Music
બંદ્યોપાધ્યાય, કણિકા
બંદ્યોપાધ્યાય, કણિકા (જ. 12 ઑક્ટોબર 1924, સોનામુખી, જિલ્લો બાંકુરા; અ. 5 એપ્રિલ 2000, કલકત્તા) : રવીન્દ્રસંગીતનાં વિખ્યાત ગાયિકા. સમગ્ર શિક્ષણ વિશ્વભારતી ખાતે. નાની ઉંમરે રવીન્દ્રનાથ ટાગોરે કણિકામાં રહેલી સંગીત પ્રતિભાને પારખી હતી; એટલું જ નહિ, પરંતુ ગુરુદેવની નિશ્રામાં જ કણિકાએ સંગીતનું પ્રારંભિક શિક્ષણ લીધું હતું. ગુરુદેવ ઉપરાંત રવીન્દ્રસંગીતના કેટલાક અન્ય…
વધુ વાંચો >બાઈ નારવેકર
બાઈ નારવેકર (જ. 21 નવેમ્બર 1905, અંકોલા, ગોવા; અ. ?) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના આગ્રા ઘરાણાનાં જાણીતાં ગાયિકા. પિતાનું નામ સુબ્બરાવ. માતાનું નામ સુભદ્રાબાઈ, જેઓ પોતે પણ સારાં કલાકાર હતાં. વતની ગોવાનાં, પણ તેઓ મુંબઈમાં વસ્યાં હતાં. સંગીતની પ્રાથમિક તાલીમ તેમણે તેમની માતા પાસેથી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ મુંબઈના…
વધુ વાંચો >બાખ, કાર્લ ફિલિપ ઇમૅન્યુઅલ
બાખ, કાર્લ ફિલિપ ઇમૅન્યુઅલ (જ. 1714, વેઇમર, જર્મની; અ. 1788) : જર્મનીના નિષ્ણાત વાદક અને સંગીતરચનાકાર (કમ્પોઝર). તેઓ બર્લિન બાખ અથવા હૅમ્બર્ગ બૅચ તરીકે પણ લોકપ્રિય હતા. તેમણે લાઇપઝિગ ખાતે અભ્યાસ કર્યો હતો. ત્યાં તેમના પિતા યહૂદીઓના પ્રાર્થનામંદિરના અગ્રગાયક હતા. 1740માં તેઓ ભાવિ ફ્રેડરિક બીજા માટેના સંગીતવૃંદમાં સિમ્બૅલિસ્ટ તરીકે નિયુક્ત…
વધુ વાંચો >બાખ, જોહાન સેબાસ્ટિયન
બાખ, જોહાન સેબાસ્ટિયન (જ. 1685, આઇઝેનાક, જર્મની; અ. 1750, લિપઝિગ, જર્મની) : પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના મહાન સર્જક, રચનાકાર તથા ઑર્ગન-વાદક. સંગીતકારોના પરિવારમાં જન્મ. પિતાનું નામ ઍબ્રૉસિયસ તથા માતાનું નામ એલિઝાબેથ લૅમરહર્ટ. જોહાન દસ વર્ષના હતા ત્યારે માતા-પિતાનું અવસાન થયું. નાનપણથી સંગીત પ્રત્યે રુચિ. શરૂઆતનું સંગીતનું શિક્ષણ પિતા પાસેથી લીધું અને…
વધુ વાંચો >બાપોદરા, વિઠ્ઠલદાસ વલ્લભદાસ
બાપોદરા, વિઠ્ઠલદાસ વલ્લભદાસ (જ. 8 ઑગસ્ટ 1924, પોરબંદર) : ગુજરાતના ખ્યાતનામ હવેલી-સંગીતકાર. હવેલી-સંગીતનો વારસો તેમને વંશપરંપરાગત રીતે મળ્યો છે. તેમના દાદા પરસોતમદાસ તથા પિતા વલ્લભદાસ બંને હવેલી-સંગીતના નિપુણ સંગીતકારો હતા. તેમણે સંગીતશિક્ષણ ભારતના પ્રખ્યાત હાર્મોનિયમ-વાદક સદગત ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજ પાસેથી અને હવેલી-સંગીતની તાલીમ તેમના પિતા વલ્લભદાસ પાસેથી ખૂબ જ નાની…
વધુ વાંચો >બાલાસુબ્રમણ્યમ્, એસ. પી.
બાલાસુબ્રમણ્યમ્, એસ. પી. (જ. 4 જૂન 1946 નેલ્લોર, આંધ્રપ્રદેશ અ. 25 સપ્ટેમ્બર 2020 ચેન્નાઈ) : વિખ્યાત ગાયક, સંગીતકાર, અભિનેતા અને ફિલ્મનિર્માતા. એસ. પી. બી. કે પછી બાલુ જેવા લાડનામે ઓળખાતા ભારતીય પ્લેબેક સિંગરનું મૂળ નામ શ્રીપતિ પંડિત આરાધ્યુલા બાલાસુબ્રમણ્યમ્. તેઓ આંધ્રપ્રદેશના ‘વીરાશિવા લિંગાયત’ પરિવારમાં જન્મ્યા હતા. માતા સકુંથલામ્મા અને પિતા…
વધુ વાંચો >બિલાવલ
બિલાવલ : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક જાણીતો પ્રભાતકાલીન રાગ. સંસ્કૃત સાહિત્યમાં પણ તેનો ઉલ્લેખ છે. જોકે ત્યારના ‘બેલાવલી’, ‘બેલાવલ’ કે ‘બિલાવલી’ નામોથી ઓળખાતા રાગનું સ્વરૂપ આજના બિલાવલ રાગ કરતાં થોડું ભિન્ન છે. ગાયન કે વાદનમાં સાતે સ્વરો શુદ્ધ સ્વરૂપમાં પ્રયુક્ત થાય તેને આજે બિલાવલ થાટ કહે છે. શુદ્ધ સ્વરના…
વધુ વાંચો >બિલાસખાં
બિલાસખાં : તાનસેનના પુત્ર અને અકબરના દરબારી સંગીતકાર. તાનસેનની જેમ તેઓ પોતે સારા ગાયક હતા અને એમણે ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તાનસેનના ચાર પુત્રોમાં તે સૌથી નાના હતા. તાનસેનના અન્ય ત્રણ પુત્રોમાં સૂરતસેન, શરતસેન અને તરંગસેન. બિલાસખાં એકાન્તપ્રિય સંગીતજ્ઞ હોવાથી મોટાભાગે જંગલમાં જઈને જ તેઓ સંગીતસાધના કરતા હતા. એક…
વધુ વાંચો >બિલાસખાંની તોડી
બિલાસખાંની તોડી : ભૈરવી રાગના સ્વરો દ્વારા ગવાતો તોડી રાગ. તે ગંભીર પ્રકૃતિનો રાગ છે. કહેવાય છે કે અકબરના દરબારી ગાયક વિખ્યાત તાનસેનના પુત્ર બિલાસખાંએ આ રાગની રચના કરી હતી અને તેમના નામ પરથી જ આ રાગનું નામ ‘બિલાસખાંની તોડી’ પડ્યું છે. આ રાગ દિવસના પ્રથમ પ્રહરમાં ગવાય છે. તેમાં…
વધુ વાંચો >બિસ્મિલ્લાખાં
બિસ્મિલ્લાખાં (જ. 21 માર્ચ 1916, ડુમરાવ, જિ. ભોજપુર; અ. 21 ઑગસ્ટ 2006, વારાણસી) : પરંપરાગત વાદ્ય શરણાઈને આધુનિક યુગમાં વિશેષ પ્રચલિત બનાવનાર વિખ્યાત ભારતીય કલાકાર. છેલ્લા લગભગ પાંચ દાયકાઓ દરમિયાન યોજાયેલાં વિભિન્ન સંમેલનો તથા કાર્યક્રમોની શરૂઆત તેમના શ્રુતિમધુર શરણાઈવાદનથી થતી રહી છે. ખાંસાહેબનો જન્મ પ્રસિદ્ધ શરણાઈવાદકોના કુટુંબમાં થયો હતો. તેમના…
વધુ વાંચો >