અંતરાલ : મંદિરોના સ્થાપત્યમાં લગભગ સાતમી સદી સુધી ગર્ભગૃહ અને મંડપ વચ્ચે જગ્યા રહેતી અને બંનેનું બાંધકામ કશા જ જોડાણ વગર કરવામાં આવતું (દા.ત., મોઢેરાનું સૂર્યમંદિર). આ બંને ભાગોને જોડતા ભાગને અંતરાલ કહેવામાં આવે છે, જેનાથી મંદિરોની ઇમારતોનું બાંધકામ અને આકાર સંયોજિત રીતે થવા લાગેલાં. તેથી સભામંડપ અને ગર્ભગૃહને જોડતા ભાગને અંતરાલ કહેવામાં આવતો.

રવીન્દ્ર વસાવડા