શેખ, મહમૂદ ઈરજી (. . . 1458) : ગુજરાતમાં આવીને વસેલા સૂફી સંત. તે શેખ અહમદ ખટ્ટૂ ગંજબક્ષના ભાવિક મુરીદ (શિષ્ય) હતા. તેમણે તેમના ‘તૌહ્ફતુલ્મજાલિસ’ (મજલિસોને ભેટ) નામના ગ્રંથમાં એમના ધર્મગુરુ (પીર) હજરત શેખ અહમદના અવસાન સુધીનાં રોજિંદાં કથનો તથા તેમના જીવનનાં છેલ્લાં વરસોમાં તેમના થયેલા ચમત્કારો સાદી તથા સરલ ભાષામાં નોંધ્યા છે. ગુજરાતમાં તે સમયે બોલાતી ફારસી ભાષાનો આ ગ્રંથ ઉત્તમ નમૂનો છે.

જયકુમાર ર. શુક્લ