Sociology

સહકાર (સમાજશાસ્ત્ર)

સહકાર (સમાજશાસ્ત્ર) : સામાજિક આંતરક્રિયાનો સાર્વત્રિક જોવા મળતો એક પ્રકાર. આંતરક્રિયા કરતા પક્ષો (વ્યક્તિઓ/સમૂહો) જ્યારે પોતાના કોઈ સર્વસામાન્ય (common), સમાન કે પરસ્પરપૂરક ધ્યેયો સિદ્ધ કરવા માટે પરસ્પરને કોઈ પણ સ્વરૂપે સહાયક બને છે ત્યારે તે સહકારની સામાજિક આંતરક્રિયા કહેવાય છે. તેમાં સંબંધિત પક્ષો વચ્ચે પરસ્પર વિધાયક/રચનાત્મક દૃષ્ટિ અને વલણ એક…

વધુ વાંચો >

સહજીવન (symbiosis)

સહજીવન (symbiosis) : સજીવ સૃદૃષ્ટિના બે અથવા વધારે અલગ અલગ જાતિના (species) સભ્યોની લાંબા કે ટૂંકા સમય માટે એકબીજાના ગાઢ સંપર્કમાં રહી જીવન વ્યતીત કરવાની જીવનશૈલી. નિસર્ગમાં આવું સહજીવન વ્યતીત કરતા જીવો એકબીજાને લાભકારક કે હાનિકારક થાય એ રીતે કે તટસ્થ વૃત્તિથી જીવન જીવતા હોય છે. સામાન્ય રીતે પૃથ્વી ઉપર…

વધુ વાંચો >

સહલગ્નતા (Linkage)

સહલગ્નતા (Linkage) : સહલગ્ન જનીનોનો વારસો. સજીવ તેના દેહમાં અનેક સ્વરૂપપ્રકારીય (phenotypic) લક્ષણો ધરાવે છે. આ પ્રત્યેક લક્ષણનું નિયમન જનીનોની નિશ્ચિત જોડ દ્વારા થાય છે. તેઓ સમજાત રંગસૂત્રો પર નિશ્ચિત સ્થાને ગોઠવાયેલાં હોય છે. વળી, પ્રત્યેક રંગસૂત્ર પર એકથી વધારે જનીનો રેખીય રીતે ગોઠવાયેલાં હોય છે. જન્યુજનન (gametogenesis) સમયે થતા…

વધુ વાંચો >

સંઘર્ષ

સંઘર્ષ : કોઈ પણ બે અથવા વધુ ઘટકો કે એકમો વચ્ચે પ્રત્યક્ષ અથવા પરોક્ષ વિવાદની સ્થિતિ. વિવાદ બે વ્યક્તિઓ વચ્ચે હોઈ શકે, બે જૂથો વચ્ચે હોઈ શકે, બે પ્રદેશો વચ્ચે હોઈ શકે, બે વિચારસરણીઓ વચ્ચે હોઈ શકે, બે આંતરિક અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે હોઈ શકે અથવા બે કે વધુ રાષ્ટ્રો…

વધુ વાંચો >

સંસ્કૃતીકરણ (culturalisation)

સંસ્કૃતીકરણ (culturalisation) : ભારતમાં સામાજિક પરિવર્તનના વિશ્લેષણ માટેની એક વિભાવના. આ વિભાવનાનો સૌપ્રથમ ઉપયોગ ભારતના સમાજશાસ્ત્રી ડૉ. એમ. એન. શ્રીનિવાસે ‘દક્ષિણ ભારતના કૂર્ગ લોકોમાં ધર્મ અને સમાજ’ નામના અભ્યાસમાં કર્યો હતો. જ્ઞાતિ ઉપર આધારિત સ્તર-રચના એ અખિલ ભારતીય ઘટના છે. આ બંધ સ્વરૂપની સ્તર-રચનામાં પરિવર્તનને ખાસ અવકાશ નહિ હોવાનું મનાતું…

વધુ વાંચો >

સાઇમન સંત

સાઇમન સંત (જ. 17 ઑક્ટોબર 1760, પૅરિસ; અં. 19 મે 1825, પૅરિસ) : ફ્રેંચ સમાજસુધારક અને સમાજવાદનો પિતા. ઉચ્ચ ખાનદાન કુટુંબમાં જન્મેલા આ વિચારક ફ્રેંચ રાજવી મંડળના લુઈ કુટુંબ સાથે સંબંધો ધરાવતા હતા. ખાનગી શિક્ષકો દ્વારા શાલેય શિક્ષણ મેળવ્યું. 17ની વયે લશ્કરી સેવામાં જોડાયા અને અમેરિકાની ક્રાંતિમાં મદદરૂપ થવા ફ્રાંસે…

વધુ વાંચો >

સાધુ નવલરામ

સાધુ નવલરામ (જ. 1848, હૈદરાબાદ, સિંધ; અ. 1893) : સિંધી કેળવણીકાર, સમાજસુધારક અને સિંધમાં નવજાગૃતિના પ્રણેતા. તેઓ સાધુ હીરાનંદના વડીલ બંધુ હતા. વિદ્યાર્થીકાળથી જ તેઓ સામાજિક સુધારાના આદર્શ સાથે સાદગીભર્યું જીવન જીવતા. સ્નાતક થતાંની સાથે તેમણે સામાજિક પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું. તે વખતે સિંધમાં શિક્ષણનો પ્રસાર નહિવત્ હતો અને કન્યા કેળવણી પ્રત્યે…

વધુ વાંચો >

સાધુ વાસવાણી

સાધુ વાસવાણી (જ. 25 નવેમ્બર 1879, હૈદરાબાદ, સિંધ, પાકિસ્તાન; અ. 16 જાન્યુઆરી 1966, પુણે, મહારાષ્ટ્ર) : કેળવણીકાર, સમાજસેવક, લેખક અને વક્તા. તેમનું નામ થાંવરદાસ લીલારામ વાસવાણી હતું. તેઓ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી, એલિસ સ્કૉલર અને ડી. જે. સિંધ કૉલેજ, કરાંચીમાં ફેલો હતા. એમ.એ. થયા પછી તેઓ કોલકાતાની મેટ્રોપૉલિટન કૉલેજ(હવે વિદ્યાસાગર કૉલેજ)માં…

વધુ વાંચો >

સાધુ હીરાનંદ

સાધુ હીરાનંદ (જ. 23 માર્ચ 1863, હૈદરાબાદ; અ. 14 જુલાઈ 1893, બાન્કીપુર, બિહાર) : સિંધી કેળવણીકાર, સંત અને સમાજસેવક. પિતા શૌકીરામ આડવાણીના બીજા પુત્ર અને સાધુ નવલરામના ભાઈ. તેઓ મૅટ્રિક થયા બાદ ઉચ્ચ અભ્યાસાર્થે કોલકાતા ગયા. 13 ઑક્ટોબર 1883ના રોજ કૉલેજમાં તેમણે આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને આવરી લઈ આદર્શોન્મુખ શ્રમયુક્ત…

વધુ વાંચો >

સાને ગુરુજી

સાને ગુરુજી (જ. ઈ. સ. 1899, પાલગડ, જિ. રત્નાગીરી, મહારાષ્ટ્ર; અ. 11 જૂન 1950, મુંબઈ) : સ્વાતંત્ર્યસૈનિક, સમાજસુધારક અને લેખક. આખું નામ પાંડુરંગ સદાશિવ સાને. લાડકું નામ પંઢરી. ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. આર્થિક સ્થિતિ સાધારણ. 1918માં મૅટ્રિક તથા પુણેની તત્કાલીન ન્યૂ પૂના કૉલેજ(હાલનું નામ સર પરશુરામ ભાઉ કૉલેજ)માંથી 1922માં સંસ્કૃત…

વધુ વાંચો >