સુશર્મા : મહાભારતના સમયમાં ત્રિગર્ત દેશનો રાજા. તે શરૂથી કૌરવોના પક્ષમાં હતો અને પાંડવોનો વિરોધી હતો. પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન તેણે વિરાટની ગાયોનું અપહરણ કરીને વિરાટને કેદ કર્યો હતો; પરંતુ ભીમસેને તેને કેદ કરીને યુધિષ્ઠિર સમક્ષ રજૂ કર્યો. યુધિષ્ઠિરે તેને છોડી મૂક્યો. મહાભારતના યુદ્ધમાં તેણે તથા તેના ભાઈઓએ અર્જુનવધની પ્રતિજ્ઞા લીધી હતી; પરન્તુ તેઓ સૌ અર્જુનના હાથે મરાયા.

જયકુમાર ર. શુક્લ