આહવાન પત્રિકા (1929-1939) : અસમિયા સાહિત્યિક માસિક. કૉલકાતાથી 1929માં પ્રથમ પ્રગટ થયું ને દશ વર્ષ ચાલ્યું. આ સામયિક આસામની બહારથી પ્રગટ થતું હોવાથી, એમાં સમકાલીન બંગાળી સાહિત્યની ઉત્તમ કૃતિઓ પણ પ્રગટ થતી. તે રીતે તેની દ્વારા અસમિયા સાહિત્યમાં વાસ્તવવાદ, સામ્યવાદ, ફ્રૉઇડનું મનોવિજ્ઞાન ઇત્યાદિ નવી સાહિત્યિક ધારાઓ પ્રવેશી. આથી આ માસિકને આશ્રયે જે સાહિત્ય પ્રગટ થયું તેને ‘આહવાનયુગ’નું સાહિત્ય કહેવાય છે. એ રીતે અસમિયા સાહિત્યનાં વહેણ બદલવામાં ‘આહવાન’નું બહુ મોટું યોગદાન હતું.

પ્રીતિ બરુઆ