શશીગુપ્ત : ઈ.પૂ. ચોથી સદીમાં ભારતની વાયવ્ય સરહદના એક રાજ્યનો રાજા. ભારત ઉપર મેસિડોનિયાના રાજા સિકંદરે (ઍલેક્ઝાંડર) આક્રમણ કર્યું (ઈ.પૂ. 327) ત્યારે તેણે અને તક્ષશિલાના આંભીકુમારે સિકંદરને મદદ કરી હતી. તેથી તેઓ બંને ઇતિહાસમાં પ્રથમ દેશદ્રોહીઓ તરીકે નોંધાયા છે.

જયકુમાર ર. શુક્લ