Religious mythology
શિમૂક
શિમૂક : દક્ષિણ હિંદની આંધ્ર જાતિના સાતવાહન રાજવંશનો સ્થાપક અને પ્રથમ રાજવી. કણ્વ વંશના છેલ્લા રાજવી સુશર્મનને હરાવીને શિમૂકે દક્ષિણ હિંદમાં પોતાના સાતવાહન કુળના રાજવંશની સ્થાપના ઈ. પૂ. 30માં કરી હતી. અભિલેખોમાં એનો ઉલ્લેખ ‘શિમૂક’ તરીકે, જ્યારે પુરાણોમાં એનો ઉલ્લેખ ‘શિશૂક’ ‘શિપ્રક’ અને ‘સિન્ધુક’ તરીકે થયેલો છે. નાનાઘાટ, નાસિક, સાંચી…
વધુ વાંચો >શિયા
શિયા : ઇસ્લામ ધર્મનો સંપ્રદાય. મુસલમાનોમાં એક પેટાવિભાગ (ફિરકો) શિયા નામથી ઓળખાય છે અને શિયા ફિરકાના પણ બીજા અનેક પેટાવિભાગો છે. આ પેટાવિભાગોમાં બાર ઇમામોને માનનારો ઇસ્ના અશરિયા ફિરકો સૌથી મોટો છે. બીજો મહત્વનો પેટાવિભાગ ઇસ્માઇલી શિયાઓનો છે જે સાત ઇમામોને માને છે. અરબી ભાષામાં ‘શિયા’નો અર્થ ‘ટેકેદાર’, ‘પક્ષકાર’ (supporter)…
વધુ વાંચો >શિવ
શિવ : હિંદુ ધર્મના એક દેવ. ‘મહાદેવ’, ‘શંકર’, ‘શંભુ’, ‘ઈશ્વર’ જેવાં તેમનાં અન્ય નામો છે. તેઓ રુદ્ર રૂપે સૃષ્ટિસંહારનું મૂર્તિમંત સ્વરૂપ મનાય છે. ત્રિદેવની કલ્પનામાં બ્રહ્માને સૃષ્ટિના સર્જક, વિષ્ણુને સૃષ્ટિના પાલક તથા શિવ કે રુદ્રને સૃષ્ટિના સંહારક માનવામાં આવ્યા છે. વેદોમાં ‘શિવ’ નામ પ્રાપ્ત થતું નથી. જોકે ‘રુદ્ર’ માટે ‘શિવ’…
વધુ વાંચો >શિવાનંદ સ્વામી
શિવાનંદ સ્વામી (જ. 8 સપ્ટેમ્બર 1887, પટ્ટામડાઈ; અ. 14 જુલાઈ 1963, હૃષીકેશ) : આધ્યાત્મિક સાધક અને ‘દિવ્ય જીવન સંઘ’ના સ્થાપક. શિવાનંદ સ્વામીનું મૂળ નામ કુપ્પુસ્વામી અય્યર. તેમનો જન્મ તમિલનાડુના તેરૂનેલવેલી નજીક પટ્ટામડાઈ ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. માતાનું નામ પાર્વતી અમ્મલ અને પિતાનું નામ વેંગુ અય્યર. પિતા ભગવાન શંકરના ભક્ત.…
વધુ વાંચો >શિંગણાપુર-શનૈશ્ચર
શિંગણાપુર-શનૈશ્ચર : મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદથી આશરે 72 કિમી. જેટલા અંતરે અહમદનગર જિલ્લાના નેવાસા તાલુકામાં આવેલું નાનકડું ગામ. આ ગામ નાનું છે પરંતુ ભારતમાં તે શનિદેવની અસીમ કૃપાના ભંડાર સમું ચમત્કારપૂર્ણ બની રહેલું છે. અહીં મંદિરના આવરણ વિના માત્ર એક ચબૂતરા પર શનિદેવની પૂર્ણ કદની, 1.72 મીટર ઊંચી તથા 45 સેમી.…
વધુ વાંચો >શીખ ધર્મ
શીખ ધર્મ : શીખ એટલે શિષ્ય. ‘સિક્ખ’ શબ્દ સંસ્કૃત ‘શિષ્ય’ ઉપરથી ઊતરી આવેલો છે. કેટલાક માને છે કે પાલિ ‘સિખ’ (પસંદ કરેલા) પરથી એ બન્યો છે. – ઈશ્વરે પસંદ કરેલો, ભગવાનનો પોતાનો, ગુરુ ગોવિંદસિંહે ‘ખાલસા’ નામ આપ્યું – તેનો પણ આવો જ અર્થ ઘટાવી શકાય. ‘ખાલસા’ શબ્દ મૂળ ફારસી ‘ખાલીસહ’…
વધુ વાંચો >શીતલનાથ
શીતલનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં દસમા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર તેમના તીર્થંકરજન્મ પહેલાંના જન્મમાં તેઓ સુસીમા નગરીમાં પદ્મોત્તર રાજા હતા. રાજારૂપે તેમણે ધર્મપૂર્વક રાજ્યનું પાલન કરી કાળક્રમે વૈરાગ્ય પ્રબળ બનતાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી અને તપ-આરાધના કરતાં કરતાં ‘તીર્થંકર’ નામગોત્ર પ્રાપ્ત કર્યું હતું. કાળ કરીને અર્થાત્ મૃત્યુ પછી તેઓ…
વધુ વાંચો >શીતળા માતા
શીતળા માતા : હિંદુ ધર્મમાં વિવિધ રૂપે વ્યાપકપણે પૂજાતી એક દેવી. તે શીતળાના રોગની અધિષ્ઠાત્રી મનાય છે. તેની પૂજા કરનારી સ્ત્રીને વૈધવ્ય આવતું નથી એવી અનુશ્રુતિ છે. ગુજરાતમાં શ્રાવણ વદ સાતમના દિવસે આ દેવીનું વ્રત કરવાનું વિધાન છે. એ દિવસને શીતળા સાતમ કહે છે. વ્રતની વિશેષતા એ છે કે એ…
વધુ વાંચો >શીલગુણસૂરિ
શીલગુણસૂરિ (ઈસુની 8મી સદી) : વનવૃક્ષ પર બાંધેલી ઝોળીમાં અદ્ભુત લક્ષણવાળા બાળકને જોઈને, તેને વનરાજ નામ આપી, જીવનનિર્વાહની વ્યવસ્થા કરનાર જૈન આચાર્ય. જૈન પ્રબંધો મુજબ વનરાજનું બાળપણ વઢિયાર પ્રદેશના પંચાસર ગામમાં વીત્યું હતું. ત્યાંથી પસાર થતાં જૈનાચાર્ય શીલગુણસૂરિએ તે શિશુને જોયો. તેનામાં તેમને અદ્ભુત લક્ષણો જણાયાં. તેથી લાકડાં વીણતી તેની…
વધુ વાંચો >શુકદેવ
શુકદેવ : ‘મહાભારત’ તથા ‘ભાગવત’ મહાપુરાણનું એક અમર પાત્ર. તેમના વિશેની માહિતી ‘મહાભારત’, ‘ભાગવત’, ‘દેવીભાગવત’, ‘મત્સ્યપુરાણ’, ‘હરિવંશ’ આદિ પ્રતિષ્ઠિત ગ્રન્થો પૂરી પાડે છે. તે એક વિશિષ્ટ પ્રકારનું પાત્ર છેવટ સુધી રહ્યા છે. જન્મ : આ અંગે ત્રણ અનુશ્રુતિઓ મળે છે : (1) વડોદરાના મ. સ. વિશ્વવિદ્યાલયના પ્રાચ્યવિદ્યા મન્દિર દ્વારા ગાયકવાડ્ઝ…
વધુ વાંચો >