ખંડ ૧૩
બક પર્લથી બોગોટા
બક, પર્લ
બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…
વધુ વાંચો >બકરાં
બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…
વધુ વાંચો >બકસર
બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…
વધુ વાંચો >બકા
બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…
વધુ વાંચો >બકાન લીમડો
બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…
વધુ વાંચો >બકુલ
બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…
વધુ વાંચો >બકુલબનેર કવિતા
બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…
વધુ વાંચો >બકુલાદેવી
બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…
વધુ વાંચો >બકુલેશ
બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ. અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…
વધુ વાંચો >બકોર પટેલ
બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…
વધુ વાંચો >બિસ્મથિનાઇટ
બિસ્મથિનાઇટ : બિસ્મથધારક ખનિજ. રાસા. બં. : Bi2S3 · સ્ફ · વ. : ઑર્થોર્હૉમ્બિક.સ્ફ.સ્વ.: સ્ફટિકો પ્રિઝમૅટિક, મજબૂતથી નાજુક, સોયાકાર, ઊર્ધ્વ ફલકો પર રેખાંકનો મળે. દળદાર, પત્રબંધીવાળા કે રેસાદાર વધુ શક્ય. અપારદર્શક. સંભેદ : (010) પૂર્ણ, સરળ; (100) અને (110) અપૂર્ણ. ભંગસપાટી : નથી હોતી, પરંતુ ખનિજ નમનીય, કતરણશીલ (sectile). ચમક…
વધુ વાંચો >બિસ્મલિથ
બિસ્મલિથ : એક પ્રકારનું અંતર્ભેદક. અંતર્ભેદન પામતા અગ્નિકૃત ખડકનો લગભગ ઊભી સ્થિતિ ધરાવતો નાળાકાર જથ્થો. આવા જથ્થાઓ આજુબાજુના જૂના ખડક-નિક્ષેપોમાં આડાઅવળા પણ અંતર્ભેદન પામેલા હોય છે, તેમજ ક્યારેક પ્રતિબળોને કારણે ઉપરના સ્તરોમાં ઉદભવેલી સ્તરભંગ સપાટીઓમાં પણ એ જ મૅગ્મા-દ્રવ્ય પ્રવેશેલું હોય છે. આવી જાતના વિશિષ્ટ આકારો માટે જે. પી. ઇડિંગ્ઝે…
વધુ વાંચો >બિસ્માર્ક, ઑટો વૉન
બિસ્માર્ક, ઑટો વૉન (જ. 1 એપ્રિલ 1815, શોનહોઝન, પ્રશિયા; અ. 30 જુલાઈ 1896, ફ્રેડરિશરૂહ, જર્મની) : પ્રશિયાના વડા પ્રધાન. જર્મન સામ્રાજ્યના સર્જક અને પ્રથમ ચાન્સેલર. તે પ્રશિયાના જમીનદારના પુત્ર હતા. તેમણે ગોટિંગન અને બર્લિન યુનિવર્સિટીમાં કાયદાનું શિક્ષણ લીધું. પછી પ્રશિયાના ન્યાયતંત્રમાં વહીવટદાર તરીકે જોડાયા; પરંતુ તેમાંથી રાજીનામું આપી 1847માં ત્યાંની…
વધુ વાંચો >બિસ્મિલ, રામપ્રસાદ
બિસ્મિલ, રામપ્રસાદ (જ. 1897, શાહજહાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 19 ડિસેમ્બર 1927, ગોરખપુર) : ભારતીય ક્રાંતિકારી. રામપ્રસાદના પિતાનું નામ મુરલીધર તિવારી હતું. રામપ્રસાદે હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમણે યુવાન વયે રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ લેવા માંડ્યો. તે હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશન નામની ક્રાંતિકારી સંસ્થાના સભ્ય બન્યા. ઑક્ટોબર 1924માં ક્રાંતિકારીઓની પરિષદ કાનપુરમાં…
વધુ વાંચો >બિસ્મિલ્લાખાં
બિસ્મિલ્લાખાં (જ. 21 માર્ચ 1916, ડુમરાવ, જિ. ભોજપુર; અ. 21 ઑગસ્ટ 2006, વારાણસી) : પરંપરાગત વાદ્ય શરણાઈને આધુનિક યુગમાં વિશેષ પ્રચલિત બનાવનાર વિખ્યાત ભારતીય કલાકાર. છેલ્લા લગભગ પાંચ દાયકાઓ દરમિયાન યોજાયેલાં વિભિન્ન સંમેલનો તથા કાર્યક્રમોની શરૂઆત તેમના શ્રુતિમધુર શરણાઈવાદનથી થતી રહી છે. ખાંસાહેબનો જન્મ પ્રસિદ્ધ શરણાઈવાદકોના કુટુંબમાં થયો હતો. તેમના…
વધુ વાંચો >બિહાર
બિહાર ભારતના પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 0´થી 27° 30´ ઉ. અ. અને 83° 20´થી 88° 17´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનું કુલ ક્ષેત્રફળ 1,73,877 ચોકિમી. જેટલું છે. રાજ્યની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 600 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 480 કિમી. જેટલી છે. હિમાલય…
વધુ વાંચો >બિહારી
બિહારી (જ. 1595, ગ્વાલિયર; અ. 1663) : એકમાત્ર કાવ્યગ્રંથ દ્વારા હિંદી કવિતાના ઇતિહાસમાં અનન્ય સ્થાન મેળવનાર કવિ. પિતાનું નામ કેશવરાય. બિહારીએ પિતાના ગુરુ મહંત નરહરિદાસ પાસે સંસ્કૃત-પ્રાકૃતના કાવ્યગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. લગ્ન પછી બિહારી પોતાના સાસરે, મથુરામાં રહ્યા. નિ:સંતાન બિહારીએ પોતાના ભત્રીજા નિરંજનને દત્તક લીધો હતો. બિહારીએ આગ્રા જઈને ઉર્દૂ-ફારસીનું…
વધુ વાંચો >બિહ્ઝાદ, ઉસ્તાદ કમાલ અદ્-દીન
બિહ્ઝાદ, ઉસ્તાદ કમાલ અદ્-દીન (જ. 1455 (?), હેરાત, ખોરાસાન, ઈરાન; અ. 1536 (?), તબ્રીઝ, આઝરબઈજાન) : ઈરાનના ચિત્રકાર. તેમની લઘુચિત્રની શૈલીએ સમગ્ર પર્શિયન ચિત્રકલા તેમજ ભારતની મુઘલ ચિત્રકલા પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. નાની વયે જ અનાથ બન્યા અને હેરાત નગરમાં ચિત્રકાર મિરાક નક્કાશે તેમનો ઉછેર કર્યો. નક્કાશને આ નગરના…
વધુ વાંચો >બિંદાદીન મહારાજ
બિંદાદીન મહારાજ (જ. 1829, તહસીલ હંડિયા; અ. 1915) : જાણીતા ભારતીય નૃત્યકાર અને કવિ. પિતા દુર્ગાપ્રસાદે તથા કાકા ઠાકુરપ્રસાદે બિંદાદીનને નૃત્યની શિક્ષા આપી. નવ વર્ષની વયે તેમની નૃત્યસાધના શરૂ થઈ હતી. તેઓ પ્રસિદ્ધ નૃત્યકાર કાલિકાપ્રસાદના ભાઈ હતા. અલાહાબાદની હંડિયા તહસીલમાં તેમનું ઘરાણું પેઢીઓથી કૃષ્ણભક્તિપ્રેરિત ગીતો અને તે પર આધારિત નૃત્ય…
વધુ વાંચો >બિંદુ
બિંદુ : શબ્દ-સાધનામાં સંસારમાં વ્યાપ્ત અનાહત નાદને પિંડમાં પણ માનેલો છે. નાદથી પ્રકાશ થાય છે અને પ્રકાશનું વ્યક્ત રૂપ બિંદુ છે, જે તેજનું પ્રતીક છે. બિંદુના ત્રણ પ્રકાર છે : ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા. નાદ અને બિંદુની આ ક્રીડા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. પિંડમાં એ બિંદુ વીર્યબિંદુના રૂપમાં હોય છે અને…
વધુ વાંચો >