Industry Business and Management

કસ્તૂરભાઈ લાલભાઈ (શેઠશ્રી)

કસ્તૂરભાઈ લાલભાઈ (શેઠશ્રી) (જ. 19 ડિસેમ્બર 1894, અમદાવાદ; અ. 20 જાન્યુઆરી 1980, અમદાવાદ) : શિક્ષણ અને કલા-અનુરાગી, ધર્મનિષ્ઠ લોકહિતેચ્છુ મહાજન મોવડી, કુશળ વિષ્ટિકાર, સફળ ઉદ્યોગપતિ અને દાનવીર. પ્રાથમિક શિક્ષણ મ્યુનિસિપલ શાળામાં લીધું. રમતગમતમાં વિશેષ રસ. મૅટ્રિકની પરીક્ષામાં સારા ગુણો મેળવી ગુજરાત કૉલેજમાં દાખલ થયા; પરંતુ પિતા લાલભાઈનું અચાનક અવસાન થતાં…

વધુ વાંચો >

કંપની

કંપની : ઔદ્યોગિક-ધંધાકીય પ્રવૃત્તિઓ અપનાવવા માટે આધુનિક યુગની શરૂઆતથી ઉત્ક્રાંતિ પામેલું સમષ્ટિનિગમ (corporate entity) સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર. રાજ્યસત્તાએ આપેલ સનદ દ્વારા કંપની સ્થાપવામાં આવતી; તેનાં કાર્યો, કાર્યક્ષેત્રો, અધિકારો, જવાબદારીઓ વગેરે સનદમાંના લખાણ પ્રમાણે રહેતાં. આવી કંપની ચાર્ટર્ડ કંપની કહેવાતી. સોળમી સદીના ઉત્તરાર્ધ અને સત્તરમી સદીના પૂર્વાર્ધમાં વ્યાપાર તથા વ્યાપારી વસાહતો વિકસાવવા…

વધુ વાંચો >

કંપનીની રચના

કંપનીની રચના સામાન્ય રીતે નફો કરવાના હેતુથી વ્યક્તિઓના સમૂહ દ્વારા ધારાકીય જોગવાઈઓ અનુસાર અસ્તિત્વમાં લાવવામાં આવતું એકમ. આ એકમ તેના નામાભિધાન મુજબ ધંધો, વ્યવસાય, ઉદ્યોગ કે વેપારની પ્રવૃત્તિ કરે છે. આમ કંપની એક નિગમ છે. કંપની કાયદાની ર્દષ્ટિએ સ્વતંત્ર છતાં કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, જે તેના સભ્યોથી તદ્દન ભિન્ન અને…

વધુ વાંચો >

કાણે, અનિલ શ્રીધર

કાણે, અનિલ શ્રીધર (જ. 18 ઑક્ટોબર 1941, ભાવનગર) : તકનીકી ક્ષેત્રના નિષ્ણાત, વ્યવસ્થાપન-ક્ષેત્રના અગ્રણી તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના પૂર્વ કુલપતિ. પિતા ભાવનગર રિયાસતના ઇજનેર હતા. માતાનું નામ ઇન્દિરાબાઈ, જેઓ અગ્રણી સમાજકાર્યકર્તા હતાં. તેઓ રાષ્ટ્રસેવા સમિતિના આજન્મ સેવિકા હતાં. અનિલભાઈનું પ્રાથમિક, માધ્યમિક તથા ઇન્ટર સાયન્સ સુધીનું શિક્ષણ ભાવનગર ખાતે. ત્યારબાદ…

વધુ વાંચો >

કિર્લોસ્કર લક્ષ્મણરાવ કાશીનાથ

કિર્લોસ્કર, લક્ષ્મણરાવ કાશીનાથ (જ. 20 જૂન 1869, ગુર્લહોસૂર; અ. 26 સપ્ટેમ્બર 1956, પુણે) : વિખ્યાત ઉદ્યોગપતિ, એન્જિનિયરિંગ ક્ષેત્રના તંત્રવિદ્ તથા કિર્લોસ્કર ઔદ્યોગિક ગૃહના સંસ્થાપક. બેળગાંવ (કર્ણાટક) જિલ્લાના ગુર્લહોસૂર ખાતે ગરીબ કુટુંબમાં જન્મ. તેમને ઔપચારિક શિક્ષણમાં રસ ન હતો તેથી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સમાં ચિત્રકલાના અભ્યાસ માટે દાખલ…

વધુ વાંચો >

કિલાચંદ દેવચંદ

કિલાચંદ દેવચંદ (જ. 10 જૂન 1855, પાટણ, ગુજરાત; અ. 18 માર્ચ 1929) : ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ તથા દાનવીર. માત્ર પંદર વર્ષની ઉંમરે (1870) મુંબઈ આવ્યા અને આ નગરને તેમણે લાંબા સમય સુધી પોતાની કર્મભૂમિ બનાવી. શરૂઆતમાં તેમણે કેટલીક વ્યાપારી પેઢીઓમાં વિવિધ પ્રકારની કામગીરી બજાવી. તેમની કુશાગ્ર બુદ્ધિ, વ્યાપારની સૂઝ અને…

વધુ વાંચો >

કેન્દ્રીય જાહેર સેવા આયોગ

કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) : ભારત સરકારના વહીવટી તંત્રમાં હોદ્દા ઉપર લાયકાતના ધોરણે ભરતી કરવા માટે સ્થાપવામાં આવેલ આયોગ. ભારતમાં જાહેર સેવા આયોગનો ખ્યાલ ભારતીય બંધારણીય સુધારાની નોંધમાં અને 1919ના ભારતના કાયદામાં જોવા મળે છે. જોકે વાસ્તવમાં આયોગની સ્થાપના શક્ય બની ન હતી. લી કમિશને તેને માટે જોરદાર ભલામણ…

વધુ વાંચો >

કેન્દ્રીય બૅન્કિંગ

કેન્દ્રીય બૅન્કિંગ (Central Banking) : રાષ્ટ્રનાં નાણાં તથા શાખના પુરવઠાનું નિયમન કરીને બૅન્કિંગ અને નાણાકીય સંસ્થાઓની વ્યાવસાયિક કામગીરીઓ ઉપર, ધારાધોરણો, બજારવ્યવહારો અથવા સમજાવટ દ્વારા, પ્રભાવશાળી અસરો ઊભી કરતી સંસ્થા. પ્રત્યેક દેશમાં આવી એક સંસ્થા હોય છે. ઇંગ્લૅન્ડમાં 1694માં સ્થપાયેલી બૅન્ક ઑવ્ ઇંગ્લૅન્ડ અને ભારતમાં 1935માં સ્થપાયેલી રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયા…

વધુ વાંચો >

કોઠારી દયાનંદ ચંદુલાલ

કોઠારી, દયાનંદ ચંદુલાલ (28 ફેબ્રુઆરી 1914, અમરેલી) : જાણીતા ઉદ્યોગપતિ તથા કોઠારી ઔદ્યોગિક સંકુલના આદ્યસ્થાપક. પિતાનું નામ : સી. એમ. કોઠારી તથા માતુશ્રીનું નામ : રમાબહેન. પત્નીનું નામ : ઇંદિરાબહેન. તેમનાં સંતાનોમાં ત્રણ પુત્રી અને એક પુત્ર. તેમનો કૌટુંબિક વ્યવસાય શેરદલાલનો હતો તેમાંથી તેમણે વિવિધ ઉદ્યોગોના ક્ષેત્રે ઝંપલાવ્યું, જેમાં ખાસ…

વધુ વાંચો >

કૉન્સ્યુલર ઇન્વૉઇસ

કૉન્સ્યુલર ઇન્વૉઇસ : માલની આયાતનિકાસ અંગે એલચી કચેરી તરફથી અપાતું પ્રમાણપત્ર. માલની નિકાસવિધિ દરમિયાન નિકાસકાર કેટલાક દસ્તાવેજો મેળવવાની જે વિધિ કરે છે તેના દસ્તાવેજોમાં કૉન્સ્યુલર ઇન્વૉઇસ અને ઉત્પત્તિસ્થાન સંબંધી પ્રમાણપત્ર (certificate of origin) મહત્વનાં છે; જે જકાતવિધિ સરળ અને ઝડપી બનાવે છે. આંતરરાષ્ટ્રીય વેપાર-સંબંધો સ્થાપિત થયેલા હોય તે દેશવિદેશમાં પોતાનાં…

વધુ વાંચો >