અમરચંદ્રસૂરિ (12મી સદી)

January, 2001

અમરચંદ્રસૂરિ (12મી સદી) : નાગેંદ્રગચ્છના વિદ્વાન જૈનાચાર્ય. તેઓ સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા. તેઓ ‘નાગેન્દ્રગચ્છ’ના આચાર્ય શાંતિસૂરિના શિષ્ય હતા. તેમણે તથા તેમના ગુરુભાઈ આનંદસૂરિએ બાલ્યાવસ્થામાં જ સમર્થ આચાર્યોને વાદવિવાદમાં હરાવ્યા હતા, તેથી રાજા સિદ્ધરાજ જયસિંહે આચાર્ય અમરચંદ્રસૂરિને ‘સિંહશિશુક’ અને આનંદસૂરિને ‘વ્યાઘ્રશિશુક’ એવાં બિરુદો આપ્યાં હતાં. આચાર્ય અમરચંદ્રસૂરિએ ‘સિદ્ધાંતાર્ણવ’ નામનો ગ્રંથ રચ્યો હતો.

દેવેન્દ્ર ભટ્ટ