Sociology

રાણી રાસમણિદેવી

રાણી રાસમણિદેવી [જ. સપ્ટેમ્બર 1793, કોનાગામ (કોલકાતા); અ. 19 ફેબ્રુઆરી 1861, કોલકાતા] : કોલકાતાના દક્ષિણેશ્વર મંદિરનાં સ્થાપક તેજસ્વી જમીનદાર મહિલા. મૂળ નામ રાસમણિ, પણ માતા રામપ્રિયાદેવી તેમને લાડમાં ‘રાણી’ કહેતાં તેથી રાણી રાસમણિ નામ પ્રસિદ્ધ થયું. માતા અને પિતા હરેકૃષ્ણદાસ ભક્તિપરાયણ હતાં. પિતા પાસે લખતાં-વાંચતાં શીખ્યા પછી તેઓ નાનપણથી પુરાણકથાઓ…

વધુ વાંચો >

રાનડે, મહાદેવ ગોવિંદ

રાનડે, મહાદેવ ગોવિંદ (જ. 18 જાન્યુઆરી 1842, નિફાડ, જિ. નાશિક; અ. 17 જાન્યુઆરી 1901, મુંબઈ) : સમાજસુધારક, સ્વાતંત્ર્ય-આંદોલનના અગ્રણી મવાળ નેતા અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી. તેમના પિતા કોલ્હાપુર રિયાસતના મંત્રી હતા. તેમનાં માતાનું નામ ગોપિકાબાઈ. પ્રારંભિક શિક્ષણ તેમણે નાશિકની ઍંગ્લો-વર્નાક્યુલર શાળામાં લીધું. 14મા વર્ષે મુંબઈ યુનિવર્સિટી-સંલગ્ન એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા અને…

વધુ વાંચો >

રાનડે, રમાબાઈ

રાનડે, રમાબાઈ (જ. 25 જાન્યુઆરી 1862; અ. 1924) : સમાજસુધારક અને મહિલા મતાધિકારનાં પુરસ્કર્તા નેત્રી. પિતા મહાદેવ માણિકરાવ કુર્લેકર આયુર્વેદના વૈદ્ય હતા. 11 વર્ષની વયે, 1873માં તેમનાં લગ્ન જાણીતા ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે સાથે થયાં. લગ્નસમયે તેમના પતિની વય 31 વર્ષની હતી અને રમાબાઈ સાવ અશિક્ષિત હતાં. રાનડે મહારાષ્ટ્રમાંના પ્રગતિશીલ…

વધુ વાંચો >

રામકૃષ્ણ મિશન

રામકૃષ્ણ મિશન (સ્થાપના 1 મે 1897) : રામકૃષ્ણ પરમહંસના ઉપદેશોમાં ઊંડી આસ્થા ધરાવનારા અને તે ઉપદેશોને આમજનતા સુધી પહોંચાડી શકે તેમજ સંતપ્ત, દુ:ખી અને પીડિત માનવજાતની નિ:સ્વાર્થ સેવા કરી શકે એવા સાધુઓ અને સંન્યાસીઓનું સ્વામી વિવેકાનંદે સ્થાપેલું સંગઠન. તેઓ આ સંગઠન દ્વારા વેદાંતદર્શનના ‘तत्वमसि’ સિદ્ધાંતને વ્યાવહારિક રૂપ આપવા માગતા હતા.…

વધુ વાંચો >

રાયજી, જયશ્રી

રાયજી, જયશ્રી (જ. 26 ઑક્ટોબર 1895, સૂરત; અ. 28 ઑગસ્ટ 1985, મુંબઈ) : અગ્રણી સામાજિક કાર્યકર. પિતા મનુભાઈ મહેતા વડોદરા રિયાસતના દીવાન હતા. મુંબઈ યુનિવર્સિટી સાથે તે સમયે સંલગ્ન વડોદરાની કૉલેજમાંથી તત્ત્વજ્ઞાન વિષયમાં બી.એ.ની પદવી મેળવી. 1918માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન. એમ. રાયજી સાથે લગ્ન થતાં મુંબઈ ખાતે સ્થળાંતર કર્યું અને…

વધુ વાંચો >

રાય, રાજા રામમોહન

રાય, રાજા રામમોહન (જ. 1772; અ. 27 ઑક્ટોબર 1833, બ્રિસ્ટોલ) ભારતીય નવજાગૃતિના પિતા અને ભારતીય ઇતિહાસના નવાયુગના અગ્રદૂત. જન્મ બંગાળના એક બ્રાહ્મણ કુટુંબમાં. 1831-32ના અરસામાં તત્કાલીન દિલ્હીના શાસક અકબર બીજાને ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા જે મહેનતાણું આપવામાં આવતું હતું તે અંગે પોતાને પડતી મુશ્કેલીઓને ગ્રેટબ્રિટનના રાજા સમક્ષ રજૂ કરવા માટે…

વધુ વાંચો >

રાય, રેણુકા

રાય, રેણુકા (જ. 4 જાન્યુઆરી 1904; અ. એપ્રિલ 1997) : બંગાળી સમાજસેવિકા. ચારુલતા અને સતીશચંદ્ર મુખરજીનાં પ્રથમ પુત્રી. પિતા ઇંડિયન સિવિલ સર્વિસમાં હોવાથી બંગાળાનાં જિલ્લામથકોએ જિલ્લા મૅજિસ્ટ્રેટ રૂપે વારંવાર બદલી પામતા. રેણુકાને આથી દેશનું પ્રત્યક્ષ દર્શન કરવાનો લાભ મળ્યો. સાથેસાથે તેમને ગોરા અધિકારીઓ દ્વારા પિતાને થતો અન્યાય અને તેમનું કરાતું…

વધુ વાંચો >

રાવલ, ઇન્દ્રશંકર

રાવલ, ઇન્દ્રશંકર (જ. 2 સપ્ટેમ્બર 1920, પોરબંદર; અ. 29 ઑગસ્ટ 2002, ગાંધીનગર) : સ્વાતંત્ર્યસેનાની, સંશોધક, વિદ્યાવ્યાસંગી અને અધ્યાત્મવાદી. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના સંસ્કારી ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ખોડીદાસ એકેશ્વરવાદી શિવોપાસક, કમ્પાઉન્ડર; નૉન-મેટ્રિક છતાં અંગ્રેજી અને લૅટિનનો ભારે શોખ તથા ચિત્રકાર. વૈષ્ણવ પુદૃષ્ટિ સંપ્રદાયમાં માનનાર, ચુસ્ત ગાંધીભક્ત માતા ધનલક્ષ્મી ધારાસણા મીઠા…

વધુ વાંચો >

રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ નિગમ (National Industrial Development Corporation  (N.I.D.C.)

રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ નિગમ (National Industrial Development Corporation  (N.I.D.C.) : પાયાના ઉદ્યોગો શરૂ કરવામાં મદદરૂપ થવા ભારત સરકારે સ્થાપેલું નિગમ. ભારત સરકારે ઑક્ટોબર, 1954માં ખાનગી કંપની તરીકે રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ કૉર્પોરેશનની રૂપિયા એક કરોડની મૂડીથી સ્થાપના કરેલી. તેનું મુખ્ય મથક દિલ્હીમાં છે. ભારતીય અર્થતંત્રના વિકાસ માટે જે પાયાના ઉદ્યોગો જરૂરી…

વધુ વાંચો >

રાષ્ટ્રીયકરણ

રાષ્ટ્રીયકરણ : ખાનગી ક્ષેત્રની માલિકી હેઠળના કોઈ પણ આર્થિક ઘટકને રાજ્યની માલિકી હેઠળ મૂકવાની નીતિ અને પ્રક્રિયા. રાષ્ટ્રીયકરણ દ્વારા એક અથવા વધારે આર્થિક એકમોની માલિકીનું હસ્તાંતરણ કરવામાં આવે છે. અપવાદજનક કિસ્સાઓમાં રાજકીય હેતુ માટે રાષ્ટ્રીયકરણ કરવામાં આવતું હોય તોપણ તે મહદ્અંશે આર્થિક વિચારસરણીને અધીન હોય છે. કેટલીક વાર રાજકીય અને…

વધુ વાંચો >