Sociology

વર્ણાશ્રમ

વર્ણાશ્રમ : પ્રાચીન હિંદુ સમાજની વિશિષ્ટ જીવનવ્યવસ્થા. ભારતીય ઉપખંડમાં એનો પ્રસાર-પ્રચાર ક્યારે શરૂ થયો એ કહી શકીએ એમ નથી. જેમ ભારતીય તત્વજ્ઞાનનાં બીજ ‘ઋગ્વેદ’ના ‘નાસદીય સૂક્ત’ અને ‘પુરુષસૂક્ત’માં છે તેમ ‘વર્ણ’નાં બીજ ‘ઋગ્વેદ’ના ‘પુરુષસૂક્ત’માં જોવા મળે છે, જ્યાં સહસ્રશીર્ષા પુરુષ-પરમાત્મા-પરમેશ્વરના મુખમાંથી બ્રાહ્મણ, બેઉ બાહુઓમાંથી ક્ષત્રિય, બેઉ સાથળોમાંથી વૈદૃશ્ય અને બંને…

વધુ વાંચો >

વર્મા, શ્યામજી કૃષ્ણ

વર્મા, શ્યામજી કૃષ્ણ (જ. 4 ઑક્ટોબર 1857, માંડવી, જિ. કચ્છ; અ. 31 માર્ચ 1930, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ) : વિદેશમાં ભારતીય ક્રાંતિકારી ચળવળના આદ્ય સ્થાપક. શ્યામજી હિંદુ ભાનુશાળી (ભણશાળી) કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા મુંબઈમાં વેપારીની પેઢીમાં નોકરી કરીને જીવનનિર્વાહ ચલાવતા હતા. શ્યામજીએ પ્રાથમિક શાળાનો અભ્યાસ માંડવીમાં કર્યો. તેજસ્વી વિદ્યાર્થી હોવાથી ભાટિયા…

વધુ વાંચો >

વસાવડા, શ્યામપ્રસાદ

વસાવડા, શ્યામપ્રસાદ (જ. 26 ફેબ્રુઆરી 1903, જૂનાગઢ; અ. 20 નવેમ્બર 1972, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પામેલા ભારતના અગ્રણી મજૂર આગેવાન. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવી 1926માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 1924માં તેઓ માલવિયા એક્સપૉર્ટ હાઉસમાં મૅનેજર તરીકે જોડાયા. ત્યાં તેમના પિતાની ગંભીર માંદગીના…

વધુ વાંચો >

વસિયતનામું (વિલ)

વસિયતનામું (વિલ) : પોતાની હયાતી બાદ પોતાની મિલકતની વ્યવસ્થા કરવા બાબત મુક્ત મનથી કોઈ વ્યક્તિએ કરેલ લખાણ. તેના પર વ્યક્તિની પોતાની સહી અને બે સાક્ષીઓની સહી અનિવાર્ય ગણાય છે. આમ પોતાનાં હિત-અહિત વિશે પૂરી સમજણ અને સ્થિર મગજ ધરાવનાર વ્યક્તિ વસિયતનામું કરી શકે છે, પરિણીત નારી પોતાની સ્વતંત્ર મિલકત બાબતમાં…

વધુ વાંચો >

વહાબી આંદોલન (1820-1870)

વહાબી આંદોલન (1820-1870) : રાયબરેલીના સૈયદ અહમદ બરેલવી(1786-1831)એ ઇસ્લામ ધર્મમાં સુધારા કરવા માટે ભારતમાં શરૂ કરેલ આંદોલન. પાછળથી તે પંજાબમાંથી શીખોને અને બંગાળમાંથી અંગ્રેજોને દૂર કરીને મુસ્લિમ સત્તા સ્થાપવા માટેનું રાજકીય આંદોલન બન્યું હતું. ઇસ્લામ ધર્મમાં સુધારા કરવાના ઇરાદાથી અરબસ્તાનમાં અઢારમી સદીના છેલ્લાં વરસોમાં અબ્દુલ વહાબે આ આંદોલન શરૂ કર્યું…

વધુ વાંચો >

વહીવંચા બારોટ

વહીવંચા બારોટ : યજમાનના કુળની વ્યક્તિઓનાં નામ અને તેમનાં જીવનકાર્યની મહત્વની વિગતોની પોતાના ચોપડામાં વિધિપૂર્વક ઉચિત નોંધ રાખી અને યથાસમય તેનું વાચન કરતી વ્યાવસાયિક કુળ-ધર્મ ધરાવતી બારોટ કોમની વ્યક્તિઓ. બારોટ સૂત કે ભાટ નામની જ્ઞાતિમાંથી આવ્યા છે અને વિવિધ જ્ઞાતિઓની વિગતો પરંપરાગત વહી(ચોપડો)માં નોંધવી – એ એમનો મુખ્ય વ્યવસાય રહ્યો…

વધુ વાંચો >

વા. રામસ્વામી

વા. રામસ્વામી (જ. 1889, થિંગુલર, જિ. તાંજાવર, તમિલનાડુ; અ. 1951) : તમિળ નવલકથાકાર, પત્રકાર, ચરિત્રલેખક અને સ્વાતંત્ર્યવીર. સનાતની વૈષ્ણવ બ્રાહ્મણ પરિવારમાં જન્મ. 1905માં કૉલેજમાં ઇન્ટરમીડિયેટનો અભ્યાસ છોડીને રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા. 1909માં તેઓ બંગાળા ગયા. પુદુચેરીમાં છૂપા વેશે રહેતા અરવિંદને નાણાકીય સહાય આપવા તથા સંદેશાવાહક તરીકે કામ કરવા તેમને છૂપા દૂત…

વધુ વાંચો >

વાર્નેર વિલિયમ લૉઇડ

વાર્નેર વિલિયમ લૉઇડ (જ. 26 ઑક્ટોબર 1898, રેડલૅન્ડ્ઝ, કાલિફ; અ. 23 મે 1970, શિકાગો) : અમેરિકાના સામાજિક નૃવંશશાસ્ત્રી. તેમણે ઈ. સ. 1926માં બી.એ.ની પદવી નૃવંશશાસ્ત્રમાં લીધી. તેમણે 1927થી 1929 દરમિયાન ઑસ્ટ્રેલિયામાં રહીને મુર્નજિન લોકોનો અભ્યાસ કર્યો. ઈ. સ. 1929માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં નૃવંશશાસ્ત્રના મદદનીશ પ્રાધ્યાપક તરીકે અને 1935માં શિકાગો યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

વાલેસા, લેચ

વાલેસા, લેચ (જ. 8 સપ્ટેમ્બર 1943, પોપોવો, પોલૅન્ડ) : પોલૅન્ડના અગ્રણી મજૂરનેતા, દેશના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ તથા 1983ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા. પિતા સુથારનો વ્યવસાય કરતા અને તેમને રાજકીય કારણોસર ફરજિયાત શ્રમશિબિરમાં ધકેલવામાં આવ્યા હતા, જ્યાં થયેલી ગંભીર ઈજાઓને કારણે 1946માં તેમનું અવસાન થયું હતું. માત્ર પ્રાથમિક કક્ષાનું શિક્ષણ લીધા પછી…

વધુ વાંચો >

વિધવા

વિધવા : જેનો પતિ મૃત્યુ પામ્યો છે અને જેણે પુનર્લગ્ન નથી કર્યું તેવી સ્ત્રી. ભારતીય સમાજમાં સ્ત્રીના નિમ્ન દરજ્જાને વાસ્તવિક રીતે જોવો- સમજવો હોય તો ‘વિધવા’ની પરિસ્થિતિ તેનું સચોટ ઉદાહરણ છે. પતિનું મૃત્યુ થતાં તેની પત્નીને મળતું વિધવાનું નામ ઘણું બધું કહી જાય છે. ધાર્મિક નીતિનિયમોના કડક પાલનથી શરૂ કરી…

વધુ વાંચો >