પશુપાલન

ઇન્ટરનેશનલ લાઇવસ્ટૉક સેન્ટર ફૉર આફ્રિકા

ઇન્ટરનેશનલ લાઇવસ્ટૉક સેન્ટર ફૉર આફ્રિકા : ઉષ્ણકટિબંધના આફ્રિકન દેશોમાં પશુસંવર્ધન અને તેની પેદાશોના વેચાણક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવી આમજનતાનું જીવનધોરણ સુધારવાના ઉદ્દેશથી એડિસ અબાબા(ઇથોપિયા)માં 1976માં સ્થાપવામાં આવેલું કેન્દ્ર. આ મથક આફ્રિકાના ઉષ્ણકટિબંધના ઊંચાણવાળા વિસ્તારોના પશુસંવર્ધનને લગતા પ્રશ્નો ઉપર સંશોધન કરે છે. આ ઉપરાંત સૂકા પ્રદેશો, ભેજવાળા પ્રદેશો અને વિશાળ ચરિયાણ ધરાવતા…

વધુ વાંચો >

કૃત્રિમ બીજદાન (પશુવિજ્ઞાન)

કૃત્રિમ બીજદાન (પશુવિજ્ઞાન) સારા નરનું વીર્ય મેળવી, તેની ચકાસણી કરી, વેતરે આવેલ માદાના ગર્ભાશયમાં મૂકવાની રીત. પશુસંવર્ધનની આ પદ્ધતિ સદીઓ પુરાણી છે અને દિન-પ્રતિદિન તેમાં ઘણા સુધારા થતાં આજે વિશ્વભરમાં પશુપ્રજનનક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ગાયો-ભેંસોનું સરેરાશ દૂધ-ઉત્પાદન દેશની જરૂરિયાત કરતાં અને બીજા વિકસિત દેશોની ગાયોની સરખામણીમાં…

વધુ વાંચો >

ખરવાસા અને મોંવાસાનો રોગ

ખરવાસા અને મોંવાસાનો રોગ (foot and mouth disease) : ખરીવાળા દરેક જાનવરને થતો વિષાણુજન્ય ચેપી રોગ. આ રોગ મુખ્યત્વે ત્રણ પ્રકારના વિષાણુઓ(O, A અને C)થી થાય છે. જોકે આ રોગ માટે કારણભૂત ગણાતા અને એકબીજાથી જુદા તરી આવતા આશરે 60 પ્રકારના વિષાણુઓ શોધાયેલા છે. સામાન્ય રીતે આ રોગ આફ્રિકા, યુરોપ…

વધુ વાંચો >

દેસાઈ, મણિભાઈ ભીમભાઈ

દેસાઈ, મણિભાઈ ભીમભાઈ (જ. 27 એપ્રિલ 192૦; અ. 14 નવેમ્બર 1993, પુણે) : ગાંધીવાદી રચનાત્મક કાર્યકર. સ્વાતંત્ર્યસૈનિક. વતન કોસમાડા, જિલ્લો સૂરત. પિતા ખેતી કરતા. માતાનું નામ રામીબહેન. મૅટ્રિકની પરીક્ષા પસાર કરી 1938માં. સૂરતમાં વિજ્ઞાનની કૉલેજમાં જોડાયા; પરંતુ ગાંધીજીના પ્રભાવથી, છેલ્લા વર્ષમાં અભ્યાસ છોડી, 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં જોડાયા. ભૂગર્ભમાં રહી…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુસંવર્ધન

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >

મરઘાં (Fowl)

મરઘાં (Fowl) : ખોરાકી માંસ અને ઈંડાંની પ્રાપ્તિ માટે ઉછેરાતા પક્ષીની એક જાત. તે દુનિયામાં સર્વત્ર જોવા મળે છે. વર્ગીકરણની ર્દષ્ટિએ મરઘાં વિહગ વર્ગનાં ગૅલીફોર્મિસ શ્રેણીનાં ફૅસિયાનિડે કુળનાં  છે. શાસ્ત્રીય નામ, Gallus domesticus. તેને પીંછાં અને પાંખ હોય છે. તે ઊડી પણ શકે છે, પરંતુ મોટેભાગે પ્રચલન માટે પગોનો ઉપયોગ…

વધુ વાંચો >

લૅનોલિન (lanolin)

લૅનોલિન (lanolin) : ઘેટાના કાચા (raw) ઊન પર રહેલા મીણ જેવા ચીકણા આવરણમાંથી મળતો પદાર્થ. કાંતણ માટે તૈયાર કરાતા ઊનની તે આડપેદાશ છે. ઊનને યોગ્ય દ્રાવકની માવજત આપવાથી મળતા અપરિષ્કૃત (crude) ગ્રીઝ અથવા મીણને પાણીમાં મસળી અથવા સાબુના દ્રાવણ વડે તેનું અભિમાર્જન (scouring) કરી, અપકેન્દ્રણ કરવામાં આવે છે. આ રીતે…

વધુ વાંચો >