ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ભૂપૃષ્ઠ-આલેખન

Jan 24, 2001

ભૂપૃષ્ઠ-આલેખન : નકશાશાસ્ત્રની એક શાખા. નકશા-આલેખન-શાસ્ત્ર(cartography)ના વિકાસ અંતર્ગત નકશાઓમાં ભૂપૃષ્ઠ દર્શાવવા માટે પણ વિવિધ પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે. પૃથ્વીની સપાટી પરની ભૂમિની ઊર્ધ્વાકાર વિષમતાઓને ભૂપૃષ્ઠ-આલેખન કહે છે. સપાટી પર પર્વતો, ટેકરીઓ, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ખીણો જેવાં ત્રિમિતીય (લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ) અસર ધરાવતાં ભૂમિસ્વરૂપો આવેલાં છે. એ જ રીતે સાગરજળની નીચે પણ…

વધુ વાંચો >

ભૂપૃષ્ઠ-રચનાત્મક ક્રિયાઓ

Jan 24, 2001

ભૂપૃષ્ઠ-રચનાત્મક ક્રિયાઓ (geomorphic processes) : ભૂપૃષ્ઠ પર વિવિધ ભૂમિઆકારો રચાવા માટેની પ્રભાવક ક્રિયાઓ. પૃથ્વીની સપાટી પર જોવા મળતાં મોટાભાગનાં સ્થળર્દશ્યો (topographic features) મુખ્યત્વે ઘસારાનાં પરિબળોથી કે શિલાચૂર્ણની જમાવટથી તૈયાર થતાં હોય છે. તે વિવિધ આકારો અને સ્વરૂપોમાં રજૂ થતાં હોય છે. આવાં સ્થળર્દશ્યલક્ષણો સ્પષ્ટપણે બે પ્રકારોમાં જુદાં પાડી શકાય છે…

વધુ વાંચો >

ભૂપૃષ્ઠસંચલન (ભૂસંચલન)

Jan 24, 2001

ભૂપૃષ્ઠસંચલન (ભૂસંચલન) : પૃથ્વીના પોપડામાં થતી મોટા પાયા પરની વિરૂપતાઓ કે વિક્ષેપક્રિયાઓ. વિરૂપતામાંથી ખંડનિર્માણ, ગિરિનિર્માણ, મહાસાગરથાળાં, ઉચ્ચપ્રદેશો, ગેડીકરણ, સ્તરભંગક્રિયા, ઊર્ધ્વગમન, અવતલન વગેરે ક્રિયાઓ થતી હોય છે. ભૂપૃષ્ઠસંચલન એ પૃથ્વીના પોપડામાં થતો એવો ભૌતિક ફેરફાર છે, જેનાથી ઉપર્યુક્ત લક્ષણો જન્મે છે. ખંડનિર્માણક્રિયામાં તથા ગિરિનિર્માણક્રિયામાં અનુક્રમે ખંડો અને પર્વતોની રચના થતી હોય…

વધુ વાંચો >

ભૂભૌતિક નિરીક્ષણ

Jan 24, 2001

ભૂભૌતિક નિરીક્ષણ : જુઓ ‘ખનિજ’

વધુ વાંચો >

ભૂભૌતિકશાસ્ત્ર

Jan 24, 2001

ભૂભૌતિકશાસ્ત્ર :  ભૂવિદ્યાઓ (earth-sciences) પૈકીની એક વિજ્ઞાનશાખા. ભૂસ્તરશાસ્ત્ર સાથે સંકળાયેલી તે એવી શાખા છે, જેમાં પૃથ્વીના અભ્યાસ માટે ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક તેને ભૂસ્તરશાસ્ત્રની શાખા તરીકે તો કેટલાક તેને અલગ વિજ્ઞાન તરીકે ઘટાવે છે. પૃથ્વીના બંધારણમાં રહેલાં દ્રવ્યોના ઘનતા, ચુંબકત્વ વગેરે જેવા ગુણધર્મોનો તલસ્પર્શી અભ્યાસ કરવામાં વિશિષ્ટ…

વધુ વાંચો >

ભૂમક

Jan 24, 2001

ભૂમક (અંદાજે ઈ.સ.ની પહેલી સદી) : પશ્ચિમ ભારતનો ક્ષહરાત વંશનો ઈસુની પહેલી સદીનો રાજા. ઈસુના આરંભનાં વર્ષોમાં પશ્ચિમ ભારત તથા ઉત્તર–દક્ષિણને જોડતા કેટલાક ભાગોમાં શક જાતિના ક્ષત્રપ રાજાઓની આણ પ્રવર્તતી હતી. ભૂમકને લગતી માહિતી માત્ર એના સિક્કાઓમાંથી જ મળે છે. સિક્કાઓમાં એને એક જગ્યાએ ‘છત્રપછહરાત’ તરીકે જ્યારે બીજી જગ્યાએ ‘ક્ષહરાતક્ષત્રપ’…

વધુ વાંચો >

ભૂમધ્યકૃત ખડકો

Jan 24, 2001

ભૂમધ્યકૃત ખડકો : જુઓ ખડકો

વધુ વાંચો >

ભૂમધ્ય સમુદ્ર

Jan 24, 2001

ભૂમધ્ય સમુદ્ર : યુરોપ અને આફ્રિકા ખંડની વચ્ચે આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : આ સમુદ્ર આશરે 30°થી 46° ઉ. અ. અને 5° 50´ પ. રે. થી 36° પૂ. રે. વચ્ચે પથરાયેલો છે. તેની ઉત્તરે યુરોપ, પૂર્વ તરફ એશિયા, દક્ષિણ તરફ આફ્રિકા તથા પશ્ચિમ તરફ જિબ્રાલ્ટરની સામુદ્રધુની સહિત આટલાંટિક મહાસાગર આવેલો…

વધુ વાંચો >

ભૂમધ્યાવરણ

Jan 24, 2001

ભૂમધ્યાવરણ : જુઓ પૃથ્વી

વધુ વાંચો >

ભૂમાનંદ સ્વામી

Jan 24, 2001

ભૂમાનંદ સ્વામી (જ. 1796, કેશિયા; અ. 1868, માણસા) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંતકવિઓમાંના એક. પૂર્વાશ્રમનું નામ રૂપજી. પિતા રામજીભાઈ રાઠોડ. માતા કુંવરબાઈ. જ્ઞાતિ કડિયા. બાળ રૂપજીને સામાન્ય વિષયોમાં પણ પદ્યબંધ રચવાની સ્વાભાવિક ટેવ હતી. મોટા થઈ તેઓ આજીવિકાર્થે જીરાગઢ અને તરધરીમાં પણ રહ્યા હતા. સંસારના કટુ પ્રસંગો જોઈ તેમણે લગ્ન…

વધુ વાંચો >