Religious mythology
ગોવિંદાચાર્ય
ગોવિંદાચાર્ય : ગોંડપાદાચાર્યના શિષ્ય. કેવલાદ્વૈત મતની ગુરુશિષ્યપરંપરામાં નારાયણ, બ્રહ્મા, વસિષ્ઠ, શક્તિ, પરાશર, વ્યાસ, શુક, ગૌડપાદ, ગોવિંદ અને શંકરાચાર્ય – એ ક્રમમાં નામાવલિ છે. આ પરંપરામાં નારાયણ અને બ્રહ્મા દૈવ કોટિના ગુરુ છે. વસિષ્ઠ, શક્તિ, પરાશર અને વ્યાસ આર્ષ કોટિના છે. શુક, ગૌડપાદ અને ગોવિંદ સિદ્ધ કોટિના છે. આ પરંપરામાં આદ્ય…
વધુ વાંચો >ગૌડપાદાચાર્ય
ગૌડપાદાચાર્ય : આદ્ય શંકરાચાર્યના ગુરુ ગોવિંદાચાર્યના પણ ગુરુ અર્થાત્ શંકરાચાર્યના પરમ ગુરુ. તેમની પાસેથી શંકરાચાર્યે બ્રહ્મવિદ્યાના સિદ્ધાન્તોનું જ્ઞાન મેળવ્યું હતું. માંડૂક્યકારિકાભાષ્ય પરની ટીકામાં આનંદગિરિ જણાવે છે કે ગૌડપાદ નર-નારાયણના પવિત્ર ધામ બદરિકાશ્રમમાં રહીને ધ્યાન ધરતા હતા તેથી પ્રસન્ન થઈને ભગવાન નારાયણે તેમને ઉપનિષદોનું રહસ્યાત્મક જ્ઞાન આપ્યું. શક્ય છે કે તેઓ…
વધુ વાંચો >ગૌણી ભક્તિ
ગૌણી ભક્તિ : દેવાર્ચન, ભજન-સેવાની પ્રવૃત્તિ. એને સાધન-ભક્તિ પણ કહે છે. પરાભક્તિની ભૂમિકામાં પ્રવેશ માટેનું આ પહેલું પગથિયું છે. એનાથી પરાભક્તિની સાધનામાં આવતી અનેક બાધાઓ દૂર થાય છે. નારદભક્તિસૂત્રમાં ગુણભેદ અનુસાર એના ત્રણ પ્રકારો બતાવ્યા છે : (1) સાત્વિકી – જેમાં કેવળ ભક્તિ માટે જ ભક્તિ કરવામાં આવે છે. (2)…
વધુ વાંચો >ગૌતમ ધર્મસૂત્ર
ગૌતમ ધર્મસૂત્ર : જુઓ ધર્મસૂત્ર.
વધુ વાંચો >ગ્રહશાન્તિ
ગ્રહશાન્તિ : મનુષ્યજીવન પર ગ્રહોની થતી વિપરીત અસરની શાન્તિ અર્થે તેમજ શુભ અસરની પુષ્ટિ અર્થે કરાતો યજ્ઞ. સૂર્ય, ચંદ્ર આદિ ખગોલીય પિંડો તેમની સારીમાઠી અસર દ્વારા મનુષ્યને ગ્રહણ કરે છે – પકડે છે, તેથી તે ગ્રહ કહેવાય છે. गृहणन्ति इति ग्रहा: (ग्रह् + अच्) એવી તે શબ્દની વ્યુત્પત્તિ છે. વૈદિક…
વધુ વાંચો >ગ્રંથસાહિબ (શ્રી ગુરુ)
ગ્રંથસાહિબ (શ્રી ગુરુ) : શીખ ધર્મનું મહામાન્ય પુસ્તક. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવજીએ આ ગ્રંથ ઈ. સ. 1604માં શરૂ કર્યો. રામસર (અમૃતસર) મુકામે પ્રથમ ચાર ગુરુસાહેબોની વાણી, પોતાની રચના અને ભક્તોની વાણી એકત્ર કરીને 1605માં ભાઈ ગુરુદાસજીના વરદ હસ્તે તે પૂર્ણ થયો. ગ્રંથની આ મૂળ પ્રત અત્યારે કરતારપુરના ગુરુદ્વારામાં છે. પછી…
વધુ વાંચો >ગ્રેગરી ધ ગ્રેટ 1
ગ્રેગરી ધ ગ્રેટ 1 (જ. 540, રોમ; અ. 12 માર્ચ 604, રોમ) : રોમન કૅથલિક દેવળના વડા અને મહાન ખ્રિસ્તી ધર્મગુરુ તરીકે ઓળખાતા રોમના પોપ. તેમનું કુટુંબ રોમમાં વિખ્યાત હતું. રોમન સમ્રાટ જસ્ટિન 2ના સમયમાં તેમની રોમના પ્રીટૉર (praetor) તરીકે નિમણૂક થઈ હતી. થોડા સમય પછી તેઓ ખ્રિસ્તી મઠમાં દાખલ…
વધુ વાંચો >ગ્રેગરી ધ ગ્રેટ 7
ગ્રેગરી ધ ગ્રેટ 7 (જ. 1020, સોઆનો, ઇટાલી, ટસ્કની; અ. 25 મે 1085, સાલેર્નો) : મધ્ય યુગના રોમન કૅથલિક ચર્ચના ‘મહાન’ પોપ. તેઓ જર્મન કુળના હિલ્ડબ્રાન્ડ નામના પરિવારમાં જન્મ્યા હતા. શિક્ષણ ઇટાલીના રોમન ખ્રિસ્તી મઠમાં લીધું. એ પછી તેઓ ફ્રાન્સના ક્લૂનીમાં પાદરી બન્યા. જર્મનીના રાજા હેન્રી 3ના દરબારમાં સારા વક્તા…
વધુ વાંચો >ઘોષા કાક્ષીવતી
ઘોષા કાક્ષીવતી : ઋગ્વેદની ઋષિકા. ઋષિ દીર્ઘતમાના પુત્ર કક્ષીવાનની પુત્રી. મંત્રદર્શન તેને વારસામાં મળ્યું હતું. બાલ્યાવસ્થામાં જ તેને કુષ્ઠરોગ થયો હતો તેથી કોઈ યુવકે તેને પસંદ કરેલી નહિ. આમ ઘોષા અપરિણીત અવસ્થામાં સાઠ વર્ષ સુધી પિતાને ત્યાં જ હતી. પિતા કક્ષીવાને અશ્વિનીકુમારોને પ્રસન્ન કરી પુનર્યૌવન પ્રાપ્ત કરેલું તેમાંથી પ્રેરણા લઈ…
વધુ વાંચો >ચતુર્ભુજદાસ (અષ્ટ છાપી)
ચતુર્ભુજદાસ (અષ્ટ છાપી) (જ. 1530; અ. 1585) : પુષ્ટિમાર્ગના અષ્ટ છાપ ભક્ત કવિઓ પૈકીના એક. ‘બસ બાવન વૈષ્ણવોની વાર્તા’માં તેમજ ‘અષ્ટસખાની વાર્તા’માં એમનું ચરિત મળે છે. ‘સંપ્રદાય કલ્પદ્રુમ’ અનુસાર અષ્ટછાપના કવિ કુંભનદાસનું તેઓ સાતમું સંતાન હતા. ગોવર્ધનની નિકટના જમુનાવતી નામના ગામે તેમનોજન્મ થયો હતો. એમણે 1540માં પુષ્ટિમાર્ગ ગ્રહણ કર્યો હતો.…
વધુ વાંચો >