લોકકલા

ક્રિસ્ટો જાવાશૅફ

ક્રિસ્ટો જાવાશૅફ (Christo Javachef) (જ. 13 જૂન 1935, બલ્ગેરિયા; અ. 31 મે 2020, ન્યૂયોર્ક સિટી, ન્યૂયોર્ક) : આધુનિક બલ્ગેરિયન કલાકાર. બાઇસિકલ, મહિલાથી માંડીને મકાન સુધ્ધાંને પૅકેજિંગ (Packaging) કરવાની પ્રવૃત્તિ વડે કલાસર્જન કરવા માટે તેઓ જાણીતા છે. આ વિશ્વમાં માત્ર ખાલીપો છે અને માત્ર સન્નાટો જ આરાધ્ય છે તેવી તેમની ફિલસૂફી…

વધુ વાંચો >

ગજ્જર, માણેકલાલ ત્રિકમલાલ

ગજ્જર, માણેકલાલ ત્રિકમલાલ (જ. 20 એપ્રિલ 1928, કડી, જિ. ગાંધીનગર, ગુજરાત) : હાથછાપકામનાં બીબાંના નિષ્ણાત કસબી. તેમણે ગુજરાતી 7 અને અંગ્રેજી 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમના પિતા કાષ્ઠકલા-કારીગરી અને ડિઝાઇન બનાવનાર પારંગત કલાકાર હતા. તેમની પાસેથી તેમણે 1943થી વારસાગત કલાની તાલીમ લીધી અને 1948 સુધીમાં કાપડના છાપકામ માટે…

વધુ વાંચો >

ગઢવી, દાદુદાન

ગઢવી, દાદુદાન (કવિ દાદ) (જ. 11 સપ્ટેમ્બર 1940, ઈશ્વરિયા (ગીર); અ. 26 એપ્રિલ 2021, ધૂના, પડધરી, રાજકોટ) : ગુજરાતી કવિ અને ગુજરાતના લોકગાયક. પિતાશ્રી પ્રતાપદાન ગઢવી જૂનાગઢના રાજકવિ અને નવાબના સલાહકાર હતા. તેમની માતાનું નામ કરણીબા ગઢવી હતું. કવિ દાદે ચાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો અને તેઓ જૂનાગઢમાં…

વધુ વાંચો >

ગઢવી, ભીખુદાન

ગઢવી, ભીખુદાન (જ. 19 સપ્ટેમ્બર 1948, ખીજદડ, જિ. પોરબંદર) : ગુજરાતી લોકસંગીતના અગ્રણી કલાકાર. પિતાનું નામ ગોવિંદભાઈ. વતન માણેકવાડા, જિલ્લો જૂનાગઢ. અભ્યાસ ધોરણ 10 સુધી. વ્યવસાયે ખેડૂત; પરંતુ આકાશવાણી, દૂરદર્શન તથા જાહેર કાર્યક્રમોમાં લોકસંગીતના પ્રસ્તુતીકરણમાં વ્યસ્ત રહે છે. તેમને ગાવાની કલા વારસામાં સાંપડી છે. તેમણે ગુજરાતમાં ઠેર ઠેર તથા સમગ્ર…

વધુ વાંચો >

ગઢવી, હેમુ

ગઢવી, હેમુ (જ. 8 સપ્ટેમ્બર 1929, ઢાંકણિયા, જિ. સુરેન્દ્રનગર; અ. 20 ઑગસ્ટ 1965, પડધરી) : સૌરાષ્ટ્રના જાણીતા લોકગાયક તથા લોકસંગીતનિયોજક. અભણ ખેડૂત પિતા નાનુભા અને માતા બાલુબાનો કિશોર હિંમતદાન ભવાઈ અને પ્રવાસી નાટકમંડળીઓ પ્રત્યે આકર્ષાયેલ. ભણતર અધૂરું મૂકીને તેઓ મામા શંભુદાન ગઢવીની નાટક કંપની પાલિતાણામાં હતી તેમાં જોડાઈને સ્ત્રી-પાઠો કરતા…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

જાદવ, જોરાવરસિંહ દાનુભાઈ

જાદવ, જોરાવરસિંહ દાનુભાઈ (જ. 10 જાન્યુઆરી 1940, મુ. પો. આકરુ, તા. ધંધૂકા, જિ. અમદાવાદ) : ગુજરાતના વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોકકલાના પ્રચારક. પિતા દાનુભાઈ રાજપૂત ખેડૂત. ગામડામાં ખેડૂત કુટુંબમાં જનમવાને કારણે બાળપણથી જ લોકસાહિત્ય અને લોકકલાઓનો તલસ્પર્શી અનુભવ હતો. તેઓ 1961માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી અને ઇતિહાસ સાથે…

વધુ વાંચો >

જોગીદાસ ખુમાણ

જોગીદાસ ખુમાણ : લોકપ્રિય ગુજરાતી ચલચિત્ર. તેની કથા એક શૂરવીર અને સંતની કથા છે. લોકપ્રસિદ્ધ કથાનક પર આધારિત ત્રણ ગુજરાતી ચિત્રપટો આ એક જ શીર્ષકથી અનુક્રમે 1948, 1962 અને 1975માં જુદી જુદી નિર્માણસંસ્થાઓ દ્વારા રજૂઆત પામ્યાં. 1948માં રૂપ-છાયા નિર્માણસંસ્થા દ્વારા નિર્મિત ચિત્રના નિર્માતા મનહર રસકપૂર અને મધુસૂદન, વાર્તા-સંવાદ કવિ ‘જામન’,…

વધુ વાંચો >

પરમાર, ખોડીદાસ ભાયાભાઈ

પરમાર, ખોડીદાસ ભાયાભાઈ (જ. 31 ઑગસ્ટ 1930, ભાવનગર; અ. 31 માર્ચ 2004) :  ગુજરાતના પ્રસિદ્ધ લોકકલાવિદ અને લોકશૈલીમાં સર્જન કરનાર ચિત્રકાર. માતા વખતબા અને પિતાને તેમના એકના એક દીકરા ખોડીદાસને ભણાવીગણાવી બાજંદો બનાવવાની હોંશ હોવાથી દીકરાને ભણવા બેસાડ્યો. દીકરા ખોડીદાસે ગુજરાતી અને સંસ્કૃતના વિષય સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કરી માતાપિતાની…

વધુ વાંચો >