ખંડ ૧૦

નઈ તાલીમથી પવનશક્તિ

પરમાણુ-બૉમ્બ (atom-bomb)

પરમાણુ–બૉમ્બ (atom-bomb) : પરમાણુ-નાભિની ફિશન તરીકે ઓળખાતી એક ન્યૂક્લિયર વિખંડન(splitting)ની પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા ઉપર આધારિત, વિસ્ફોટની એક પ્રયુક્તિ (device). વાસ્તવમાં તો આ સમગ્ર પ્રક્રિયા ન્યૂક્લિયસમાં થતી હોવાથી, પરમાણુ-બૉમ્બને ખરેખર તો ન્યૂક્લિયર બૉમ્બ તરીકે ઓળખવો જોઈએ. આ પ્રકારનો બૉમ્બ સમતુલ્ય ભાર ધરાવતા ઉચ્ચ રાસાયણિક વિસ્ફોટના કરતાં, દસ લાખ ગણી ઊર્જા…

વધુ વાંચો >

પરમાણુભાર

પરમાણુભાર : ચોક્કસ સમસ્થાનિકીય સંઘટન ધરાવતા રાસાયણિક તત્ત્વના પરમાણુઓના સરેરાશ દળ (mass) અને કાર્બન 12 (126C) પરમાણુના દળના 1/12 ભાગનો ગુણોત્તર. પરમાણુ અત્યંત નાનો હોવાથી તેનું ખરેખર વજન ઘણું ઓછું હોય છે; દા. ત., કાર્બનના એક પરમાણુનું વજન 2.0 × 1023 ગ્રા. થાય. આ આંકડો ઘણો નાનો હોવાથી પરમાણુનાં દળ…

વધુ વાંચો >

પરમાણુ-રિએક્ટર

પરમાણુ–રિએક્ટર : જુઓ, ન્યૂક્લિયર રિએક્ટર

વધુ વાંચો >

પરમાણુ-વિદ્યુતમથકો (atomic power stations)

પરમાણુ–વિદ્યુતમથકો (atomic power stations) : પરમાણુ-ઊર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરનારાં મથકો. ભારત પાસે જીવાશ્મ (fossil) (કુદરતી તેલ, વાયુ, કોલસો) ઈંધણ-વિદ્યુત, જલવિદ્યુત, ભરતીશક્તિ પર આધારિત વિદ્યુત (tidal power), પવન-વિદ્યુત અને સૌર વિદ્યુત માટેની સુવિધાઓ છે. જ્યાં આ સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાં પરમાણુ-વિદ્યુત મથકોનું નિર્માણ આવશ્યક બને છે. વિકસતા દેશોમાં ભારત ન્યૂક્લિયર…

વધુ વાંચો >

પરમાણુ-શક્તિ

પરમાણુ–શક્તિ : જુઓ, ન્યૂક્લિયર ઊર્જા.

વધુ વાંચો >

પરમાણુ-શસ્ત્રો (atomic અથવા nuclear weapons)

પરમાણુ–શસ્ત્રો (atomic અથવા nuclear weapons) દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર કરીને તૈયાર કરવામાં આવતાં વિનાશાત્મક યુદ્ધશસ્ત્રો. તમામ પરમાણુ-શસ્ત્રો વિસ્ફોટક પ્રયુક્તિઓ (devices) છે. તેમાં મિસાઇલ, બૉંબ, ટૉર્પિડો વગેરેનો સમાવેશ થાય છે. પરંપરાગત (conventional) શસ્ત્રો કરતાં પરમાણુ(ન્યૂક્લિયર)-શસ્ત્રો ઘણાં વધારે વિનાશાત્મક હોય છે. પરમાણુ-શસ્ત્રો બે પ્રકારનાં હોય છે : (1) વિખંડન-(fission) શસ્ત્રો, જે પરમાણુ-શસ્ત્રો તરીકે…

વધુ વાંચો >

પરમાનંદદાસ

પરમાનંદદાસ : પુષ્ટિમાર્ગના અષ્ટછાપ કવિઓમાં સૂરદાસ પાછળ સૌથી અધિક પ્રતિભાસંપન્ન ભક્ત કવિ. તેઓ કનોજના વતની કાન્યકુબ્જી બ્રાહ્મણ હતા. તેમનો જન્મ 1493માં, સંપ્રદાયમાં પ્રવેશ 1519માં અને દેહાવસાન 1583માં થયાનું મનાય છે. એમનાં માતા-પિતાની ઇચ્છા પુત્રને લગ્ન કરાવી ગૃહસ્થી બનાવવાની હતી, પરંતુ નિર્ધનતાને કારણે તેઓ પોતાનો મનોરથ પૂરો કરી શક્યાં નહિ. કુંભનદાસમાં…

વધુ વાંચો >

પરમાનંદ મેવારામ

પરમાનંદ મેવારામ (જ. 1865, હૈદરાબાદ, સિંધ; અ. 1938, હૈદરાબાદ) : અર્વાચીન સિંધી સાહિત્યના એક અગ્રણી લેખક. સિંધી ભાષાને સાહિત્યિક સ્વરૂપ આપવામાં અને તેના ગદ્યસાહિત્યનો પાયો નાખવામાં પરમાનંદ મેવારામનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમણે ખ્રિસ્તી શાળામાં અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તે પછી સરકારી નોકરી ઉપરાંત શિક્ષક તરીકે પણ તેમણે સેવા…

વધુ વાંચો >

પરમાર, ખોડીદાસ ભાયાભાઈ

પરમાર, ખોડીદાસ ભાયાભાઈ (જ. 31 ઑગસ્ટ 1930, ભાવનગર; અ. 31 માર્ચ 2004) :  ગુજરાતના પ્રસિદ્ધ લોકકલાવિદ અને લોકશૈલીમાં સર્જન કરનાર ચિત્રકાર. માતા વખતબા અને પિતાને તેમના એકના એક દીકરા ખોડીદાસને ભણાવીગણાવી બાજંદો બનાવવાની હોંશ હોવાથી દીકરાને ભણવા બેસાડ્યો. દીકરા ખોડીદાસે ગુજરાતી અને સંસ્કૃતના વિષય સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કરી માતાપિતાની…

વધુ વાંચો >

પરમાર, જયમલ્લભાઈ પ્રાગજીભાઈ

પરમાર, જયમલ્લભાઈ પ્રાગજીભાઈ (જ. 6 નવેમ્બર 1910, વાંકાનેર; અ. 21 જૂન 1991, રાજકોટ) : ગુજરાતના એક સ્વાતંત્ર્યસેનાની અને લેખક. પત્રકાર, નવલકથાકાર, નાટ્યલેખક તેમજ લોકસાહિત્યના સંપાદક, સંશોધક અને વિવેચક. પિતા પ્રાગજીભાઈ ત્રણ ગામના તાલુકદાર. પિતાનું અવસાન થતાં મોસાળ(મોરબી)માં ઊછર્યા. અભ્યાસ છ ધોરણ સુધી. અગિયાર વર્ષ પછી એક દાયકો રઝળપાટમાં ગાળ્યો અને…

વધુ વાંચો >

નઈ તાલીમ

Jan 1, 1998

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નઈ દુનિયા

Jan 1, 1998

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નકશાશાસ્ત્ર

Jan 1, 1998

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…

વધુ વાંચો >

નકશો

Jan 1, 1998

નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

Jan 1, 1998

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નકુલ

Jan 1, 1998

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નક્સલવાદ

Jan 1, 1998

નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

Jan 1, 1998

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

Jan 1, 1998

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

Jan 1, 1998

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >