Philosophy

શુદ્ધાદ્વૈતવાદ

શુદ્ધાદ્વૈતવાદ : શ્રી વલ્લભાચાર્યજીએ સ્થાપેલો તત્વજ્ઞાનનો એક સિદ્ધાંત. પ્રાચીન ભારતના ઋષિ-મુનિઓએ પોતાને લાધેલા તત્વના જ્ઞાનને વેદના અંતભાગમાં આવેલાં ઉપનિષદોમાં થયેલું તત્વચિંતન શ્રુતિપ્રસ્થાન નામે ઓળખાય છે. ઉપનિષદોમાં રહેલા તત્વજ્ઞાનના સિદ્ધાંતોને સંક્ષેપમાં બાદરાયણે બ્રહ્મસૂત્રોમાં ગૂંથ્યા. આ સૂત્રોમાં નિહિત વિચારોને સારરૂપે શ્રીમદભગવદ્ગીતામાં સંગૃહીત કર્યા છે. સ્મૃતિ પ્રસ્થાનમાં ભગવદગીતા ઉપરાંત પુરાણોને પણ સમાવાયાં છે.…

વધુ વાંચો >

શૂન્યવાદ

શૂન્યવાદ : બધી ધારણઓમાં વિરોધી ધર્મોની ઉપસ્થિતિ છે, આથી બધું શૂન્ય છે એવો મતવાદ. મહાયાન બૌદ્ધ સંપ્રદાય માધ્યમિક (શૂન્યવાદી) અને વિજ્ઞાનવાદ (યોગાચાર) એવી બે શાખાઓમાં વિભાજિત છે. એમાં શૂન્યવાદના પ્રબળ પ્રતિપાદક આચાર્ય નાગાર્જુન ઈ. સ.ની બીજી સદીમાં થઈ ગયા. નાગાર્જુને ‘માધ્યમિકશાસ્ત્ર’ની રચના કરી, તેના દ્વારા શૂન્યવાદને દાર્શનિક ક્ષેત્રે પ્રતિષ્ઠિત કર્યો.…

વધુ વાંચો >

શેલિંગ, ફિડરિખ વિલહેલ્મ

શેલિંગ, ફિડરિખ વિલહેલ્મ (જ. 27 જાન્યુઆરી 1775, લિયરેનબર્ગ, જર્મની; અ. 20 ઑગસ્ટ 1854, રોગત્ઝ, સ્વિટ્ઝર્લૅન્ડ) : પાશ્ચાત્ય તત્વજ્ઞાની. તેમનો વિદ્યાર્થીકાળ ખૂબ તેજસ્વી હતો. 1790થી 1795 સુધી ટ્યૂબિનગેન યુનિવર્સિટીમાં તેમણે તત્વજ્ઞાન અને ઈશ્વરવિદ્યાનો અભ્યાસ કર્યો હતો. હેગલ તેનાથી પાંચ વર્ષ આગળ છતાં સમકાલીન હતા. શેલિંગે તેની સત્તર વર્ષની ઉંમરે ‘ધ ફૉલ…

વધુ વાંચો >

શૈવાગમ

શૈવાગમ : શૈવમત-પ્રતિપાદક શાસ્ત્રો. ઉપ-આગમો સહિતનાં આગમોની સંખ્યા 200 કરતાં પણ વધુ છે. તેમની રચના ઈ. સ.ની સાતમી સદીથી આરંભાઈ અને સમય જતાં એમાંથી તમિળ શૈવ, વીર શૈવ અને કાશ્મીરી શૈવ મતોનો વિકાસ થયો. આગમો અનુસાર એમની રચના સ્વયં શિવે અને દુર્વાસા ઋષિએ કરી હતી. જોકે શિવની ઉપાસના તો આગમો…

વધુ વાંચો >

શૉપનહૉર, આર્થર હેન્રિચ

શૉપનહૉર, આર્થર હેન્રિચ (જ. 22 ફેબ્રુઆરી 1788, ડાન્ઝિંગ, પ્રુશિયા; અ. 21 સપ્ટેમ્બર 1860, ફ્રૅન્કફર્ટ, જર્મની) : જાણીતા પાશ્ચાત્ય તત્વજ્ઞાની. તેમનો જન્મ વેપારી કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ હેન્રિચ અને માતાનું નામ જોહાના હતું. આર્થર જ્યારે પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના કુટુંબે વતન છોડી હમ્બર્ગને વસવાટ બનાવ્યું. પિતા હેન્રિચ…

વધુ વાંચો >

શ્રદ્ધા

શ્રદ્ધા : ધર્મ માટે અગત્યનો ગુણ. શ્રદ્ધાને કામાયની અર્થાત્ કામની પુત્રી કહી છે. સૃદૃષ્ટિને ટકી રહેવામાં આધારભૂત તત્વ તે ऋत છે. તેના ઉપરના વિશ્વાસને ટકાવી રાખનાર પરિબળ શ્રદ્ધા છે. તેને કામ કે ઇચ્છા સાથે સંબંધ છે. ‘હું એક છું, અનેક થાઉં’ ‘एकोडहम् बहु स्याम्’ ઇચ્છામાંથી સંકલ્પ કે આકૂતિ જન્મ્યા. વિવાહમાં…

વધુ વાંચો >

ષટ્ચક્ર

ષટ્ચક્ર : ભારતીય યોગ પરંપરામાં યોગસાધકે પોતાની કુંડલિની શક્તિને જાગ્રત કરીને સહસ્રારચક્રમાં બિરાજતા પરમ શિવ સાથે એકાકાર થવા માટે ભેદવાનાં દેહમાં આવેલાં છ ચક્રો. હઠયોગીને તો આ ષટચક્રના ભેદનમાં મુક્તિ વરતાય છે. આ છ ચક્રોની વિભાવના તંત્રગ્રંથોમાં ખૂબ સૂક્ષ્મપણે અને વિસ્તારથી સમજાવેલી છે. માનવદેહને ઉપર-નીચેથી અર્ધો અર્ધો વિભાજિત કરવાનો કલ્પવામાં…

વધુ વાંચો >

ષડ્ગુરુશિષ્ય

ષડ્ગુરુશિષ્ય : વૈદિક સાહિત્ય વિશેના લેખક. ષડ્ગુરુશિષ્ય પોતાના છ ગુરુઓનાં નામ આ પ્રમાણે ગણાવે છે : (1) વિનાયક, (2) શૂલપાણિ અથવા શૂલાંગ, (3) મુકુન્દ અથવા ગોવિંદ, (4) સૂર્ય, (5) વ્યાસ, (6) શિવયોગી. ષડ્ગુરુશિષ્યે ‘વેદાર્થદીપિકા’ની પુષ્પિકામાં, રચના-સંવત 1234 (ઈ. સ. 1178) આપી છે. આને આધારે પં. બલદેવ ઉપાધ્યાય આમનો સમય ઈ.…

વધુ વાંચો >

ષડ્દર્શન

ષડ્દર્શન : પ્રાચીન ભારતના ઋષિઓને પ્રાપ્ત થયેલા જ્ઞાનથી ઉત્પન્ન થયેલી અને વેદને પ્રમાણ માનનારી છ વિચારપરંપરાઓ. જડ તત્વનું બનેલું જગત, ચેતન તત્વના બનેલા આત્મા અને પરમાત્મા વિશે અનુભવજન્ય જ્ઞાનની જે ચોક્કસ દૃષ્ટિ વિકસી તેનું નામ દર્શન. એ દર્શન જુદા જુદા છ ઋષિઓએ સૂત્રોમાં રજૂ કર્યું છે, તેથી તે છ સૂત્ર-ગ્રંથો…

વધુ વાંચો >

સત્ય

સત્ય ભારતીય તત્વજ્ઞાનના સંદર્ભમાં દેશકાલાતીત અસ્તિત્વ ધરાવતું તત્વ. ઋગ્વેદના દશમા મંડળના સૂક્ત 129ના નાસદીય સૂક્તમાં સૃદૃષ્ટિની ઉત્પત્તિ વિશે વિવિધ મતો નિરૂપાયા છે. આ સૃદૃષ્ટિ સત્માંથી કે અસત્માંથી ઉત્પન્ન થઈ છે એ પ્રશ્ન આરંભે ચર્ચતાં સૂક્તમંત્ર કહે છે કે સૃદૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં સત્ કે અસત્ કશું જ ન હતું, પણ કાંઈક…

વધુ વાંચો >