પ્રીતિ બરુઆ

અગરવાલા, ચંદ્રકુમાર

અગરવાલા, ચંદ્રકુમાર (જ. 28 નવેમ્બર 1867 કલંગપુર જિ. શોણિતપુર, આસામ ; અ. 2 માર્ચ 1938 ગુવાહાટી, આસામ) : અસમિયા કવિ અને સાહિત્યકાર. વતન આસામના શોણિતપુર જિલ્લાનું કલંગપુર ગામ. દાદા નવરંગ અગરવાલા રાજસ્થાનમાંથી આસામમાં આવી વસેલા. પિતા હરિવિલાસ સાહિત્યરસિક હતા. એમણે આસામના સંત શંકરદેવની અસમિયા હસ્તપ્રતો પ્રકાશિત કરેલી. ચંદ્રકુમારે લક્ષ્મીનાથ બેઝબરુઆ અને…

વધુ વાંચો >

અગરવાલા, જ્યોતિપ્રસાદ

અગરવાલા, જ્યોતિપ્રસાદ (જ. 17 જૂન 1903 તેઝપુર, અસમ ; અ. 17 જાન્યુઆરી 1951 તેઝપુર, અસમ) : આસામના રાષ્ટ્રભક્ત કવિ અને સ્વાતંત્ર્યસેનાની. ‘હિંદ છોડો’ આંદોલન વખતે ભૂગર્ભમાં રહીને કામ કરેલું. સ્વાતંત્ર્યોત્તર સમયની ભારતની પરિસ્થિતિથી થયેલી વેદના એમનાં અનેક ગીતોમાં મુખરિત થયેલી છે. તેમનાં લખાણોમાં જ્વલંત દેશપ્રેમ અને વર્ગવિહીન સમાજરચના માટેની ઝુંબેશ…

વધુ વાંચો >

અગ્નિપરીક્ષા

અગ્નિપરીક્ષા : અસમિયા નાટ્યકૃતિ. દંડીનાથ કલિતા(1890–1950)નું આ નાટક વ્યંગાત્મક છે. નાટકની પાર્શ્વભૂમિ રામાયણના સમયની છે. એમણે એમાં રામાયણનાં લગભગ બધાં જ મુખ્ય પાત્રો તથા પ્રસંગો લઈને નાટ્યોચિત ગૂંથણી કરી છે. વાલ્મીકિ રામાયણ ઉપરાંત ‘ભટ્ટિકાવ્યમ્’ અને કૃત્તિવાસના રામાયણનો આધાર લઈને તેમણે કેટલાંક દૃશ્યોનું નિર્માણ કર્યું છે. પાત્રચિત્રણ અભિનયક્ષમ દૃશ્યોની યોજનામાં એમની…

વધુ વાંચો >

અગ્રાહી આત્માર કાહિની

અગ્રાહી આત્માર કાહિની (1969) : અસમિયા નવલકથા. લેખક સૈયદ અબદુલ મલિક. તેને સાહિત્ય અકાદમીનો 1972નો પુરસ્કાર મળેલો. એમાં સાંપ્રતકાળમાં મધ્યમ વર્ગના કુટુંબની વીતકકથા આલેખાઈ છે. એનાં મુખ્ય પાત્રો ત્રણ છે : શશાંક, નિરંજન અને અપરા. ત્રણેય ગૃહ વિનાનાં, સંગી-સાથી વિનાનાં, લગભગ જીવનમાંથી ફેંકાઈ ગયેલાં. એક રીતે તે આધુનિક માનવીનાં પ્રતીક…

વધુ વાંચો >

અઘોનીબાઈ

અઘોનીબાઈ (1950) : અસમિયા ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. લેખક બિરંચિકુમાર બરુઆ; ‘બીના બરુઆ’ના તખલ્લુસથી તેમણે સાહિત્યિક રચનાઓ પ્રકાશિત કરી હતી. મુખ્ય વાર્તા ‘અઘોનીબાઈ’ ઉપરથી આ સુપ્રસિદ્ધ વાર્તાસંગ્રહને ઉપર્યુક્ત નામ મળેલું છે. ‘અઘોનીબાઈ’ ગ્રામીણ નારીની વાર્તા છે. એમાં કરુણ, હાસ્ય અને શાંતનું નિરૂપણ છે. પાત્રો દ્વારા માનવની સાહજિક નિર્બળતા ઉપસાવી આપી છે.…

વધુ વાંચો >

અભિમન્યુવધ

અભિમન્યુવધ : આસામી સાહિત્યમાં અભિમન્યુના કથાનક ઉપર બે કાવ્યકૃતિઓ રચાઈ છે. પ્રથમ કૃતિ અઢારમી સદીમાં રચાયેલી અને તેનો લેખક કોઈ અજ્ઞાત કવિ હતો. અહોમ રાજાના સમયમાં એ કૃતિ રચાયેલી. બીજી કૃતિ રમાકાન્ત ચૌધરી(1846-1889)એ 1875માં રચેલી. ઓગણીસમી સદીની અંતિમ પચીસી આસામી ભાષા અને સાહિત્યનો નવોદયકાળ હતો. અંગ્રેજી સાહિત્યનો પરિચય વધતાં અનેક…

વધુ વાંચો >

અરુણોદય

અરુણોદય (1846થી 1888) : અસમિયા ભાષાનું સામયિક પત્ર. આસામના અમેરિકન બૅપ્ટિસ્ટ મિશને પ્રકટ કરેલું. શરૂઆતના અંકમાં જ જાહેર કરેલું કે ‘‘આ માસિક પત્ર ધર્મ, વિજ્ઞાન અને સામાન્ય બુદ્ધિમત્તાની વૃદ્ધિ માટે પ્રકટ કરવામાં આવે છે.’’ અહીં ધર્મનો અર્થ પ્રૉટેસ્ટંટ થાય છે. પણ એની દ્વારા જે ધર્મપ્રચાર થયો તે આક્રમક ન હતો.…

વધુ વાંચો >

અલકનંદા

અલકનંદા (1967) : આસામનાં અર્વાચીન રહસ્યવાદી કવયિત્રી  નલિનીબાલાદેવી(1899-1977)નો છઠ્ઠો કાવ્યસંગ્રહ. 1968માં એમને આ પુસ્તક માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયો હતો. યૌવનના ઉંબરે પ્રવેશતાં જ વિધવા થયેલાં નલિનીબાલાને ગીતા અને ઉપનિષદે, શંકરદેવના વૈષ્ણવ સાહિત્યે તથા રવીન્દ્રનાથની કવિતાએ ધૃતિ આપીને એમના જીવનમાં પ્રેરણાનું સિંચન કર્યું હતું. આ સંગ્રહમાંની કવિતામાં એમણે પ્રત્યેક…

વધુ વાંચો >

અંકિયાનાટ

અંકિયાનાટ : મધ્યકાલીન અસમિયા નાટ્યપ્રકાર. તેને પ્રચલિત કરનાર શંકરદેવ. અન્ય કેટલીક ભારતીય ભાષાઓમાં પણ શંકરદેવે નાટ્યસ્વરૂપ ખેડ્યું હતું. એમણે આસામની બહાર રામલીલા, યાત્રા વગેરે લોકનાટકો જોયેલાં, તે પરથી ધર્મપ્રચારને માટે લોકનાટ્ય અમોલું માધ્યમ લાગેલું. એ સમયે આસામમાં ‘ઓજાપાલી’ નામના લોકનાટ્યનું પ્રચલન હતું. શંકરદેવે ઓજાપાલીને સંસ્કૃત નાટકનો અનુરૂપ ઘાટ આપીને ‘અંકિયાનાટ’…

વધુ વાંચો >

આઇનામ

આઇનામ : અસમિયા લોકગીતનો એક પ્રકાર. આ ગીતો આસામની સ્ત્રીઓ શીતળાદેવીને પ્રસન્ન કરવા ગાય છે. આઇ એટલે મા. જેમાં આઇના નામનો જપ હોય તે આઇનામ. આઇનામનાં ગીતો દ્વારા દેવીની સ્તુતિ થાય છે. આ ગીતોને ‘ફૂલો’ તરીકે ઓળખવામાં આવે છે. આઇને ખુશ કરવા માટે અમુક દિવસે આ ગીતો ગવાય છે અને…

વધુ વાંચો >