Geography
રાજાજી (જિલ્લો)
રાજાજી (જિલ્લો) : તમિળનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 11° 14´ ઉ. અ. અને 78° 10´ પૂ. રે.ની આજુબાજુનો 3429 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સેલમ જિલ્લો, પૂર્વમાં સેલમ જિલ્લો તથા પેરામ્બુર થિરુવલ્લુવર અને પેરુમ્બિડુગુ મુથરાયર જિલ્લા, અગ્નિ તરફ તિરુચિરાપલ્લી, દક્ષિણે દીરન ચિન્નામલાઈ જિલ્લો તથા પશ્ચિમે પેરિયાર…
વધુ વાંચો >રાજાપાલયમ્
રાજાપાલયમ્ : જુઓ રામનાથપુરમ્
વધુ વાંચો >રાજુલા (તાલુકો)
રાજુલા (તાલુકો) : ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલા અમરેલી જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને નગર. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 00´ ઉ. અ. અને 71° 20´ પૂ. રે.ની આજુબાજુનો 850 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકાની ઉત્તરે અને પૂર્વમાં ભાવનગર જિલ્લાના કુંડલા અને મહુવા તાલુકા, દક્ષિણે અરબી સમુદ્ર અને…
વધુ વાંચો >રાજૌરી
રાજૌરી : જમ્મુ-કાશ્મીર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 32° 58´થી 33° 35´ ઉ. અ. અને 74° 0´થી 74° 40´ પૂ. રે. વચ્ચેનો 2,630 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પુંચ, પૂર્વમાં ઉધમપુર, દક્ષિણે જમ્મુ જિલ્લાઓ તથા પશ્ચિમે ભારત-પાકિસ્તાન વચ્ચેની અંકુશરેખા…
વધુ વાંચો >રાણપુર
રાણપુર : અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સુકભાદર નદીને કાંઠે આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 21´ ઉ. અ. અને 71° 43´ પૂ. રે. પર તાલુકામથક ધંધુકાથી 28 કિમી. દૂર આવેલું છે. રાણજી ગોહિલે તેની સ્થાપના કરેલી હોવાથી તેનું નામ રાણપુર પડેલું છે. રાણપુર સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ…
વધુ વાંચો >રાણાઘાટ
રાણાઘાટ : પશ્ર્ચિમ બંગાળ રાજ્યના નદિયા જિલ્લાનું વડું વહીવટી મથક અને અગત્યનું નગર. કૃષ્ણનગરનો એક વહીવટી ઉપવિભાગ. ભૌગોલિક સ્થાન : 23° 11´ ઉ. અ. અને 88° 35´ પૂ. રે. પ્રાકૃતિક રચના-આબોહવા : આ નગર ભાગીરથી નદી(હુગલી નદી)ના કાંપ-માટીનિર્મિત નિક્ષેપોના સમતળ મેદાની વિસ્તારમાં આવેલું છે. હુગલી નદી આ નગરથી પશ્ર્ચિમે આશરે…
વધુ વાંચો >રાણાવાવ
રાણાવાવ : પોરબંદર જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 40´ ઉ. અ. અને 69° 40´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 588 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જામનગર જિલ્લો, પૂર્વમાં કુતિયાણા તાલુકો તથા દક્ષિણે અને પશ્ર્ચિમે પોરબંદર તાલુકો આવેલા છે. તાલુકામથક પોરબંદરથી ઈશાનમાં 16 કિમી.ને…
વધુ વાંચો >રાણીખેત
રાણીખેત : ઉત્તરાંચલ રાજ્યના અલ્મોડા જિલ્લાનું હવા ખાવાનું ગિરિમથક. ભૌગોલિક સ્થાન : 29° 39´ ઉ. અ. અને 79° 25´ પૂ. રે. પર તે શિવાલિક હારમાળામાં આવેલું છે. તે સમુદ્રસપાટીથી આશરે 1,500 મીટરની ઊંચાઈ પર આવેલું હોવાથી તેનું હવામાન ખુશનુમા રહે છે. રાણીખેત, તેની પૂર્વમાં આવેલું અલ્મોડા અને દક્ષિણમાં આવેલું નૈનીતાલ …
વધુ વાંચો >રાણીગંજ
રાણીગંજ : પશ્ર્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 23° 37´ ઉ. અ. અને 87° 08´ પૂ. રે.. તે વર્ધમાન જિલ્લાના પશ્ર્ચિમ ભાગમાં વર્ધમાનથી વાયવ્યમાં કુલિક નદી પર આવેલું છે. તે તેની આજુબાજુના વિસ્તારો માટે કૃષિપેદાશોના વેપારનું અને શણનિકાસનું અગત્યનું મથક બની રહેલું છે. આ કારણે તે ઇંગ્લિશ બઝાર…
વધુ વાંચો >રાણી ગુફા
રાણી ગુફા : ઓરિસામાં ભુવનેશ્વર પાસે ઉદયગિરિ અને ખંડગિરિ નામની જૈન ગુફાઓ પૈકીની મુખ્ય ગુફા. ઈ. પૂ. બીજી સદીમાં ઉદયગિરિમાં કંડારાયેલી આ ગુફા ત્યાંની 35 ગુફાઓમાં સહુથી પ્રાચીન હોવા ઉપરાંત તે રચના અને સજાવટની દૃદૃષ્ટિએ ભારતીય ગુફા-સ્થાપત્યમાં વિશિષ્ટ ભાત પાડે છે. આ ગુફા બે મજલાની છે અને તેની મધ્યમાં ચોક…
વધુ વાંચો >