Allopathy

સગર્ભતા, પ્રસૂતિ અને સૂતિકાકાલ

સગર્ભતા, પ્રસૂતિ અને સૂતિકાકાલ અનુક્રમે ગર્ભધારણ, શિશુજન્મ (પ્રસવ) અને તે પછીનો સમય. સ્ત્રીઓનો ગર્ભધારણશીલતાનો સમયગાળો (reproductive period) સ્ત્રીયૌવનારંભ-(menarche)થી ઋતુસ્રાવનિવૃત્તિ (menopause) સુધીનો ગણાય છે. સામાન્ય રીતે તે 13થી 45 વર્ષ સુધીનો સમયગાળો છે. સ્ત્રીનો અંડકોષ પુરુષના શુક્રકોષ દ્વારા ફલિત થાય અને તે ફલિતાંડનું સ્ત્રીના જનનમાર્ગમાં અંત:સ્થાપન (implantation) થાય ત્યારથી ગર્ભધારણનો કાળ…

વધુ વાંચો >

સગર્ભતા, બહુગર્ભી (multiple pregnancy)

સગર્ભતા, બહુગર્ભી (multiple pregnancy) : એક ગર્ભાશયમાં એકસાથે એકથી વધુ ગર્ભનો વિકાસ થવો તે. જો 2 ગર્ભશિશુઓ વિકસે તો તેને જોડકાં (twins) કહે છે. જો 3 ગર્ભશિશુઓ હોય તો તેને ત્રિજોડ (triplets), 4 ગર્ભશિશુઓ હોય તો ચતુર્જોડ (quadruplets), 5 ગર્ભશિશુઓ હોય તો તેને પંચજોડ (quintupets) અથવા 6 ગર્ભશિશુઓ હોય તો…

વધુ વાંચો >

સગર્ભાવસ્થાનું અતિવમન (hyperemesis gravidarum)

સગર્ભાવસ્થાનું અતિવમન (hyperemesis gravidarum) : સગર્ભા સ્ત્રીને અતિશય ઊલટીઓ થવી તે. ઊલટી થવાનાં સગર્ભાવસ્થા સિવાય પણ અનેક કારણો હોય છે. સગર્ભાવસ્થામાં જોવા મળતી ઊલટીના વિકારનાં કારણો સારણીમાં દર્શાવ્યાં છે : સારણી : સગર્ભા સ્ત્રીને થતી ઊલટીનાં કેટલાંક મહત્વનાં કારણો વિભાગ અને જૂથ ઉદાહરણો (અ) શરૂઆતની સગર્ભતા (1) સગર્ભતા સંબંધિત કારણો…

વધુ વાંચો >

સગોત્રતા (consanguinity)

સગોત્રતા (consanguinity) : લોહીની સગાઈ અથવા સમાન પૂર્વજોને કારણે ઉદ્ભવતું સગપણ. માતા કે પિતાની સગાઈથી ઉદ્ભવતી સગોત્રતાને અનુક્રમે માતૃપક્ષી સગોત્રતા અને પિતૃપક્ષી સગોત્રતા કહે છે. તેનો સંબંધ વ્યક્તિગત સંબંધો, સામાજિક સંબંધો, કૌટુંબિક તથા આનુવંશિક રોગો અને વિકારો, કાયદાને સંબંધે લગ્ન તથા વારસાઈ હકના મુદ્દાઓ તથા ધાર્મિક અને નૈતિક વિચારણાઓ અને…

વધુ વાંચો >

સપૂયગડ (ગૂમડું, abscess)

સપૂયગડ (ગૂમડું, abscess) : એક સ્થળે પરુ ભરાવું તે. સાદી ભાષામાં તેને પાકી જવું કે પાકવું કહે છે. શાસ્ત્રીય રીતે તેને પૂયન(suppuration)ની ક્રિયા કહે છે. ચામડીની નીચેની પેશીમાં જ્યારે જીવાણુજન્ય (bacterial) ચેપ (infection) લાગે છે ત્યારે ત્યાંની પેશીને નુકસાન થાય છે અને તેમાં પેશીનાશ (necrosis) થાય છે. તેને કારણે પ્રતિક્રિયા…

વધુ વાંચો >

સમસ્થિતિ (homeostasis)

સમસ્થિતિ (homeostasis) : શરીરનાં વિવિધ પ્રવાહીઓ અને પેશીઓની વિવિધ ક્રિયાઓમાં પરસ્પર વિરોધી દબાણો તથા રસાયણો વચ્ચે સંતુલન જાળવવાની સ્થિતિ તથા તે માટેની પ્રક્રિયાઓ. ડબ્લ્યૂ. બી. કેનન શરીરના દરેક સમયે સમાન રહેતા અંદરના વાતાવરણની જાળવણીને સમસ્થિતિ કહે છે. કોષોની આસપાસ પ્રવાહી હોય છે. તેને બહિર્કોષી જલ (extracellular fluid) પણ કહે છે.…

વધુ વાંચો >

સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વિજ્ઞાન)

સમુદ્રી અસ્વસ્થતા (sea sickness) (આયુર્વિજ્ઞાન) : સમુદ્રમાં હાલમડોલમ થતા પહોળા જહાજ પર સંતુલન અંગેની વિષમતા ઉદ્ભવે ત્યારે પેદા થતી તકલીફવાળી અવસ્થા. તે એક પ્રકારે ચાલતા વાહનમાં થતા ગતિજન્ય વ્યાધિ (motion sickness) જેવી જ સ્થિતિ છે. તેમાં કાનની અંદરના ભાગમાં આવેલી અર્ધવલયી નલિકાઓમાંના સંતુલન સ્વીકારકોના ઉત્તેજનથી એવી સ્થિતિ ઉદ્ભવે છે. દર્દીને…

વધુ વાંચો >

સર્પશિરા (varicose veins)

સર્પશિરા (varicose veins) : શિરામાં વધેલા દબાણથી તે અનિયમિત રીતે ફૂલે તથા પહોળી થાય તેવો વિકાર. તે બહુ સામાન્ય (common) વિકાર છે, જે વધતી ઉંમર સાથે વધે છે. સૌથી વધુ તે સ્ત્રીઓમાં જોવા મળે છે. તેઓમાં સગર્ભાવસ્થા સમયે શિરાઓ પર આવેલા દબાણને કારણે ઉદ્ભવે છે. અસરગ્રસ્ત શિરા મોટી થઈ જાય…

વધુ વાંચો >

સર્વ વા શૂન્યનો નિયમ (all-or-none-law)

સર્વ વા શૂન્યનો નિયમ (all-or-none-law) : હૃદયના સ્નાયુને કોઈ પણ અધિતીવ્રતા(intensity)વાળી ઉત્તેજના (stimulus) આપવામાં આવે ત્યારે તે ક્યાંક પૂર્ણ કક્ષાએ સંકોચાય છે અથવા સહેજ પણ સંકોચાતો નથી, તેને સર્વ વા શૂન્યનો નિયમ કહે છે. તેને બોવ્ડિચ(Bowditch)નો નિયમ પણ કહે છે. તે દર્શાવે છે કે સક્ષમ પણ દુર્બલતમ (સૌથી ઓછા બળવાળી)…

વધુ વાંચો >

સલ્ફોનેમાઇડો (આયુર્વિજ્ઞાન)

સલ્ફોનેમાઇડો (આયુર્વિજ્ઞાન) : સલ્ફોનેમિડો (SO2NH2) જૂથ ધરાવતા સૂક્ષ્મજીવો સામે સક્રિય રસાયણો. કેટલાક સૂક્ષ્મજીવો સામે સક્રિય ન હોય તેવાં રસાયણોમાં પણ આ સલ્ફોનેમિડો જૂથ આવેલું છે; દા.ત., સલ્ફોનાયલયુરિયાઝ (પ્રતિ-મધુપ્રમેહ ઔષધો), બેન્ઝોથાયાઝિડ અને તેના સંજનિતો (congeners) જેવા કે ફ્યુરોસેમાઇડ અને એસેટાઝોલેમાઇડ (મૂત્રવર્ધકો, diuretics) અને સલ્થિયેમ (આંચકીરોધક અથવા પ્રતિ-અપસ્માર, anticonvulsant અથવા antiepileptic). આમ…

વધુ વાંચો >