મહાવીરસિંહ ચૌહાણ

સક્સેના, બાબુરામ

સક્સેના, બાબુરામ (જ. 1897, જિ. લખીમપુર, ઉત્તરપ્રદેશ) : ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં પાયાનું કામ કરનાર  હિન્દીના વિદ્વાન. પ્રયાગ વિશ્વવિદ્યાલય, બનારસહિંદુ યુનિવર્સિટી તેમજ ‘લંડન સ્કૂલ ઑવ્ ઓરિયેન્ટલ સ્ટડિઝ’ જેવી સંસ્થાઓમાં રહીને ડી. લિટ. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. અવધી ભાષા વિશે ઇંગ્લૅન્ડમાં રહીને જાણીતા ભાષાશાસ્ત્રી ડૉ. ટર્નરના સહયોગથી પૂર્ણ કરેલ એમના સંશોધનકાર્ય ‘ઇવૅલ્યુએશન ઑવ્…

વધુ વાંચો >

સમશેરબહાદુરસિંહ (શમશેરબહાદુરસિંહ)

સમશેરબહાદુરસિંહ (શમશેરબહાદુરસિંહ) (જ. 13 જાન્યુઆરી 1911; અ. 12 મે 1993) : ‘નયી કવિતા’નાં નામે ઓળખાતી આધુનિક હિંદી કાવ્યધારાના પ્રમુખ કવિઓમાંના એક. તેમણે બી.એ. સુધી અભ્યાસ કર્યો હતો. એ પછી 1935-36માં ઉકીલભાઈઓ પાસેથી કલા વિદ્યાલયમાં પેઇન્ટિંગની તાલીમ પણ લીધી હતી. જુદા જુદા તબક્કે ‘કહાની’, ‘નયા સાહિત્ય’ અને ‘નયા પથ’ જેવાં હિંદીનાં…

વધુ વાંચો >

સંત મલૂકદાસ

સંત મલૂકદાસ (જ. 1574, કડા, અલાહાબાદ, ઉત્તરપ્રદેશ; અ. 1682) : મધ્યયુગીન હિંદી સંત કવિ. તેમના પિતાનું નામ સુંદરદાસ ખત્રી હતું. બાળપણથી જ તેમનામાં દૈવી પ્રેમ અને સંન્યાસ માટેની ઇચ્છાનાં લક્ષણો જોવા મળતાં હતાં. તેઓ કાવ્યની ‘નિર્ગુણ શાખા’ના મુખ્ય સંત છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, સત્ય, અહિંસા, કરુણા અને ક્ષમા તેમના કાવ્યના…

વધુ વાંચો >

સંત સુંદરદાસ

સંત સુંદરદાસ (જ. 1596, દ્યૌસાનગર, જયપુર રાજ્યની પ્રાચીન રાજધાની, રાજસ્થાન; અ. 1689, સાંગાનેર) : મધ્યયુગીન હિંદી સંત-કવિ. તેમનો જન્મ ખંડલેવાલ વૈશ્ય પરિવારમાં થયો હતો. તેમનાં માતાનું નામ સતી અને પિતાનું નામ પરમાનંદ હતું. તેમણે 6 વર્ષની વયે જ દાદૂ દયાલનું શિષ્યત્વ ગ્રહણ કરેલું. તેઓ ખૂબ સુંદર હોવાથી દાદૂ દયાળે તેમનું…

વધુ વાંચો >

સંસ્કૃતિ કે ચાર અધ્યાય (1956)

સંસ્કૃતિ કે ચાર અધ્યાય (1956) : ઐતિહાસિક ભૂમિકા સાથે ભારતીય સંસ્કૃતિના વિકાસનું વિગતવાર અને પૃથક્કરણાત્મક વૃત્તાંત આપતી રામધારીસિંહ ‘દિનકર’(જ. 1908)ની કૃતિ. આ કૃતિને 1959ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. દિનકર રાષ્ટ્રીય ચેતનાના કવિ હોઈ, પ્રબળ રાષ્ટ્રીય ચેતનાથી પ્રેરાઈને તેમણે આ ગ્રંથની રચના કરી છે. તેમણે ભારતીય સંસ્કૃતિના…

વધુ વાંચો >

સાકેત (1931)

સાકેત (1931) : ‘રાષ્ટ્રકવિ’ તરીકે જાણીતા મૈથિલીશરણ ગુપ્ત(જ. 1886)ની મહાકાવ્ય પ્રકારની શ્રેષ્ઠ હિંદી રચના. આ કૃતિના કેન્દ્રમાં રામકથા છે, પરંતુ તેને ભિન્ન સ્વરૂપે અને ભિન્ન ઉદ્દેશથી રચવામાં આવી છે. હિંદીના પ્રખ્યાત વિવેચક મહાવીરપ્રસાદ દ્વિવેદીના લેખ ‘કવિયા દ્વારા ઊર્મિલા કી ઉપેક્ષા’ પરથી ગુપ્તને આ પ્રબંધકાવ્ય રચવાની પ્રેરણા મળી. તેમણે તુલસીદાસના સમયથી…

વધુ વાંચો >