લોકકલા

અલંકરણ અને સુશોભન

અલંકરણ અને સુશોભન (લોકકળા)  જીવનમાં રસાનંદ માટે લોકસમાજે પ્રયોજેલા સૌંદર્ય-શોભાવર્ધક કલાકીમિયા. માનવ સુશોભન અને અલંકરણપ્રિય હોવાથી જીવન તેમજ સંસ્કૃતિઉત્થાનના દરેક તબક્કે એણે પોતાનો દેહ, વસ્ત્ર, ઘરબાર, સાજસરંજામ વગેરેનાં સુશોભન-આલેખનમાં અલંકૃત એવી વિવિધ આકૃતિઓ તેમજ પ્રતીકોનાં અલંકરણ પ્રયોજીને સુશોભનને અધિક સુંદર બનાવ્યું છે. જીવનના રસાનંદમાંથી અભિવ્યક્ત થતી અનુભૂતિને એણે ચિત્ર, સંગીત,…

વધુ વાંચો >

અળતો

અળતો : સં. अलक्तक. લાખનો રસ : ગુલાબ જેવો પ્રવાહી લાલ રંગ. ભારતમાં સ્ત્રીઓ – ખાસ કરીને બંગાળમાં અને ઉત્તરપ્રદેશમાં – હાથપગ લાલ દેખાડવાને પાનીએ અને પાટલીએ એટલે ઘૂંટીથી આંગળાં સુધીના ભાગમાં મેંદીની માફક તે લગાડે છે. અળતો ઉકાળેલી લાખમાંથી બનાવેલો લાલ રંગ છે. અડધો લીટર પાણી, 4૦ ગ્રામ પીપળાની…

વધુ વાંચો >

આરણ્યુ

આરણ્યુ : ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગવાતી લોકદેવીની પરંપરાગત પ્રશસ્તિ. ચામુંડા, કાળકા, ખોડિયાર, શિકોતર, મેલડી વગેરે લોકદેવીઓ કાંટિયાવરણ, લોકવરણ વગેરેમાં કુળદેવી તરીકે પૂજાય છે. આ દેવીઓનું સ્થાપન ઘર-ઓરડામાં કે સ્વતંત્ર મઠમાં થાય છે. નવરાત્રમાં આ લોકજોગણીઓને તેનો ‘પોઠિયો’ (ભૂવો) સંધ્યાટાણે ધૂપદીપથી જુહારે છે. એ વખતે નવેનવ નોરતે કુળ-પરંપરાનો રાવળિયો જોગી દેવીની ‘ખડખડ્ય’ (આરણ્ય-પ્રશસ્તિ)…

વધુ વાંચો >

ઉત્સવ ગીત

ઉત્સવ ગીત : લોકગીતોની પરંપરામાં પ્રત્યેક ઉત્સવ માટેનું ગીત નિશ્ચિત અને નિર્ધારિત હોય છે. જુદા જુદા સંસ્કાર પ્રસંગે તેને અનુરૂપ ગીત ગવાય છે. પુત્ર-જન્મ પ્રસંગે ઝોળીપોળી કરતી વખતે ગીત ગવાય છે. ઉત્તર ભારતમાં જન્મની વધાઈનાં ગીતોને ‘સોહર’ કહે છે. વિવાહોત્સવ અર્થાત્ લગ્નોત્સવ પ્રસંગનાં ગીતો વિધિને અનુરૂપ ગવાતાં હોય છે. એમાં…

વધુ વાંચો >

કજરી

કજરી : પૂર્વી ઉત્તરપ્રદેશનો પ્રસિદ્ધ લોકગીત પ્રકાર. આ ગીતો મુખ્યત્વે શ્રાવણ માસમાં ગવાય છે. આ મહિનામાં આકાશમાં આચ્છાદિત વાદળોની કાલિમા, જે કાજળ જેવી કાળી હોય છે તે પરથી તેનું નામાભિધાન થયાનું જણાય છે. પૂર્વી ભારતમાં ભાદરવા કૃષ્ણ ત્રીજને કજરી ત્રીજ કહેવામાં આવે છે અને વિવાહિત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે…

વધુ વાંચો >

કટાવ

કટાવ :  સફેદ અથવા રંગીન વસ્ત્ર પર અન્ય રંગના વસ્ત્રનાં ફૂલ, પાંદ, પશુ, પંખી, માનવીય કે ભૌમિતિક આકૃતિઓ કોતરેલ ટુકડા કલાત્મક રીતે ગોઠવીને ટાંકવા તે. ‘કટાવ’ શબ્દ પ્રાકૃત कट्टिय (કાપીને, છેદ પાડીને) ઉપરથી ઊતરી આવ્યો છે. ‘કટાવ’ની પરંપરા પ્રાચીન છે. બૌદ્ધ સંઘના શ્રમણો ‘ચીવર’ (વસ્ત્ર) એટલે કે જનપદોમાંથી માગી લાવેલા…

વધુ વાંચો >

કઠપૂતળી

કઠપૂતળી : પાર્શ્વ દોરીસંચારથી હલનચલન કરતાં માનવ કે પ્રાણી-પાત્રોના કથાપ્રસંગોની મનોરંજનલક્ષી રજૂઆત. સામાન્ય રીતે લાકડાં, ચીંથરાં અથવા કાગળના માવામાંથી પૂતળાં બનાવવામાં આવે છે. દરેક યુગમાં વિશ્વના જુદા જુદા દેશોમાં કઠપૂતળી સમ્રાટો, રાજાઓ, ઉમરાવો, ધનિકો તથા સામાન્ય લોકોનું મનોરંજન કરતી આવી છે. પ્રાચીન કાળમાં જ્યારે આ કળા પ્રાથમિક અવસ્થામાં હતી, ત્યારે…

વધુ વાંચો >

કથાકાવ્ય

કથાકાવ્ય (ballad) : ટૂંકો વાર્તારૂપ લોકગીતનો પ્રકાર. તેનું મૂળ છે લૅટિન તથા ઇટાલિયન શબ્દ ‘ballare’ એટલે કે ‘નૃત્ય કરવું’. તાત્વિક રીતે કથાકાવ્ય એટલે કે બૅલડ વાર્તાની માંડણીવાળો ગીતપ્રકાર છે અને મૂળે તે નૃત્યની સંગતરૂપે રજૂ થતી સંગીતરચના હતું. ઘણાખરા દેશ-પ્રદેશની સંસ્કાર-પરંપરામાં કથાકાવ્યનો પ્રકાર પ્રચલિત થયેલો જોવા મળે છે. દરેક પ્રજાની…

વધુ વાંચો >

કુંભારકામ

કુંભારકામ : અગ્નિમાં તપાવેલા ભીની માટીના વિવિધ ઘાટ ઉતારવાનું કામ. ભીની માટીના અનેક ઘાટ ઘડી શકાય છે. તેને અગ્નિમાં યોગ્ય રીતે તપાવવાથી તેમાં વિશિષ્ટ શક્તિ પેદા થઈને પાણીથી તે ઓગળી જતા નથી, તેમજ તે પથ્થર કે અન્ય પદાર્થોની માફક વાપરી શકાય છે. એ જ્ઞાન કુંભારકામનું મૂળ છે. આ જ્ઞાન પૃથ્વી…

વધુ વાંચો >

કૉન્ટ્રૅક્ટર મેહેરબહેન

કૉન્ટ્રૅક્ટર, મેહેરબહેન (જ. 23 એપ્રિલ, 1918; અ. 1992 ) : ભારતનાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કઠપૂતળી કલાકાર-દિગ્દર્શક. પ્રારંભિક તાલીમ – લંડનની રૉયલ ચિલ્ડ્રન એકૅડેમીમાં; ત્યાં ત્રણ વર્ષનો અભ્યાસ એક વર્ષમાં પૂરો કર્યો; અને પછી ત્યાં જ ‘વ્યક્તિચિત્રો અને પુસ્તકસુશોભન’ માટે શિક્ષિકા તરીકે તાલીમ લીધી; ચિત્રકામ માટે અનેક પારિતોષિક મેળવ્યાં. કલાકાર માટેની તાલીમ…

વધુ વાંચો >