Religious mythology

સુખાવતીલોકેશ્વર

સુખાવતીલોકેશ્વર : નેપાળમાં પ્રચલિત બોધિસત્વ અવલોકિતેશ્વરનું એક વિશિષ્ટ સ્વરૂપ. અમૃતાનંદરચિતા ‘ધર્મકોશસંગ્રહ’માં આ સ્વરૂપનું વર્ણન મળે છે. અવલોકિતેશ્વર વર્તમાન ભદ્રકલ્પના અધિષ્ઠાતા મનાતા હોઈ વર્તમાન જગતના રક્ષણની જવાબદારી એમના શિરે છે. સાધનમાલામાં અવલોકિતેશ્વરનાં લગભગ 31 સાધનો જાણવા મળે છે, જે એમની જે-તે સ્વરૂપની ઉપાસનાનાં સૂચક છે. આમાંથી 15 સાધનોનું વર્ણન સાધનમાલામાં પ્રાપ્ત…

વધુ વાંચો >

સુદર્શનચક્ર

સુદર્શનચક્ર : ભગવાન વિષ્ણુનું એક જાણીતું આયુધ. तेजस्तत्त्व सुदशनिम्(ભાગવતપુરાણ 12-11-14)માં તેને તેજતત્વ કહ્યું છે. ગોપાલોત્તરતાપનીય ઉપનિષદ (25) અનુસાર બાળકસમું અતિચંચળ સમદૃષ્ટિમન જ સુદર્શનચક્ર છે. (बालस्वरूपमित्यन्तं मनश्चक्रं निगद्यते ।)સુદર્શનચક્રનો મંત્ર जं खं वं सुदर्शनाय नम: છે. તે અગ્નિપુરાણમાં મળે છે. અગ્નિપુરાણમાં સુદર્શનચક્રનાં ન્યાસ, ધ્યાન વગેરેનું વર્ણન પણ છે. ‘सहस्रार हुं फट्…

વધુ વાંચો >

સુન્નત

સુન્નત : પયગંબરસાહેબનાં અને સહાબીઓનાં વાણી અને વર્તનની પરંપરાને વર્ણવતા ગ્રંથો. અરબી ભાષામાં ‘સુન્નત’ એટલે માર્ગ, પદ્ધતિ, રીત વગેરે. પવિત્ર કુરાનમાં ‘સુન્નત’નો અર્થ અલ્લાહનો અર્થ અલ્લાહનો કાનૂન અને કાયદો થાય છે. ‘સુન્નત’નું બહુવચન ‘સુનન’ થાય છે. ઇસ્લામમાં પયગંબર મુહમ્મદ (સ. અ. વ.) તથા તેમની પહેલાંના પયગંબરોનાં વચનો તથા વ્યવહારને સુન્નત…

વધુ વાંચો >

સુન્નત વલ જમાઅત

સુન્નત વલ જમાઅત : પયગંબરસાહેબના અને સહાબીઓનાં વાણી-વર્તનને સહી અનુસરી જન્નતમાં જનારા મુસલમાનો. ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર મુહમ્મદ(સ.અ.વ.)ની વાણી અને વર્તનને સુન્નત કહેવામાં આવે છે અને તેમના સહાબીઓ, વિશેષ કરીને પ્રથમ ચાર ખલીફાઓ હજરત અબૂબક્ર, હ. ઉમર, હ. ઉસ્માન અને હ. અલીએ જે બાબતોમાં સંમતિ દર્શાવી હોય તથા મોટાભાગના મુસ્લિમો…

વધુ વાંચો >

સુન્ની

સુન્ની : ઇસ્લામની1 મૂળ અને રૂઢિચુસ્ત પરંપરાઓ માનનાર અને પાળનાર. આ શબ્દ અરબી ભાષાના ‘સુન્ન:’ શબ્દ ઉપરથી બન્યો છે. ‘સુન્ન:’ એટલે રૂઢિ. પવિત્ર કુરાનમાં મુસ્લિમોને અલ્લાહની આજ્ઞાઓ અને મુહમ્મદ રસૂલુલ્લાહ(સ.અ.વ.)ની સુન્નતો અર્થાત્ રૂઢિઓને માનવા અને પાળવાની આજ્ઞા આપવામાં આવી છે. એટલે કે દરેક મુસ્લિમ અલ્લાહની આજ્ઞાઓ પાળવાની સાથે સાથે પયગંબરસાહેબે,…

વધુ વાંચો >

સુપાર્શ્ર્વનાથ તીર્થંકર

સુપાર્શ્ર્વનાથ તીર્થંકર : જૈન ધર્મના સાતમા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર પૂર્વજન્મમાં તેઓ ધાતકીખંડ પૂર્વ વિદેહ ક્ષેત્રના રમણીય-વિજયમાં ક્ષેમપુરી નામે નગરીમાં સર્વ જીવોના કલ્યાણની વાંછા કરનાર નંદિષેણ નામે રાજા હતા. અરિદમન નામના આચાર્ય ભગવંત પાસે સંયમ સ્વીકારી, અનેકવિધ આરાધનાઓ કરી, વીશસ્થાનકની સાધના દ્વારા તીર્થંકર નામકર્મની નિકાચના કરી, સમાધિમરણ પામી તેઓ છઠ્ઠા…

વધુ વાંચો >

સુમતિનાથ તીર્થંકર

સુમતિનાથ તીર્થંકર : જૈન ધર્મના પાંચમા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર પૂર્વજન્મમાં તેઓ જંબૂદ્વીપના પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં શંખપુર નામે સુંદર નગરીમાં સર્વત્ર વિજયપતાકા ફેલાવનાર વિજયસેન નામે રાજા અને સુદર્શના નામે રાણીના પુરુષસિંહ નામે પુત્ર હતા. યુવાવસ્થાને પામેલા કુમાર પુરુષસિંહ દેવાંગનાઓ સમાન આઠ કન્યાઓને પરણ્યા, પણ યુવાવસ્થામાં જ વિનયનંદન નામના સૂરિ ભગવંતના…

વધુ વાંચો >

સુમેરુ

સુમેરુ : મેરુ પર્વત. એક મોટો ને ઊંચો પૌરાણિક પર્વત; સોનાનો પર્વત. વૈવસ્વત મનુ (અથવા સત્યવ્રત) જળપ્રલય વખતે વહાણમાં બેસી નીકળ્યા હતા ને મચ્છરૂપ નારાયણે તેઓને બચાવ્યા હતા. તે વહાણ જળ ઓસર્યા બાદ સુમેરુ પર્વત ઉપર થોભ્યું હતું. તે પર્વત વિશે વિદ્વાનો એવું અનુમાન કરે છે કે તે પ્રદેશ તાતાર…

વધુ વાંચો >

સૂફીવાદ

સૂફીવાદ : ઇસ્લામ ધર્મનો રહસ્યવાદી પંથ. ‘સૂફી’ શબ્દને વિદ્વાનોએ જુદી જુદી રીતે સમજાવ્યો છે; પરંતુ તેની મહત્ત્વની વ્યુત્પત્તિ છે – ‘સૂફ’ એટલે ‘ઊન’ પરથી ઊનનાં કપડાં પહેરનારા સાધકો. બીજી મહત્ત્વની વ્યુત્પત્તિ છે – ‘સફા’ એટલે ‘પવિત્રતા’ પરથી ખુદાનો પ્રેમ મેળવવા આવશ્યક એવી પવિત્રતાવાળા સાધકો. સૂફીસાધકો ખુદાના ઇશ્ક(પ્રેમ)માં મગ્ન રહેનારા, સાંસારિક…

વધુ વાંચો >

સૂર્યપૂજા

સૂર્યપૂજા : વિશ્વના આદિદેવ સૂર્યની પૂજા. સૂર્ય ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ એક સળગતો ગોળો છે. જુદા જુદા જલદી સળગી ઊઠે તેવા વાયુઓ સૂર્યની ભઠ્ઠી(ઊખા)ની રાસાયણિક પ્રક્રિયા જીવિત રાખે છે. તેમાંથી જન્મતાં ઉષ્ણતા અને પ્રકાશ ઘણા કિલોમિટરો સુધી પથરાય છે. તેનો અખૂટ જથ્થો ઘણાં વર્ષોથી ચાલે છે. મુખ્યત્વે સૂર્ય પ્રકાશ અને ઉષ્ણતા આપે…

વધુ વાંચો >