રવીન્દ્ર વસાવડા

અછાદ્ય

અછાદ્ય : બૌદ્ધ સ્થાપત્યમાં સ્તૂપોનાં બહારનાં આવરણ. જ્યારે જર્જરિત થયેલા સ્તૂપનાં સમારકામ થતાં ત્યારે મૂળ બંધાયેલ ઇમારતને જરા પણ અડક્યા સિવાય તેની બહાર બીજું આવરણ ઊભું કરીને ફરીથી ઇમારત ચણવામાં આવતી. આવી ઊભી કરાયેલી ઇમારત, જે આવરણ તરીકે જ ઉપયોગમાં આવતી, તેને અછાદ્ય કહેવામાં આવતી. સારનાથનો સ્તૂપ આનું એક ઉદાહરણ…

વધુ વાંચો >

અડહાઈ કાન્જુર મસ્જિદ

અડહાઈ કાન્જુર મસ્જિદ, બનારસ (ઈ. સ. પંદરમી સદી) : જૌનપુર શૈલીની અસર દર્શાવતી મસ્જિદ. જૌનપુર શૈલીની ખાસિયતો ભારતીય મુસ્લિમ સ્થાપત્યની દૃષ્ટિએ અદ્વિતીય ગણાય. મસ્જિદની બહારનું બાંધકામ બે બાજુના મિનારા વડે સુશોભિત આગળના ભાગ સાથેનું છે. આવી જાતની રચનાને લઈને મસ્જિદનું સ્થાપત્ય એક આગવી પ્રતિભા ધરાવે છે. મિનારા અને કમાન વડે…

વધુ વાંચો >

અદિના મસ્જિદ

અદિના મસ્જિદ (ઈ. સ. 1364) : ચૌદમી સદીની મુસ્લિમ સ્થાપત્યકલાનો આકર્ષક નમૂનો. તે વખતની બંગાળની રાજધાની પાન્ડુઆમાં આ મસ્જિદ બંધાયેલી. 1576માં મુઘલ સામ્રાજ્યનો ઉદય થયો ત્યાં સુધીમાં બંગાળમાં મુસ્લિમ સામ્રાજ્ય ત્રણ તબક્કામાં આવેલું : ઈ. 1200થી 1340 ગૌર, 1340થી 1430 પાન્ડુઆ અને 1442થી 1576 સુધી પુન: ગૌર. અત્યારે આ રાજધાની…

વધુ વાંચો >

અમીર મુસોલિયમ્સ

અમીર મુસોલિયમ્સ (1303-04) : કેરોમાં મામલુક યુગ દરમિયાન બંધાયેલ સાલાર અને સંજાર અલ-જાવલી નામના હજીરા. અલ-કબ્શના ઢાળ પર બંધાયેલા આ બંને હજીરા ઊંચા લાક્ષણિક ઘૂમટો ધરાવે છે. હજીરાઓનો આગળનો ભાગ ખાસો ઊંચો છે અને એક બાજુએ મિનારો જુદા જુદા આકારો વડે સુશોભિત કરવામાં આવ્યો છે, જે બાજુઓની ઇમારતો સાથે સુસંગત…

વધુ વાંચો >

અષ્ટભદ્ર

અષ્ટભદ્ર : મંદિરના પાયામાં રચાતી અષ્ટકોણાકાર કૃતિ. ચાલુક્ય સ્થાપત્યમાં મંદિરોના પાયાનો આકાર આ રીતે કરવામાં આવતો. આવો આકાર સમચતુષ્કોણ લઈને તેને તેના કેન્દ્ર પર એવી રીતે ફેરવવામાં આવતો કે અષ્ટકોણાકાર તારા જેવી રચના થાય. આવી જાતનો આકાર ભારતમાં બીજી શૈલીનાં મંદિરોમાં પણ કરવામાં આવતો. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

અંતરાલ

અંતરાલ : મંદિરોના સ્થાપત્યમાં લગભગ સાતમી સદી સુધી ગર્ભગૃહ અને મંડપ વચ્ચે જગ્યા રહેતી અને બંનેનું બાંધકામ કશા જ જોડાણ વગર કરવામાં આવતું (દા.ત., મોઢેરાનું સૂર્યમંદિર). આ બંને ભાગોને જોડતા ભાગને અંતરાલ કહેવામાં આવે છે, જેનાથી મંદિરોની ઇમારતોનું બાંધકામ અને આકાર સંયોજિત રીતે થવા લાગેલાં. તેથી સભામંડપ અને ગર્ભગૃહને જોડતા…

વધુ વાંચો >

આઇન્સિડેલ્ન ઍબી

આઇન્સિડેલ્ન ઍબી : સ્વિટ્ઝર્લૅન્ડમાં ઝૂરિકની દક્ષિણ-પૂર્વમાં આઇન્સિડેલ્ન નામના શહેરમાં આવેલ આ ઍબી દસમી સદીમાં બંધાયેલ બેનેડિકટાઇન ઍબીઓમાંની એક છે. તેના ચર્ચમાં મૂકવામાં આવેલ ‘બ્લૅક મેડૉના’નું શિલ્પ ઘણું પ્રખ્યાત છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

આઇલ્સ

આઇલ્સ : પાશ્ચાત્ય સંસ્કૃતિનાં દેવળોમાં દેવળના વચ્ચેના ભાગની બાજુમાં દેવળની અંદર ફરવાની સમાંતર જગ્યાઓ. ઘણુંખરું આ જગ્યાઓ સ્તંભોની કતારથી વચ્ચેના ભાગથી અલગ પડતી અને મુખ્ય ખંડના પ્રમાણમાં તે નીચી રહેતી. તેનો બીજો મજલો પણ રાખવામાં આવતો, જેથી ભાવિકો ઉપરના ભાગમાં પણ જઈ શકે અને ધાર્મિક પ્રસંગોમાં વધુ ભાવિકો દેવળની અંદર…

વધુ વાંચો >

આમલક, આમલશિલા

આમલક, આમલશિલા : ભારતીય મંદિરના શિખર કે સ્તંભની ઉપર મૂકવામાં આવતો ગોળાકાર પથ્થર. આમલક (આમળા) ફળના આકાર સાથેના સામ્યને કારણે તેને આમલક કહે છે. શિખરની ઉપર શીર્ષ કે કળશ તરીકે તેની સ્થાપના થાય છે. તે સામાન્ય રીતે ધ્વજસ્તંભના આધારરૂપ હોય છે. આમલકની અગત્ય દર્શન અને બાંધકામની દૃષ્ટિએ ઘણી હતી. જુદી…

વધુ વાંચો >

આયોનિક

આયોનિક : પાશ્ચાત્ય દેશોના શાસ્ત્રીય સ્થાપત્યમાં સ્તંભના વિવિધ પ્રકારોમાંનો એક. આ પ્રકારના સ્તંભનો ઉપયોગ એશિયા માઇનોરમાં લગભગ ઈસુ પૂર્વેની છઠ્ઠી સદીમાં પ્રચલિત થયો. બીજા પ્રકારના સ્તંભો ડૉરિક, કૉરિન્થિયન, ટસ્કન સહિત વિટ્રુવિયસે વર્ણવ્યા છે. ઈ. સ. 1540 માં સર્લીઓએ એક પુસ્તક લખીને આ સ્તંભોનાં રચના અને પ્રમાણ વિશે વિસ્તૃત માહિતી સ્થપતિઓ…

વધુ વાંચો >