Archeology

અવન્તીપુર

અવન્તીપુર : કાશ્મીરના રાજા અવન્તિવર્માએ શ્રીનગરના અગ્નિખૂણે આશરે 29 કિમી. દૂર જેલમ નદીને કિનારે બાંધેલી રાજધાની. આ રાજધાનીના ભગ્નાવશેષોની વ્યવસ્થિત તપાસ બાકી છે. તેમાં દેખાતા અવન્તેશ્વરના શિવમંદિર તથા અવન્તીસ્વામીના વૈષ્ણવ મંદિરના ભગ્નાવશેષોને લીધે આ સ્થળ જાણીતું છે. અવન્તેશ્વરનું શિવાલય ઘણું તૂટી ગયું છે. તે મૂળ શિવપંચાયતન હોવાનું સમજાય છે. તેના…

વધુ વાંચો >

અશ્મ ઓજારો

અશ્મ ઓજારો : આદિમાનવે ઉપયોગમાં લીધેલાં પથ્થરનાં ઓજારો. પારિભોગિક સામગ્રી પરથી માનવઇતિહાસ તપાસતાં, માનવે વાપરેલા પથ્થરો કે તેને ફોડીને બનાવેલાં ઓજારો સૌથી જૂનાં સાધનો છે. મનુષ્યે વાપરેલા કે ઘડેલા પથ્થરો કુદરતી પથ્થરો કરતાં જુદાં રૂપરંગ ધારણ કરતાં હોવાથી અલગ તરી આવે છે. પથ્થર વાપરવા કે ઘડવા માટે પથ્થરની પસંદગી, પથ્થર…

વધુ વાંચો >

અહિચ્છત્રા

અહિચ્છત્રા : મહાભારત પ્રમાણે અહિચ્છત્રા ઉત્તર પાંચાલની રાજધાની હતી. હાલ આ સ્થળ બરેલી જિલ્લામાં રામનગરની પાસે આવેલું છે. શિલાલેખમાં એને અધિચ્છત્ર તરીકે ઓળખાવેલ છે. એનું અહિકક્ષેત્ર એવું નામ પણ મળે છે. જૈન સાહિત્યમાં એને જાંગલ દેશના મુખ્ય શહેર તરીકે વર્ણવ્યું છે. સૌપ્રથમ કનિંગહામે અહીં ખોદકામ કરાવ્યું ત્યારે અશોકકાલીન એક સ્તૂપના…

વધુ વાંચો >

અંશુવર્માનો સંવત

અંશુવર્માનો સંવત : જુઓ, સંવત

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >

આનંદ પેગોડા (પાગાન, મ્યાનમારમાં)

આનંદ પેગોડા (પાગાન, મ્યાનમારમાં) : મ્યાનમારમાં પાગાન નગરમાં આવેલું પ્રસિદ્ધ બૌદ્ધ મંદિર. આ મંદિર ક્યાનઝીથ્થ (1084–1112) રાજાએ 1090માં બંધાવ્યું હતું. આ બૌદ્ધ પેગોડા આશરે 187 મી. × 187 મી.ના સમચોરસમાં બાંધેલું છે અને આશરે 90 મી. પહોળું તથા 50 મી. ઊંચું છે. તેની વિવિધ બેઠકોનું નીચેથી ઉપર ઘટતું જતું કદ,…

વધુ વાંચો >

આમરી

આમરી : સિંધુ નદીને કિનારે આવેલા પ્રાચીન સંસ્કૃતિના ટીંબા. નન્દિગોપાલ મજુમદારે 1929માં અને કેસલે 1959-62 સુધીમાં સિંધુ નદીને કિનારે આવેલા આમરીના ટીંબામાં ઉત્ખનનો કર્યાં હતાં. તે હાલ પાકિસ્તાનમાં છે. તેમાંથી મળેલા અવશેષો એ તામ્રાશ્મયુગના હોવાનું અને આશરે ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દીના હોવાનું દર્શાવે છે. આમરીના પ્રાચીન ટીંબાઓમાંથી મળેલાં માટીનાં વાસણો…

વધુ વાંચો >

આહડ

આહડ : રાજસ્થાનમાં ઉદયપુરની ઈશાન તરફ આશરે ચાર કિમી. દૂર આવેલી મહત્વની પ્રાચીન વસાહત. અહીં ઐતિહાસિક યુગનાં ઘણાં મંદિરો, શિલ્પો આદિ મળી આવે છે. આ નગરની સ્થાપના ઘણા પ્રાચીન સમયમાં થઈ હોવાનું અહીંના પુરાવસ્તુ અવશેષો દર્શાવે છે. આ વિસ્તારમાં તાંબાની ખાણો આવેલી છે. આ ખાણોમાંથી કાચો માલ કાઢીને તે શુદ્ધ…

વધુ વાંચો >

ઇનામગાંવ

ઇનામગાંવ : મહારાષ્ટ્રના જિલ્લા મથક પુણેથી પૂર્વમાં 80 કિમી. દૂર ઘોડ નદીના જમણા કાંઠા ઉપર આવેલું ગામ. અહીં 1970-84 દરમિયાન મધ્ય પાષાણયુગથી માંડીને ઈ. સ. પૂ. 700 સુધીના વિવિધ અવશેષો મળી આવ્યા છે. મધ્ય પાષાણયુગ અને આદ્ય પાષાણયુગનાં ફળાં, રંદા, પતરીઓ, છીણી વગેરે તથા કાચબાની પીઠના અશ્મીભૂત ટુકડા અને લઘુપાષાણયુગના…

વધુ વાંચો >

ઈસવી સન

ઈસવી સન : ઈસવી સન હાલ દુનિયાના લગભગ બધા જ દેશોમાં અત્યંત પ્રચલિત છે. એનો આરંભ રોમ શહેરની સ્થાપનાના 754મા વર્ષની 1લી જાન્યુઆરીથી થયેલો મનાય છે. ઈસુ ખ્રિસ્તના જન્મના વર્ષ સાથે આ સંવતને સાંકળવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તનો જન્મ એ સમયે રોમની સ્થાપનાના 753મા વર્ષની 25મી ડિસેમ્બરે થયેલો એમ માનવામાં…

વધુ વાંચો >