ્યોમાં સર્પાકારે વહીને મેનેઓસ શહેરથી પૂર્વમાં આશરે 150…
વધુ વાંચો >મદુરાઈ (જિલ્લો)
મદુરાઈ (જિલ્લો) : તમિળનાડુ રાજ્યના 38 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 9 55´ ઉ. અ. અને 78 7´ પૂ. રે. આજુબાજુ આવેલ છે. વિષુવવૃત્તથી આશરે 8904 કિમી. દૂર છે. તો વિસ્તાર અંદાજે 3,710 ચો.કિમી. છે. આ જિલ્લાની પશ્ચિમે થેની (Theni) જિલ્લો, પૂર્વમાં શિવગંગા જિલ્લો, ઉત્તરે ડીંડીગુલ જિલ્લો, દક્ષિણે વિરધુનગર…
વધુ વાંચો >મદ્યવશતા
મદ્યવશતા (alcoholism) : દારૂ પીવાની લતે ચડેલ બંધાણીને આરોગ્યલક્ષી, સામાજિક અને આર્થિક રીતે પાયમાલ કરી દે તેવી ટેવનો વિકાર. આથી દારૂ પીનારાને વારંવાર અને વધુ ને વધુ પ્રમાણમાં દારૂ પીવાની ઇચ્છા થાય છે. સ્વીડનની સરકારની જાહેર આરોગ્ય સંસ્થા મૅગ્નસ હસ દ્વારા 1849માં આ વિકારનું નિદાન કરવામાં આવ્યું હતું. અમેરિકાના માનસચિકિત્સકોના…
વધુ વાંચો >મદ્રકો
મદ્રકો : પ્રાચીન કાળમાં ઉત્તર ભારતમાં વસતી એક પ્રસિદ્ધ જાતિ. તેઓ ‘મદ્રો’ તરીકે પણ ઓળખાતા હતા. મદ્ર લોકો ઉત્તર મદ્રો, પૂર્વ મદ્રો, દક્ષિણ મદ્રો ઇત્યાદિ વર્ગોમાં વિભાજિત હતા. ઉત્તર મદ્રોનો નિર્દેશ ‘ઐતરેય બ્રાહ્મણ’માં થયો છે. તદનુસાર તેઓ હિમવત્ પ્રદેશમાં ઉત્તર કુરુદેશની સમીપમાં સંભવત: કાશ્મીર પ્રદેશમાં વસતા હતા. પૂર્વ મદ્રો પ્રાય:…
વધુ વાંચો >મદ્રસા-શાહ-સુલતાન હુસન, કેરો (ઇજિપ્ત)
મદ્રસા-શાહ-સુલતાન હુસન, કેરો (ઇજિપ્ત) : 4 ‘ઇવાન’વાળી ભવ્ય મસ્જિદ–મદ્રસા. આ ઇમારતમાં 4 ખૂણે 4 મદ્રસા અને એક બાજુ મસ્જિદનું આયોજન, અગાઉની આવી કોઈ પણ ઇમારત કરતાં વધારે વિશાળતાથી કરાયું છે. આ ઇમારત મામલૂક સમય(1356–1359)માં બંધાયેલ તેમજ ઈરાન અને સીરિયાથી આવેલ કારીગરો દ્વારા તેનું કલાત્મક નિર્માણ થયેલ. આ સંસ્થામાં ‘ઇવાન’ને મદ્રસાના…
વધુ વાંચો >મદ્રાસ ઑબ્ઝર્વેટરી, ચેન્નાઈ
મદ્રાસ ઑબ્ઝર્વેટરી, ચેન્નાઈ એક કાળના મદ્રાસ (આજના ચેન્નાઈ) ખાતે આવેલી, આધુનિક સાધનોથી સજ્જ ભારતની પહેલી ખગોલીય વેધશાળા. એની સ્થાપનાની કથા સાથે કોડાઈકૅનાલ વેધશાળાનો ઇતિહાસ પણ સંકળાયેલો છે. ભારતમાં પહેલી વેધશાળા સ્થાપવા પાછળ કેવળ આકાશદર્શનનો જ આશય ન હતો. મુખ્ય કારણ હોય તો તે હતું કોરોમંડલનો અત્યંત વિનાશક સમુદ્રકાંઠો. વાત એમ…
વધુ વાંચો >મદ્રાસ નેટિવ એસોસિયેશન
મદ્રાસ નેટિવ એસોસિયેશન : દક્ષિણ ભારતની સૌપ્રથમ રાજકીય સંસ્થા. મદ્રાસ નેટિવ એસોસિયેશન સ્થાપવાની પ્રેરણા મદ્રાસ(ચેન્નાઈ)ના નેતાઓને બંગાળના નેતાઓ પાસેથી મળી હતી. કોલકાતામાં બ્રિટિશ ઇન્ડિયન એસોસિયેશન સ્થાપવામાં આવ્યું ત્યારે ચેન્નાઇના નેતાઓએ બંગાળના નેતાઓને સહકાર આપવાની તેમની ઇચ્છા જણાવી હતી. ગજાલુ લક્ષ્મણરસુ ચેટ્ટી અને વિજયરાઘવાચારિયારે 26 ફેબ્રુઆરી 1852ના રોજ મદ્રાસ (ચેન્નાઈ) મુકામે…
વધુ વાંચો >મદ્રાસ મહાજન સભા
મદ્રાસ મહાજન સભા : મદ્રાસ ઇલાકાની રાજકીય સંસ્થા. મદ્રાસ નેટિવ એસોસિયેશન બંધ થઈ ગયા બાદ, લોકોનાં હિતોનું રક્ષણ કરવા માટે એક રાજકીય સંસ્થાની જરૂર હતી. અંગ્રેજોની અમલદારશાહી અને રાજકીય જુલમથી લોકો ઘણા દુ:ખી થયા હતા. તેથી રાજકીય સંસ્થા સ્થાપવાની આવશ્યકતા લોકોને સમજાઈ હતી. તેથી 17 ઑક્ટોબર 1884ના રોજ જી. સુબ્રમણ્ય…
વધુ વાંચો >મધ
મધ : મધમાખીઓ દ્વારા વિવિધ પુષ્પોમાંથી ચુસાયેલા રસમાંથી તૈયાર થયેલ સ્વાદિષ્ટ અને સુગંધિત પદાર્થ (સં. મધુ.; મ. ગુ. મધ; હિં. મધુ., શહદ; ક. જેનુ તપ્પ; તે. તેની મલા; ત. તેન; અં. હની; લૅ. મેલ). મધપૂડામાં વસતી કામદાર માખીઓ ઇયળમાંથી બહાર નીકળ્યા પછી શરૂઆતના દિવસોમાં મધપૂડાનું સફાઈનું, ઇયળોને ખોરાક આપવાનું, મધપૂડામાં…
વધુ વાંચો >મધમાખી
મધમાખી (honey bee) : આર્થિક ર્દષ્ટિએ માનવીને અત્યંત લાભકારી કીટક. સમૂહમાં જીવન પસાર કરનાર આ કીટકો મધનું તેમજ મીણનું ઉત્પાદન કરે છે. મધનો ઉપયોગ ખોરાક તરીકે જ્યારે મીણનો ઉપયોગ સૌંદર્યપ્રસાધન, મીણબત્તી (candles) અને ચોંટણ જેવી વસ્તુઓ બનાવવામાં થાય છે. મધમાખીનું વર્ગીકરણ ત્વક્પક્ષ (hymenoptera) શ્રેણીના એપૉઇડિયા અધિકુળ અને એપિડે કુળની એપિસ…
વધુ વાંચો >