ખંડ ૧૦

નઈ તાલીમથી પવનશક્તિ

પટેલ, ઈશ્વરભાઈ જીવરામભાઈ

પટેલ, ઈશ્વરભાઈ જીવરામભાઈ (જ. 30 સપ્ટેમ્બર 1934, ઊંઝા; અ. 26 ડિસેમ્બર 2010, અમદાવાદ) : સમાજસેવાક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગાંધીવાદી રચનાત્મક કાર્યકર. માતાનું નામ મેનાબહેન. ખેડૂત પરિવારમાં જન્મ. શરૂઆતનું શિક્ષણ ઊંઝા ખાતે. ત્યાંની માધ્યમિક શાળાના વિદ્યાર્થી તરીકે મૅટ્રિકની પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવ્યો. ત્યારબાદ સમાજશાસ્ત્ર મુખ્ય વિષય સાથે એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે ગુજરાત…

વધુ વાંચો >

પટેલ, ઈશ્વરભાઈ જેઠાભાઈ

પટેલ, ઈશ્વરભાઈ જેઠાભાઈ (જ. 2 નવેમ્બર 1924, પીજ, નડિયાદ; અ. 10 નવેમ્બર 1989, અમદાવાદ) : ગુજરાતી કેળવણીકાર તથા લેખક. પિતા જેઠાભાઈ દલાભાઈ પટેલ. માતા રૂપબા. લેઉવા પાટીદાર જ્ઞાતિમાં જન્મ. એમ.એ. બી.ટી. પદવીઓ પ્રાપ્ત કરી અમેરિકા ગયા. ત્યાં ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં શૈક્ષણિક સંચાલનનું વિશેષ પ્રશિક્ષણ લીધું. 1937માં આણંદની દા. ન. હાઈસ્કૂલમાં…

વધુ વાંચો >

પટેલ, ઊર્મિલાબહેન ચીમનભાઈ

પટેલ, ઊર્મિલાબહેન ચીમનભાઈ (જ. 5 માર્ચ 1932, વડોદરા; અ. 21 એપ્રિલ 2016, અમદાવાદ) : ગુજરાતનાં જાણીતાં સામાજિક કાર્યકર, કેન્દ્રીય મંત્રીમંડળનાં ભૂતપૂર્વ સભ્ય તથા રાજ્યસભાનાં સભ્ય. પિતા પ્રેમાનંદ વ્યવસાયે ડૉક્ટર. માતાનું નામ નર્મદાબહેન. પ્રાથમિક શિક્ષણ વીસનગર તથા મહેસાણા ખાતે અને માધ્યમિક શિક્ષણ ટી. જે. હાઈસ્કૂલ, વડોદરામાં લીધું. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય…

વધુ વાંચો >

પટેલ, એચ. એમ.

પટેલ, એચ. એમ. (જ. 27 ઑગસ્ટ 1904, મુંબઈ; અ. 30 નવેમ્બર 1993, વલ્લભવિદ્યાનગર) : દક્ષ વહીવટકર્તા, સમાજસેવક અને રાજકીય નેતા. તેમનું આખું નામ હીરુભાઈ મૂળજીભાઈ પટેલ. વતન ખેડા જિલ્લામાં ધર્મજ. પિતા મૂળજીભાઈ પ્રાથમિક શાળાના શિક્ષક અને પછી મુંબઈમાં એસ્ટેટ બ્રોકર. કાકા ભૂલાભાઈએ વિદ્યાવ્યાસંગના સંસ્કાર આપ્યા. ગુજરાતના પ્રસિદ્ધ શિક્ષક કરુણાશંકર માસ્તરથી…

વધુ વાંચો >

પટેલ, કરશનભાઈ ખોડીદાસ

પટેલ, કરશનભાઈ ખોડીદાસ (જ. 7 જાન્યુઆરી 1944, રૂપપુર, જિ. પાટણ) : માર્કેટિંગના ક્ષેત્રે અસાધારણ સૂઝ ધરાવનાર, કાબેલ વહીવટદાર તેમજ સાહસિક ઉદ્યોગપતિ. ખેડૂત પરિવારમાં જન્મ. માતા જેઠીબહેન. શાન્તાબહેન સાથે લગ્ન, 1956માં. પ્રાથમિક શિક્ષણ વતનમાં, માધ્યમિક શિક્ષણ ચાણસ્મામાં અને સાયન્સ ગ્રૅજ્યુએશન (બી. એસસી.) સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અમદાવાદમાં કર્યું. ગુજરાત સરકારના જિયૉલૉજી અને…

વધુ વાંચો >

પટેલ, કાનજીભાઈ

પટેલ, કાનજીભાઈ (જ. 31 જુલાઈ 1932, બાલીસણા, તા. પાટણ; અ. અમદાવાદ) : પ્રાકૃત-પાલિના પ્રાધ્યાપક. માતા ક્ષેમીબહેન અને પિતા મંછારામ. ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો. શ્રી કાનજીભાઈનું પ્રાથમિક કક્ષાનું અધ્યયન બાલીસણામાં અને માધ્યમિક કક્ષાનું અધ્યયન બાલીસણા અને પાટણમાં થયું. 1959માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અધ્યયન કરી ગુજરાત યુનિવર્સિટીની બી.એ.ની પદવી…

વધુ વાંચો >

પટેલ, કાંતિભાઈ બળદેવભાઈ

પટેલ, કાંતિભાઈ બળદેવભાઈ (જ. 1 જુલાઈ 1925, બૉર્નિયો, ઇન્ડોનેશિયા; અ. 8 જાન્યુઆરી 2019, અમદાવાદ) : ગુજરાતના પ્રતિભાસંપન્ન શિલ્પી. પિતાના દાક્તરી વ્યવસાય નિમિત્તે બાળપણ બૉર્નિયોમાં વિતાવ્યું. પ્રાથમિક શિક્ષણ વતન સોજિત્રામાં અને માધ્યમિક શિક્ષણ ગાંધીજી-સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં. ત્યાં દત્તા મહા પાસે શિલ્પશિક્ષણનો પ્રારંભ કર્યો. 1942ની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. તેમના કાર્યક્ષેત્રરૂપ સૂરત જિલ્લામાં…

વધુ વાંચો >

પટેલ, કેશુભાઈ

પટેલ, કેશુભાઈ (જ. 24 જુલાઈ 1930, રાજકોટ; અ. 29 ઑક્ટોબર 2020, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી રાજપુરુષ તથા રાજ્યના પૂર્વમુખ્યમંત્રી. કિસાન-પરિવારમાં જન્મ. પિતાનું નામ સવદાસભાઈ. માતાનું નામ પૂતળીબાઈ. રાજકોટ ખાતે અંગ્રેજી ધો. 9 સુધીનો અભ્યાસ. ઔપચારિક ભણતર ઓછું હોવા છતાં સમાજસેવા પ્રત્યેની કટિબદ્ધતાને લીધે નેતૃત્વના ગુણો સંપાદન કરી શક્યા. જાહેર જીવનની શરૂઆત…

વધુ વાંચો >

પટેલ, ગોપાળદાસ જીવાભાઈ, ‘વાચક’

પટેલ, ગોપાળદાસ જીવાભાઈ, ‘વાચક’ (જ. 28 એપ્રિલ 1905, કરમસદ, જિ. ખેડા; અ. 2 જુલાઈ 1996) : ગુજરાતી લેખક. ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક (વિનીત) અને આર્યવિદ્યાવિશારદ થયા બાદ મગનભાઈ દેસાઈની સાથે તે જ સંસ્થાના કાર્યમાં જોડાઈ ગયા. પ્રથમ પુરાતત્ત્વમંદિરના અને ત્યારપછી ગ્રંથાલય સમિતિના મંત્રી તરીકે સેવા આપી. ગાંધીજીના તેઓ સાચા સિપાઈ હતા.…

વધુ વાંચો >

પટેલ, ચંદુલાલ બહેચરલાલ

પટેલ, ચંદુલાલ બહેચરલાલ (જ. 5 ઑગસ્ટ 1889, શિહોર; અ. 28 નવેમ્બર 1964, ગોંડલ) : સમર્થ કોશકાર. પિતા બ્રહ્મનિષ્ઠ રાષ્ટ્રકવિ. તેઓ ‘વિહારી’ તરીકે પ્રસિદ્ધ હતા. માતા મણિબાઈ પણ સંસ્કારી. પ્રાથમિક શિક્ષણ ભાયાવદરમાં, માધ્યમિક શિક્ષણ ગોંડલમાં અને ઉચ્ચશિક્ષણ ભાવનગરની શામળદાસ કૉલેજમાં લીધું. આ સમયગાળામાં તેઓ હિંમતલાલ અંજારિયા, લલિત, કાન્ત, ભિક્ષુ અખંડાનંદ, મોતીભાઈ…

વધુ વાંચો >

નઈ તાલીમ

Jan 1, 1998

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નઈ દુનિયા

Jan 1, 1998

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નકશાશાસ્ત્ર

Jan 1, 1998

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…

વધુ વાંચો >

નકશો

Jan 1, 1998

નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

Jan 1, 1998

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નકુલ

Jan 1, 1998

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નક્સલવાદ

Jan 1, 1998

નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

Jan 1, 1998

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

Jan 1, 1998

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

Jan 1, 1998

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >