Folk Art

ભરતકામ

ભરતકામ : ગુજરાતની એક તળપદી હસ્તકલા. ભાતીગળ લોકભરત અને મનોહર મોતીગૂંથણ એ સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રામપ્રદેશોનો આગવો કલાસંસ્કાર છે. લોકનારીની કળારસિકતા અને સૌંદર્યભાવનાનાં મૂળ આવી કલાઓમાં જોવા મળે છે. રૂપાળા રંગોથી ઓપતું ર્દશ્ય–પરંપરાનું ભરત એ લોકનારીના દેહ, ઘરખોરડાં અને પશુઓનો આગવો શણગાર છે. દરબાદરગઢમાં, ખેડવાયા વરણનાં દૂબળાં-પાતળાં ખોરડાંઓમાં કે માલધારીઓના…

વધુ વાંચો >

ભીમવ્વા ડોડ્ડાબલપ્પા શિલ્લેક્યતારા

ભીમવ્વા ડોડ્ડાબલપ્પા શિલ્લેક્યતારા (જ. 1 જૂન, 1929 મોરનહલ્લી, જિ. કોપ્પલ, કર્ણાટક) : કઠપૂતળી કલા તોગાલુ ગોમ્બેયાતાના વિશ્વપ્રસિદ્ધ કલાકાર. કર્ણાટકની વિચરતી જનજાતિની કઠપૂતળી કલાકાર શિલ્લેક્યતારાએ ચામડાની કઠપૂતળીના પરંપરાગત સ્વરૂપનું જતન અને સંવર્ધન કર્યું છે. તેઓ છેલ્લા સાત દાયકાથી વધુ સમયથી તોગાલુ ગોમ્બેયાતા ભજવે છે. આ એક પરંપરાગત કલાસ્વરૂપ છે. આ કઠપૂતળી…

વધુ વાંચો >

ભીલ, દિવાળીબહેન

ભીલ, દિવાળીબહેન (જ. 1949, દલખાણિયા, જિ. અમરેલી) : ગુજરાતી લોકસંગીતનાં વિખ્યાત ગાયિકા. આદિવાસી જાતિમાં જન્મ. મૂળ અટક લઢિયા. તેમનું બાળપણ ગીરના જંગલમાં વીત્યું હતું. પિતા પૂંજાભાઈને જૂનાગઢ ખાતે રેલવેમાં નોકરી મળતાં તેમના પરિવારે જૂનાગઢ સ્થળાંતર કર્યું. માતાનું નામ મોંઘીબહેન. તેમની પ્રેરણાથી દિવાળીબહેને નાનપણથી જ ગરબા ગાવાની શરૂઆત કરી. શરૂઆતમાં તેઓ…

વધુ વાંચો >

મકવાણા, તેજીબહેન ગોવિંદભાઈ

મકવાણા, તેજીબહેન ગોવિંદભાઈ (જ. 1944, સિંધ, હૈદરાબાદ) : ભાતીગળ કલાશૈલીનાં લોકકલાકાર. મૂળ કચ્છનાં વતની. 1947માં ભારતના ભાગલા થતાં પિતા નગાભાઈ સાથે જૂનાવાડજ અમદાવાદમાં ગાંધીનગર ટેકરા પર આવીને વસ્યાં. પિતા મોચીનું કામ કરતા હતા. તેઓ તેમને ચંપલ બનાવવામાં મદદ કરતાં. 14 વર્ષની વયે ગોવિંદભાઈ સાથે તેમનાં લગ્ન થયાં. તેઓ માતા પાસેથી…

વધુ વાંચો >

મપેટ્સ

મપેટ્સ : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને પ્રતિષ્ઠા પામેલું પપેટ-વૃંદ. પપેટ-સંચાલક જિમ હેન્સનનું આ સર્જન છે. 1968માં પબ્લિક બ્રૉડકાસ્ટિંગ સિસ્ટમ (PBS) તરફથી પ્રારંભાયેલા બાળકો માટેના કાર્યક્રમ ‘સિસમ સ્ટ્રીટ’ નિમિત્તે મપેટ્સને ખૂબ મહત્વ સાંપડ્યું. 1976માં વધારે પાત્રોનું ઉમેરણ કરીને આ વૃંદનું વિસ્તરણ કરવામાં આવ્યું અને સાંજના ટેલિવિઝન પર ‘ધ મપૅટ શો’ નામના સાપ્તાહિક…

વધુ વાંચો >

મરસિયા

મરસિયા : કાવ્યનો એક પ્રકાર. તેમાં મૃત્યુ પામનાર વ્યક્તિ માટે શોકની લાગણી વ્યક્ત કરવામાં આવે છે અને તે સાથે તેના ગુણ વર્ણવવામાં આવે છે. કોઈ આપત્તિ અથવા દુ:ખદ ઘટના વિશે લખાયેલ શોકગીતને પણ ‘મરસિયો’ કહેવામાં આવે છે. આ શબ્દ અરબી ભાષાના ‘રષા’ શબ્દ ઉપરથી બન્યો છે. અરબીમાં તેનો અર્થ રુદન…

વધુ વાંચો >

માલમ, રામસિંહ (અઢારમી સદી)

માલમ, રામસિંહ (અઢારમી સદી) : કચ્છનો કુશળ વહાણવટી, સ્થપતિ અને હુન્નર-ઉદ્યોગનો મર્મજ્ઞ. મૂળમાં સૌરાષ્ટ્રના ઓખામંડળની વાઘેર જાતિના એક વહાણવટીનો આ સાહસિક પુત્ર કિશોરવયે આફ્રિકા જતા વહાણમાં સફરે નીકળ્યો. રસ્તામાં અચાનક ઊભા થયેલા સમુદ્રી તોફાનમાં ફસાઈને તેનું વહાણ તૂટી જતાં રામસિંહ સમુદ્રમાં ફેંકાઈ ગયો. જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતા રામસિંહને ડચ વહાણવટીઓએ…

વધુ વાંચો >

મિરિયાલા, અપ્પારાવુ

મિરિયાલા, અપ્પારાવુ (જ. 9 સપ્ટેમ્બર 1949, નાદાકુડુર, આંધ્રપ્રદેશ; અ. 15 જાન્યુઆરી 2025, રાવુલાપાલેમ, આંધ્રપ્રદેશ) : બુર્રાકથાના સંવર્ધન અને સંરક્ષણ માટે કાર્યરત અગ્રગણ્ય કલાકાર. તેમણે બુર્રાકથાને આમ- જનતામાં લોકપ્રિય બનાવી. તેમના પિતાનું નામ વેંકટરામૈયા અને માતાનું નામ તિરુપત્તમ્મા હતું. બાળપણથી જ નાટક અને બુર્રાકથા પ્રત્યે લગાવ હતો. તેમણે 15 વર્ષની ઉંમરે…

વધુ વાંચો >

રાઠોડ, રામસિંહજી

રાઠોડ, રામસિંહજી (જ. 8 ડિસેમ્બર 1917, ભૂઅડ, જિ. કચ્છ; અ. 25 જૂન 1997, ભુજ) : કચ્છનાં ઇતિહાસ, ભૂગોળ, પુરાતત્વ, લોકસાહિત્ય, કલા અને ભૂસ્તરના ઊંડા અભ્યાસી અને ભારતીય વનસેવામાં વન-અધિકારી. તેમના પિતાનું નામ કાનજીભાઈ તથા માતાનું નામ તેજબાઈ હતું. તેઓ ક્ષત્રિય હતા. ભુજમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. 1933માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં…

વધુ વાંચો >

લોક, લોકતત્વ અને લોકવિદ્યા

લોક, લોકતત્વ અને લોકવિદ્યા લોક એટલે સમાન પરંપરા ધરાવતો નિશ્ચિત ભૌગોલિક ક્ષેત્રમાં નિવાસ કરતો માનવસમૂહ. સામાન્ય રીતે તો એમાં ગ્રામીણ એવા અલ્પશિક્ષિત જનસમાજનો એકમ – એવો અર્થ લેવામાં આવે છે; પરંતુ લોકવિદ્યા(folklore)માં જેનો સમાવેશ થાય છે તે લોકસાહિત્ય, લોકસંગીત, લોકનૃત્ય, લોકનાટ્ય, લોકચિત્રકલા, લોકકસબ, લોકમાન્યતા વગેરેમાં ‘લોક’ શબ્દ અંગ્રેજી Folkનો સ્વીકૃત…

વધુ વાંચો >