ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
ન્યૂક્લિયર રસાયણ (nuclear chemistry)
ન્યૂક્લિયર રસાયણ (nuclear chemistry) : પરમાણુના કેન્દ્ર(નાભિક)માં થતા ફેરફાર અથવા કેન્દ્રના રૂપાંતરણ (transformation) સાથે સંકળાયેલ રસાયણવિજ્ઞાનની શાખા. તેમાં સ્વયંભૂ (spontaneous) અને પ્રેરિત (induced) વિકિરણધર્મિતા (radioactivity), નાભિકો(nuclei)નાં ખંડન (fission) અથવા વિપાટન (splitting) અને તેમનાં સંગલન (fusion) અથવા સમ્મિલન(union)નો તેમજ પ્રક્રિયા-નીપજોના ગુણધર્મો, તેમના વર્તન તથા અલગીકરણ અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. ન્યૂક્લિયર…
વધુ વાંચો >ન્યૂક્લિયર રિએક્ટર
ન્યૂક્લિયર રિએક્ટર : થોડાક ઈંધણને ભોગે વિપુલ પ્રમાણમાં ઊર્જા પેદા કરતી પ્રયુક્તિ (device). ન્યૂક્લિયર રિએક્ટરને પરમાણુ રિએક્ટર અથવા થપ્પી (pile) પણ કહે છે. ન્યૂક્લિયર રિએક્ટરમાં ન્યૂક્લિયસના વિખંડન(fission)ને કારણે પેદા થતી ઊર્જા ઉષ્મા સ્વરૂપે હોય છે. યુરેનિયમ (U) અથવા પ્લૂટોનિયમ (Pu) જેવી ભારે ન્યૂક્લિયસનું બે ટુકડામાં વિભાજન થઈ, ન્યૂટ્રૉન અને ઊર્જાઉત્સર્જનની…
વધુ વાંચો >ન્યૂક્લિયર વિખંડન (nuclear fission)
ન્યૂક્લિયર વિખંડન (nuclear fission) : ભારે ન્યૂક્લિયસ ઉપર થતા ન્યૂટ્રૉનના મારાથી તેના લગભગ બે સરખા ભાગમાં થતા વિભાજનની ઘટના. ભારે ન્યૂક્લિયસના વિખંડન સાથે સામાન્ય રીતે ઝડપી ન્યૂટ્રૉન, બીટા-કણ, ગામા-કિરણો અને ઊર્જાનું ઉત્સર્જન થતું હોય છે. પ્લૂટોનિયમ, યુરેનિયમ અને થોરિયમ વિખંડનશીલ દ્રવ્યો છે. ન્યૂક્લિયર વિખંડનના અભ્યાસ માટે ન્યૂક્લિયસમાં પ્રવર્તતાં બળો જાળવવાં…
વધુ વાંચો >ન્યૂક્લિયર શિયાળો (Nuclear Winter)
ન્યૂક્લિયર શિયાળો (Nuclear Winter) : ન્યૂક્લિયર મહાયુદ્ધને કારણે પૃથ્વી ઉપર પેદા થતી પર્યાવરણને હાનિ કરતી વિપરીત ઘટના. ન્યૂક્લિયર શિયાળાને લીધે પૃથ્વીના વાતાવરણ અને હવામાન ઉપર આફતજનક ફેરફારો થવાની શક્યતા બતાવવામાં આવી છે. ન્યૂક્લિયર મહાયુદ્ધ દરમિયાન સમગ્ર પૃથ્વી ઉપર શહેરી વિસ્તારો અને વ્યૂહાત્મક વિસ્તારો ઉપર બૉંબમારો થાય અને તે આડેધડ પણ…
વધુ વાંચો >ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એન.એસ.જી.)
ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એન.એસ.જી.) : ન્યૂક્લિયર પુરવઠો પૂરો પાડતાં 45 રાજ્યોનું જૂથ, જે અણુ-ઉત્પાદનોનો ફેલાવો અટકાવવાનો ઉદ્દેશ ધરાવે છે. તેમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ, બ્રિટન અને ચીન સભ્યો હોવા સાથે ન્યૂક્લિયર શસ્ત્રો ધરાવતા અન્ય 40 દેશો જોડાયેલા છે. તેનો મુખ્ય ઉદ્દેશ છે ન્યૂક્લિયર શસ્ત્રો બનતાં અટકે તે માટે ન્યૂક્લિયર સાધનસામગ્રીની નિકાસ…
વધુ વાંચો >ન્યૂક્લિયર સંલયન (nuclear fusion
ન્યૂક્લિયર સંલયન (nuclear fusion) : બે હલકી ન્યૂક્લિયસ વચ્ચે ન્યૂક્લિયર પ્રક્રિયાને કારણે ભારે ન્યૂક્લિયસમાં રૂપાંતર થવાની ઘટના. આ પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ઊર્જા પેદા થાય છે. સૂર્ય અને તારાઓમાં પ્રચંડ ઊર્જા પેદા થવાનું કારણ ન્યૂક્લિયર સંલયનની ઘટના છે. હાઇડ્રોજન બાબના વિસ્ફોટ બાદ આવી પ્રચંડ ઊર્જાની પ્રતીતિ થઈ. હાલને તબક્કે સંલયન રિએક્ટરમાં…
વધુ વાંચો >ન્યૂક્લિયર સંશ્લેષણ (Nucleosynthesis)
ન્યૂક્લિયર સંશ્લેષણ (Nucleosynthesis) : વિશ્વનાં મૂળભૂત તત્ત્વોની ઉત્પત્તિના સિદ્ધાંત સાથે સંકળાયેલ ન્યૂક્લિયૉન (ન્યૂટ્રૉન અને પ્રોટૉન)નું સંશ્લેષણ. ન્યૂટ્રૉન (વિદ્યુતભારવિહીન દ્રવ્યકણ) અને પ્રોટૉન (એકમ ઘન વિદ્યુતભારિત કણ) ન્યૂક્લિયસના પાયાના ઘટક કણો છે. ન્યૂક્લિયર સંશ્લેષણ સાથે કેટલીક પ્રક્રિયાઓ સંકળાયેલી છે. જે પ્રક્રિયાનો સૌર-પ્રણાલી, તારકો અને આંતરતારાકીય માધ્યમમાં પ્રવર્તતાં તત્ત્વોના વૈશ્વિક વૈપુલ્ય (universal abundance)…
વધુ વાંચો >ન્યૂક્લિયસ
ન્યૂક્લિયસ ધન વિદ્યુતભાર ધરાવતો, પરમાણુનો અતિ સૂક્ષ્મ અને બહુ ભારે અંતર્ભાગ (core). પરમાણુના કેન્દ્ર ઉપર ન્યૂક્લિયસ અને તેની આસપાસ ઇલેક્ટ્રૉન કક્ષીય ભ્રમણ કરતા હોય છે. પરમાણુનું લગભગ 99.975 % દળ ન્યૂક્લિયસમાં કેન્દ્રિત થયેલું હોય છે. હાઇડ્રોજન એક જ એવું તત્ત્વ છે, જેની ન્યૂક્લિયસ માત્ર પ્રોટૉન જ ધરાવે છે. તે સિવાયનાં…
વધુ વાંચો >ન્યૂક્લિયો કૅપ્સિડ
ન્યૂક્લિયો કૅપ્સિડ : ન્યૂક્લીઇક ઍસિડ અને તેની ફરતે આવેલું પ્રોટીનનું બનેલું વિષાણુનું રક્ષણાત્મક કવચ (capsid). વિષાણુની આ વિશિષ્ટ રચનાને ‘ન્યૂક્લિયો કૅપ્સિડ’ કહે છે. વિષાણુ માત્ર ન્યૂક્લિયો કૅપ્સિડનું બનેલું હોય છે. સંપૂર્ણપણે વિકસિત એવા વિષાણુના ન્યૂક્લિયો કૅપ્સિડને ‘વિરિયૉન’ કહે છે. કેટલાંક વિરિયૉનમાં કૅપ્સિડની ફરતે એક વધારાનું આવરણ આવેલું હોય છે, જેને…
વધુ વાંચો >ન્યૂક્લીઇક ઍસિડ
ન્યૂક્લીઇક ઍસિડ સજીવોમાં આનુવંશિક લક્ષણોની જાળવણી, અભિવ્યક્તિ (expression) અને સંચારણ સાથે સંકળાયેલાં એક પ્રકારનાં સંકીર્ણ સંયોજનો. તેઓ સામાન્ય રીતે પ્રોટીન સાથે પરિબદ્ધ થઈ ન્યૂક્લિયોપ્રોટીન બનાવે છે. 1869માં યુવાન સ્વિસ કાયચિકિત્સક (physician) ફ્રિડિશ માયશરે પરુમાં રહેલા શ્વેતકણોમાંથી કોષકેન્દ્રો પ્રાપ્ત કરવા તેમને હાઇડ્રોક્લોરિક ઍસિડની ચિકિત્સા આપતાં પ્રાપ્ત થયેલા અવક્ષેપોમાં કાર્બન, હાઇડ્રોજન, ઑક્સિજન,…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >