Political science

રામચંદ્રન્, એમ. જી.

રામચંદ્રન્, એમ. જી. (જ. 1917, કૅન્ડી, શ્રીલંકા; અ. 24 ડિસેમ્બર 1987, ચેન્નાઈ) : દક્ષિણ ભારતીય ચિત્રોના અભિનેતા અને રાજકારણી. મૂળ નામ : મારુદર ગોપાલમેનન રામચંદ્રન્. તમિળ ચિત્રોમાં આદર્શવાદી અને ભલા તથા પરદુ:ખભંજક નાયકની જ મોટાભાગે ભૂમિકાઓ ભજવીને એક આદર્શ છબિ ઉપસાવનાર આ અભિનેતા ‘એમજીઆર’ તરીકે લોકપ્રિય બન્યા હતા. તેમના જન્મ…

વધુ વાંચો >

રામારાવ, એન. ટી.

રામારાવ, એન. ટી. (જ. 28 મે 1923, નિમ્માકુરુ, આંધ્રપ્રદેશ; અ. 18 જાન્યુઆરી 1996, હૈદરાબાદ) : ચલચિત્રોના ખ્યાતનામ અભિનેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી. પિતા લક્ષ્મીરામ અને માતા વેંકટરામ્મા. સ્નાતક થયા બાદ 1947માં મદ્રાસ સેવા પંચમાં નાયબ રજિસ્ટ્રાર તરીકે જોડાયા, પણ 3 સપ્તાહના અત્યંત ટૂંકા ગાળામાં તે કામગીરી છોડી ફિલ્મક્ષેત્રે પ્રવેશ્યા. 1949થી ’82…

વધુ વાંચો >

રામ્ફાલ, શ્રીદથ સુરેન્દ્રનાથ (સર)

રામ્ફાલ, શ્રીદથ સુરેન્દ્રનાથ (સર) (જ. 1928, ગિયાના) : ગિયાનાના રાજકારણી. સોની રામ્ફાલ તરીકે તેઓ જાણીતા બન્યા હતા. વ્યવસાય વકીલાતનો. જોકે મુત્સદ્દી તરીકે વિશેષ જાણીતા છે. લંડનની કિંગ્ઝ કૉલેજમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને 1951માં વકીલાતનો પ્રારંભ કર્યો. તે પછી ગિયાનામાં પાછા ફરી 1952થી વિવિધ સ્તરે જવાબદારીભર્યાં રાજકીય સ્થાનો શોભાવ્યાં. 1972માં ગિયાનાના…

વધુ વાંચો >

રાવલપિંડી

રાવલપિંડી : રાજકીય વિભાગ : પાકિસ્તાનના ઈશાન ભાગમાં આવેલો રાજકીય એકમ. આ વિભાગમાં રાવલપિંડી, જેલમ, ગુજરાત અને અટક જિલ્લાઓનો સમાવેશ થાય છે. અહીંથી પસાર થતી સૉલ્ટ રેન્જ (ગિરિમાળા) આ એકમને બે વિભાગોમાં વહેંચી નાખે છે : ગિરિમાળાની અગ્નિદિશા તરફ ગુજરાત(પાકિસ્તાન)નો વિસ્તાર તથા ઉત્તર તરફના થોડા ભાગને બાદ કરતાં બાકીના ત્રણ…

વધુ વાંચો >

રાવ, સી. રાજેશ્વર

રાવ, સી. રાજેશ્વર (જ. 6 જૂન 1914, મંગલપુરમ્; અ. 9 એપ્રિલ 1994) : ભારતીય સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા. પિતા સુબૈયા અને માતા રંગામ્મા. જૂન 1950માં રણદિવેને સ્થાને તેમને ભારતીય સામ્યવાદી પક્ષના મહામંત્રી બનાવવામાં આવ્યા. જોકે આ હોદ્દા પરથી 1951માં તેમણે રાજીનામું આપ્યું હતું. ભારતીય ખેતમજૂર યુનિયનના ઉપપ્રમુખ તરીકે પણ તેમણે…

વધુ વાંચો >

રાષ્ટ્રગીત

રાષ્ટ્રગીત : રાષ્ટ્ર પ્રત્યે પ્રજાનો પ્રેમ તથા ભક્તિનો ભાવ વ્યક્ત કરતું રાષ્ટ્રનું સત્તાવાર ગીત. મોટે ભાગે તે સમૂહમાં ગવાય છે. સાથે વાદ્યવૃંદનું સંગીત પણ હોઈ શકે છે. રાષ્ટ્રગીતનો હેતુ રાષ્ટ્રજનોમાં રાષ્ટ્ર પ્રત્યે, જરૂર પડ્યે બલિદાનની ભાવના પ્રેરવાનો છે. રાષ્ટ્રીય પર્વ, વિશેષ પ્રસંગ, આંતરરાષ્ટ્રીય સંમેલન, રમતોત્સવ અને પરદેશી અતિથિના સ્વાગત જેવા…

વધુ વાંચો >

રાષ્ટ્રધ્વજ

રાષ્ટ્રધ્વજ : દેશના સ્વાભિમાનના પ્રતીકરૂપ ધજા, જેની ગરિમા જાળવતાં રાષ્ટ્રજનો પ્રાણ આપવા પણ તૈયાર થઈ જતા હોય છે. આ ધ્વજ કે ધજામાં રેશમી, ઊની, સુતરાઉ એમ વિવિધ કાપડ વપરાય છે. માપ દોઢ x એકના વ્યાપક માપ કરતાં કોઈ વાર ભિન્ન હોય છે. કપડા ઉપર રંગબેરંગી પટા અને ઘણી વાર વિશેષ…

વધુ વાંચો >

રાષ્ટ્રનિર્માણ

રાષ્ટ્રનિર્માણ : સંકીર્ણ ભાવનાઓ ત્યજી બૃહત સ્તરે રચાતું રાષ્ટ્રીય જોડાણ. રાષ્ટ્રનિર્માણ એટલે નવા રાજ્ય કે રાષ્ટ્રનો જન્મ નહીં, પરંતુ વિવિધ વર્ગો જૂથો કે લોકો વચ્ચે પ્રવર્તતી સાંકડી રાષ્ટ્રીય લાગણીઓ ત્યાગી સમાજના તમામ વર્ગો, વિભાગો અને સ્તરો દેશની એકતાના મુખ્ય પ્રવાહમાં જોડાય તેવા પ્રયાસો. અહીં બે પ્રક્રિયાઓ એકસાથે ચાલે છે. એક…

વધુ વાંચો >

રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ : ભારતીય સંઘરાજ્યના બંધારણીય વડા. તેમની ચૂંટણી, તેમનો કાર્યકાળ, તેમના પદ માટેની લાયકાતો તથા ભારતના બંધારણમાં તે પદ ધરાવતી વ્યક્તિને આપવામાં આવેલા વિશેષાધિકારની વિગતો ભારતીય પ્રજાતંત્રના બંધારણના અનુચ્છેદ 52થી 75માં દર્શાવવામાં આવેલી છે. દેશના જે નાગરિકની ઉંમર 35 અથવા તેના કરતાં વધારે હોય તથા જે વ્યક્તિ લોકસભાની સદસ્યતા ધરાવવાની…

વધુ વાંચો >

રાષ્ટ્રપતિ-શાસન

રાષ્ટ્રપતિ-શાસન : ભારતીય સંઘના કોઈ પણ ઘટક રાજ્યનું શાસનતંત્ર દેશના બંધારણની જોગવાઈઓ મુજબ ચલાવી શકાય તેમ ન હોય ત્યારે તેના તાત્કાલિક ઉકેલ તરીકે દેશના બંધારણની કલમ 356 હેઠળ કરવામાં આવેલી જોગવાઈ. ભારતના રાષ્ટ્રપતિ આવા રાજ્યનું શાસનતંત્ર જાહેરનામું બહાર પાડીને પોતાને હસ્તક લઈ શકે, એવી જોગવાઈ ઉપર્યુક્ત કલમમાં કરવામાં આવેલી હોવાથી…

વધુ વાંચો >