Religious mythology
ભાગવતપુરાણ
ભાગવતપુરાણ : ભારતીય 18 મુખ્ય પુરાણોમાંનું જાણીતું 8મું પુરાણ. ભાગવત પારમહંસ સંહિતા ગણાય છે. વિવિધ દાર્શનિક ઉપદેશ, જીવનદર્શન, વિવિધ ભગવત્સ્તુતિઓ, ભૂગોળ, ખગોળ આદિનું નિરૂપણ કરતા ભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર કેન્દ્રસ્થાને છે. ભાગવતપુરાણમાં 12 સ્કન્ધ છે; 335 અધ્યાય અને 18 હજાર શ્લોક છે એ વાત સર્વસ્વીકૃત છે. આમ છતાં અધ્યાય અને…
વધુ વાંચો >ભાગવત સંપ્રદાય
ભાગવત સંપ્રદાય : હિંદુ ધર્મનો બહુધા વૈષ્ણવ સંપ્રદાય નામે ઓળખાતો પ્રાચીન સંપ્રદાય. ભગવાન અને તેના અવતારોમાં આસ્થા તેમજ તેની ભક્તિ – એ તત્વોને લીધે તેની લોકપ્રિયતા વિશેષ થયેલી જોવામાં આવે છે. સંપ્રદાયના મુખ્ય ઉપાસ્ય દેવ વાસુદેવ છે. તેઓ જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, ઐશ્વર્ય અને તેજ – એ છ ગુણોથી પરિપૂર્ણ…
વધુ વાંચો >ભિખ્ખુ
ભિખ્ખુ : બૌદ્ધ ધર્મનો સાધુ. તે નમ્ર, ગુરુની આજ્ઞાનો પાલક, કષ્ટ અને વિઘ્ન સહન કરનારો, પવિત્ર અંત:કરણવાળો, સ્થિર મનનો અને બીજાએ આપેલ ભોજનથી જીવન વિતાવનારો હોય છે. ભિક્ષુઓમાં સંન્યાસી, બ્રહ્મચારી, વિદ્યાર્થી, ગુરુનું પોષણ કરનાર, પ્રવાસી અને પરાન્નભોજી એવા 6 પ્રકારો હોય છે. બ્રહ્મદેશમાં તેને પુંગી કહે છે અને તે લોકોની…
વધુ વાંચો >ભીખાનંદી પંથ
ભીખાનંદી પંથ : ભારતના ઉત્તર પ્રદેશમાં પ્રચલિત અદ્વૈતવાદી ભક્તિસંપ્રદાય. આઝમગઢ(ઉ.પ્ર.)ના ખાનપુર બોહના ગામના સંત ભીખાનંદે (જ. ઈ. સ. 1714; અ. 1792) આ પંથ પ્રવર્તાવ્યો હતો. બ્રાહ્મણ (ચોબે) પરિવારના ભીખાનંદને નાનપણથી જ સાધુસંતોની સંગત પસંદ હતી. 12મે વર્ષે તેમને સંસારમાં જોડવા માટે તેમનાં લગ્ન લેવાયાં ત્યારે તે ઘર છોડીને દેશાટન માટે…
વધુ વાંચો >ભીમ (1)
ભીમ (1) : મહાભારતનું જાણીતું પાત્ર. ભીમ તે ચંદ્રવંશી રાજા પાંડુની જ્યેષ્ઠ પત્ની કુન્તીના ત્રણમાંનો વચેટ પુત્ર અને પાંચમાંનો દ્વિતીય પાંડવ. વાયુદેવના મંત્રપ્રભાવથી જન્મેલા આ વાયુપુત્રનું શારીરિક બળ અસામાન્ય અને ભયપ્રદ હોવાથી તેને ‘ભીમ’ નામ મળ્યું. અતિપ્રદીપ્ત જઠરાગ્નિને કારણે તેનો આહાર અતિશય હોવાથી તે ‘વૃકોદર’ પણ કહેવાતો. બલરામનો આ શિષ્ય…
વધુ વાંચો >ભીષ્મ
ભીષ્મ : મહાભારતનું જાણીતું પાત્ર. રાજા શંતનુને ગંગાથી મળેલા આઠમાંના કનિષ્ઠ પુત્ર ગાંગેયની દેહકાંતિ દેવ જેવી દેદીપ્યમાન અને વ્રત-નિષ્ઠા નિશ્ચલ હોવાથી, તેમને ‘દેવવ્રત’ નામ મળ્યું. તેમના સાત અંગ્રજો મૃત્યુ પામ્યા હોવાથી, રાજ્યના તેઓ અધિકૃત વારસ હતા. દ્યુ નામના વસુના તેઓ અવતાર હતા. ‘પોતાનો દૌહિત્ર જ શંતનુ પછી રાજ્ય-વારસ બને’ એવી…
વધુ વાંચો >ભૂમાનંદ સ્વામી
ભૂમાનંદ સ્વામી (જ. 1796, કેશિયા; અ. 1868, માણસા) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંતકવિઓમાંના એક. પૂર્વાશ્રમનું નામ રૂપજી. પિતા રામજીભાઈ રાઠોડ. માતા કુંવરબાઈ. જ્ઞાતિ કડિયા. બાળ રૂપજીને સામાન્ય વિષયોમાં પણ પદ્યબંધ રચવાની સ્વાભાવિક ટેવ હતી. મોટા થઈ તેઓ આજીવિકાર્થે જીરાગઢ અને તરધરીમાં પણ રહ્યા હતા. સંસારના કટુ પ્રસંગો જોઈ તેમણે લગ્ન…
વધુ વાંચો >ભૃગુ
ભૃગુ : પ્રાચીન ભારતના પ્રભાવશાળી ઋષિ. ભાગવત વગેરે પુરાણો મુજબ તેઓ મહર્ષિ હતા અને મંત્રદ્રષ્ટા લેખક હતા. તેઓ શિવના પુત્ર હોવાની એક માન્યતા છે. તેમની પત્ની ખ્યાતિ કર્દમ ઋષિની દીકરી હતી. ભૃગુ ઋષિની પ્રથમ પત્ની ખ્યાતિ બે પુત્રો અને એક પુત્રીની માતા હતી. આ પુત્રીનું નામ ભાર્ગવી લક્ષ્મી હતું. તેને…
વધુ વાંચો >ભૃગુઓ–ભૃગુક્ષેત્ર
ભૃગુઓ–ભૃગુક્ષેત્ર : એક અતિપ્રાચીન ઋષિકુળ. અથર્વવેદ, બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમના વિશે માહિતી પ્રાપ્ય છે. તેમના આદ્યપુરુષ ભૃગુ હતા અને તેમના નામે ભાર્ગવવંશ ઓળખાયો. બ્રહ્માના આઠ પુત્રોમાં ભૃગુ, અંગિરસ, મરીચિ, અત્રિ, વસિષ્ઠ, પુલસ્ત્ય, પુલહ અને ક્રતુનો ઉલ્લેખ છે. જ્યારે વિષ્ણુપુરાણના જણાવ્યા પ્રમાણે ભૃગુ બ્રહ્માના માનસપુત્ર હતા અને દસ…
વધુ વાંચો >ભૈરવ–1
ભૈરવ–1 : શિવની ઘોર ભાવનાને વ્યક્ત કરતું સ્વરૂપ. મોટે ભાગે નગ્ન પ્રતિમા પ્રાપ્ત થાય છે. પગમાં પાવડીઓ અને સાથીદાર તરીકે કૂતરો અચૂક જોવામાં આવે છે. વિષ્ણુધર્મોત્તરમાં જણાવ્યા મુજબ ભૈરવના ગળામાં મુંડમાલા ધારણ થયેલી હોય છે. અસંખ્ય ભુજા ધરાવતી મૂર્તિઓમાં અનેક અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરેલાં દર્શાવાય છે. ભૈરવના મસ્તક પરની જટામાંથી અગ્નિજ્વાલા…
વધુ વાંચો >