Religious mythology
ઉપપુરાણ
ઉપપુરાણ : મહાપુરાણોથી પૃથક્ પુરાણગ્રંથો. વ્યાસમુનિ પાસેથી અઢાર પુરાણો સાંભળ્યા પછી ઋષિમુનિઓએ જે પુરાણો રચ્યાં તે ઉપપુરાણો કહેવાયાં; જોકે મોટાભાગનાં ઉપપુરાણોનો ઉલ્લેખ ‘પુરાણ’ તરીકે થાય છે. દરેક પુરાણનું એક ઉપપુરાણ હોય છે. ઉપપુરાણો તો મહાપુરાણોના ઉપભેદ છે એવી માન્યતા પ્રચલિત છે. સૌરપુરાણમાં સર્ગ, પ્રતિસર્ગ વગેરે પાંચ લક્ષણોને ઉપપુરાણનાં લક્ષણો કહ્યાં…
વધુ વાંચો >ઉપરૂપક
ઉપરૂપક : રૂપક(drama)નો પેટાપ્રકાર. તેમાં લંબાણ ઓછું હોય છે અને સંગીત સાથે નૃત્ય પ્રસ્તુત થતું હોય છે. ભારતના ‘નાટ્યશાસ્ત્ર’માં ઉપરૂપકનો ઉલ્લેખ નથી, પરંતુ ‘અગ્નિપુરાણ’ અને વિશ્વનાથના ‘સાહિત્યદર્પણ’માં ઉપરૂપકના અઢાર પ્રકાર દર્શાવાયા છે : (1) નાટિકા, (2) ત્રોટક, (3) ગોષ્ઠિ, (4) સક, (5) નાટ્યરાસક, (6) પ્રસ્થાન, (7) ઉલ્લાવ્ય, (8) કાવ્ય, (9)…
વધુ વાંચો >ઉર્વશી(1)
ઉર્વશી(1) : પુરાણપ્રસિદ્ધ અપ્સરા. પૌરાણિક ઉલ્લેખો અનુસાર નારાયણનો તપોભંગ કરવા સારુ ઇન્દ્રે મોકલેલી અપ્સરાઓને પોતાનો પ્રભાવ બતાવવા નારાયણે પોતાના ઊરુસ્થલમાંથી ઉર્વશી આદિ અપ્સરાઓ ઉત્પન્ન કરી હતી. ‘ઊરુમાંથી જન્મેલી તે ઉર્વશી’ એવી વ્યુત્પત્તિ દૂરાન્વયયુક્ત લાગે છે. ઋક્સંહિતાના દસમા મંડળનું પંચાણુંમું સૂક્ત ઉર્વશી-પુરુરવાનું સંવાદસૂક્ત છે. ચંદ્રવંશી બુધનો પુત્ર પુરુરવા ઐલ દેવાસુરસંગ્રામમાં દેવપક્ષે…
વધુ વાંચો >ઉષા
ઉષા : વૈદિક દેવતા ઋષિઓનું આરાધ્ય સુંદર પ્રકૃતિતત્વ. કાવ્યર્દષ્ટિએ સૌથી મહત્વનાં અને તેથી વૈદિક કવિતાનાં સર્વાધિક સુન્દરતમ સર્જન સમાં ઉષાદેવીના અદભુત વ્યક્તિત્વમાંના નિત્યનવીન તાજગીભર્યા સૌન્દર્યને વર્ણવતા ઋગ્વેદના ઋષિઓની પ્રતિભા પરાકાષ્ઠાએ પહોંચી છે. પ્રકાશ-વસ્ત્રોમાં સજ્જ અને અતુલનીય સૌંદર્યથી દેદીપ્યમાન ઉષાદેવી એકધારી નિયમિતતાથી ऋतावरी-સ્વરૂપે પૂર્વ દિશામાં પધારે, અંધકારગુપ્ત અઢળક સંપત્તિના ખજાનાઓ ખુલ્લા…
વધુ વાંચો >ઉષારાત્રી
ઉષારાત્રી : વૈદિક યુગ્મદેવતા. ઉષારાત્રીનું યુગ્મરૂપે (ક્યારેક नक्तोषासा તરીકે) આવાહન અનેક વાર છતાં સામાન્ય રીતે ઋગ્વેદમાં विश्वदेवा: સૂક્તોમાં અને आप्री સૂક્તોમાં જ થયું છે, એ નોંધપાત્ર છે. ‘સમૃદ્ધ દેવીઓ’, ‘દિવ્ય ક્ધયાઓ’, ‘આકાશની પુત્રીઓ’ અને ‘ઋતની માતાઓ’ સમું આ દેવીયુગ્મ પરસ્પરના રંગનું પરિવર્તન કરીને વારાફરતી પ્રગટ થાય છે, પ્રાણીઓને જાગ્રત કરે…
વધુ વાંચો >ઊરુભંગ
ઊરુભંગ : પ્રસિદ્ધ સંસ્કૃત કવિ ભાસનાં મનાતાં ત્રિવેન્દ્રમ રૂપકોમાંનું એક એકાંકી રૂપક. તેનું વસ્તુ મહાભારતકથા ઉપર રચાયેલું છે. આ કથા મહાભારતમાં શલ્યપર્વના ગદાયુદ્ધપર્વમાં મળી આવે છે. મહાભારતના યુદ્ધમાં સર્વસ્વનો નાશ થયા પછી દુર્યોધન પોતાની જલસ્તંભવિદ્યાના બલે એક જળાશયમાં ભરાઈને સંતાઈ જાય છે. પાંડવોએ અહીંથી તેને શોધી કાઢ્યો. પછી દુર્યોધન તથા…
વધુ વાંચો >ઋક્ પ્રાતિશાખ્ય
ઋક્ પ્રાતિશાખ્ય : ઋગ્વેદના ઉચ્ચારણ ઇત્યાદિના નિયમોને લગતો વ્યાકરણગ્રંથ. વૈદિક મંત્ર અને બ્રાહ્મણની ભાષા ને પરિભાષાના ગ્રહણસૌકર્ય સારુ શિક્ષા, કલ્પ આદિ જે શાસ્ત્ર રચાયાં તે વેદાંગ કહેવાયાં. પ્રાતિશાખ્ય એ શિક્ષા વેદાંગનું સહકારી શાસ્ત્ર છે. વર્ણ, સ્વર, સંધિ આદિ વ્યાકરણનાં અંગોની ચર્ચા પ્રાતિશાખ્યમાં છે એ પૂરતું તે વ્યાકરણ પણ છે. શાખા…
વધુ વાંચો >ઋગ્વિધાન
ઋગ્વિધાન : શ્રૌત કે ગૃહ્ય કલ્પમાં ઉક્ત કર્મો સિવાયનાં કામ્યકર્મોમાં પ્રયોજવાનાં ઋક્સંહિતાનાં સૂક્ત, વર્ગ, મંત્ર, મંત્રચરણ આદિના વિનિયોગનું નિરૂપણ કરતો ગ્રંથ. ઋષ્યાદિ અનુક્રમણીઓના રચયિતા શૌનકની એ કૃતિ છે. તેમાં કુલ 506 શ્લોકો છે. ગ્રંથમાં ‘ઇત્યાહ…. શૌનક:’ જેવા શબ્દપ્રયોગો છે તેથી જણાય છે કે ઋગ્વિધાનના મૂળ શૌનકોક્ત પાઠનું સમયાંતરે પુન: સંપાદન…
વધુ વાંચો >ઋગ્વેદ
ઋગ્વેદ : હિંદુ ધર્મના ચાર વેદમાંનો પ્રથમ. ભારતીય ધર્મ, સંસ્કૃતિ, ઇતિહાસ, સમાજ, ભાષા, તત્વજ્ઞાન અને લોકમાનસના ઘડતરમાં વેદનો ફાળો અત્યંત મહત્વનો મનાય છે. વેદ ચાર છે : ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ચારે વેદમાં ઋગ્વેદનું મહત્વ પરંપરાથી સવિશેષ સ્વીકારાયું છે. ઋક્ અર્થાત્ ઋચા અને તેનો વેદ તે ઋગ્વેદ. अर्च (પૂજા…
વધુ વાંચો >ઋત
ઋત : વિશ્વયોજનાના હાર્દરૂપ શાશ્વત નિયમ. ગતિવાચક ‘ઋ’ ધાતુ પરથી બનેલા ઋત શબ્દના ગતિ, પ્રગતિ, ગતિનો ક્રમ, સત્ય, વિશ્વવ્યવસ્થા, સત્યનો માર્ગ, પ્રશસ્ય આચાર અને યજ્ઞ વગેરે પર્યાયો વપરાયેલા છે. વિશ્વની વ્યવસ્થા, પ્રતિષ્ઠા અને તેના નિયમન માટે જે કારણરૂપ છે તથા સકળ સૃષ્ટિનું જે આદિ તત્વ છે તે ઋત છે. સૃષ્ટિની…
વધુ વાંચો >