Allopathy

મરકી (Plague)

મરકી (Plague) : યેર્સિનિયા પેસ્ટિસ નામના દંડાણુથી થતો, ચાંચડના ડંખથી ફેલાતો અને મહામારી સર્જતો ચેપી રોગ. યેર્સિનિયા પેસ્ટિસ – એ નાના બંને છેડે અભિરંજિત થતા (દ્વિધ્રુવી અભિરંજન, bipolar staining) ગ્રામ-અનભિરંજિત દંડાણુઓ (bacilli) છે. દંડ આકારના જીવાણુઓ(bacteria)ને દંડાણુ કહે છે. તેઓ મુખ્યત્વે ઉંદર અને તેના જૂથનાં પ્રાણીઓ(rodents)માં ચેપ કરે છે. તેનો…

વધુ વાંચો >

મરડો

મરડો (Dysentery) : લોહી સાથેના ચેપજન્ય ઝાડાનો વિકાર. તેને દુરાંત્રતા અથવા દુરતિસાર પણ કહે છે. પાતળા ઝાડા થાય તેવા વિકારને અતિસાર કહે છે. તેના 2 મુખ્ય પ્રકારો છે – શોથજન્ય (inflammatory) અને અશોથજન્ય (non-inflammatory). આંતરડામાં ચેપ કે અન્ય કારણસર સોજો આવે, દુખાવો થાય, ચાંદાં પડે તથા તે ચાંદાંમાંથી લોહી ઝરે…

વધુ વાંચો >

મરણોત્તર શરીરવિકારો

મરણોત્તર શરીરવિકારો : જુઓ મૃત્યુ

વધુ વાંચો >

મર્ફી, વિલિયમ પૅરી

મર્ફી, વિલિયમ પૅરી (જ. 6 ફેબ્રુઆરી 1894, સ્ટોટન, વિસ્કૉન્સિન, અમેરિકા; અ. 1987) : લોહીમાં હીમોગ્લોબિન ઓછું હોય ત્યારે તેને પાંડુતા (anaemia) કહે છે, તે સ્થિતિમાં યકૃત (liver) વડે ચિકિત્સા કરવાની પદ્ધતિ શોધી કાઢવા માટે 1934ના નોબેલ પારિતોષિકવિજેતા. આ જ સંશોધન માટે તેમના સહવિજેતા હતા જ્યૉર્જ હૉઇટ વ્હિપલ (George Hoyt Whipple)…

વધુ વાંચો >

મસો, ગુહાંતર્ગત

મસો, ગુહાંતર્ગત (Polyp) : કોઈ અવયવના પોલાણમાં પ્રવર્ધમાન થઈને મોટો થયેલો રોગવિસ્તાર. તેને ગુહામસો પણ કહી શકાય. આંતરડાં કે અન્ય પોલા અવયવોની દીવાલમાં જ્યારે કોઈ રોગ કે વિકારને કારણે પેશીવૃદ્ધિ થાય ત્યારે તે ઘણી વખત પોલાણમાં મોટી થાય છે અને વધે છે. આવા ઊપસેલા ભાગને ગુહામસો અથવા ગુહાંતર્ગત મસો કહે…

વધુ વાંચો >

મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ

મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ (Cerebrospinal Fluid, CSF) : મગજ અને કરોડરજ્જુ(મેરુરજ્જુ)ની આસપાસ તથા તેમની અંદરના પોલાણમાં વહન કરતું વિશિષ્ટ પ્રકારનું પેશીપ્રવાહી. મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ (મમે-જલ) મુખ્ય 3 કાર્યો કરે છે – મગજને બહારના આંચકાઓ સામે રક્ષણ આપે છે, તેમાંનાં ચયાપચયી શેષ-દ્રવ્યોને દૂર કરે છે અને તેના કોષોને ઑક્સિજન તથા પોષક દ્રવ્યો પૂરાં પાડે છે. તેનાં…

વધુ વાંચો >

મસ્તિષ્કી અંગઘાત

મસ્તિષ્કી અંગઘાત (cerebral palsy) : નવજાત શિશુના વિકસતા મગજને થતી સ્થાયી ઈજાથી થતો લકવા જેવો વિકાર. તે પછીથી વધતો નથી. આમ તે વર્ધનશીલ (progressive) વિકાર હોતો નથી. તેનાં કારણોમાં મગજને ઓછો મળેલો ઑક્સિજનનો પુરવઠો (અનૉક્સિતા, anoxia), મગજમાં લોહી વહી જવું (મસ્તિષ્કી રુધિરસ્રાવ, cerebral haemorrhage) તથા મગજ કે તેના આવરણોમાં લાગેલા…

વધુ વાંચો >

મસ્તિષ્કી આભાસી અર્બુદ

મસ્તિષ્કી આભાસી અર્બુદ (pseudotumour cerebri) : મગજમાં ગાંઠ થયેલી ન હોય, પરંતુ તેના જેવી સ્થિતિ કે લક્ષણો સર્જતો વિકાર. તેમાં ખોપરીની અંદર દબાણ વધે છે માટે તેને અજ્ઞાતમૂલ અંત:કર્પરી અતિદાબ (idiopathic intracranial hypertension) અથવા સૌમ્ય અંત:કર્પરી અતિદાબ (benign intracranial hypertension, BIH) પણ કહે છે. સામાન્ય રીતે તેનું તરતનું કારણ મગજ-કરોડરજ્જુની…

વધુ વાંચો >

મસ્તિષ્કી રુધિરગંઠન

મસ્તિષ્કી રુધિરગંઠન : જુઓ મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો

વધુ વાંચો >

મસ્તિષ્કી રુધિરસ્રાવ

મસ્તિષ્કી રુધિરસ્રાવ : જુઓ મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો

વધુ વાંચો >