સમાજશાસ્ત્ર

કાપડિયા, કનૈયાલાલ મોતીલાલ

કાપડિયા, કનૈયાલાલ મોતીલાલ (જ. 1908, નવસારી; અ. 1967) : વિખ્યાત ભારતીય સમાજશાસ્ત્રી. મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે 1930માં બી.એ. તથા 1938માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. શરૂઆતમાં નવસારી તથા મુંબઈમાં સંસ્કૃતના શિક્ષક તરીકે સેવા આપી. 1943થી 1959 સુધી મુંબઈ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રના અધ્યાપક રહ્યા. સમાજશાસ્ત્ર પરના તેમના ગ્રંથોમાં ભારતની કુટુંબવ્યવસ્થા વિશેનું તલસ્પર્શી,…

વધુ વાંચો >

કાપડિયા, ટોકરશી લાલજી

કાપડિયા, ટોકરશી લાલજી (જ. 19 જાન્યુઆરી 1916, પત્રી, કચ્છ; અ. 16 માર્ચ 1996, હૈદરાબાદ) : અગ્રણી સમાજસેવક. બાળપણમાં અનિવાર્ય જેટલું શિક્ષણ લઈ નોકરી અર્થે મુંબઈ અને મ્યાનમાર (બર્મા) ગયા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન જાપાને મ્યાનમાર પર બૉંબમારો કરતાં ત્યાંથી સ્વદેશ પરત આવી હૈદરાબાદમાં હાસમજી પ્રેમજીની કંપનીમાં નોકરી સ્વીકારી. 1942માં તેઓ…

વધુ વાંચો >

કામદાર રાજ્ય વીમાયોજના

કામદાર રાજ્ય વીમાયોજના (Employees’ State Insurance Scheme, ESIS) : કામદારોને તથા તેમના કુટુંબને તબીબી સારવાર તથા નાણાકીય વળતર આપવાની સામાજિક સુરક્ષાલક્ષી વીમાયોજના, જે ભારત સરકારના કામદાર રાજ્ય વીમાના કાયદા (1948) દ્વારા અમલમાં આવેલી છે. આ કાયદાની કલમ 2(9)માં દર્શાવેલી વ્યાખ્યા પ્રમાણેના ઔદ્યોગિક કામદારોની તથા તેમનાં કુટુંબીજનોની માંદગી તથા સગર્ભાવસ્થા સમયે…

વધુ વાંચો >

કામા, ખુરશેદજી રુસ્તમજી

કામા, ખુરશેદજી રુસ્તમજી (જ. 11 નવેમ્બર 1831; અ. 20 ઑગસ્ટ 1909) : મુંબઈના પારસી સમાજ અને જરથોસ્તી ધર્મના આગેવાન. તે સામાજિક અને ધાર્મિક સુધારાના આગ્રહી હતા. જુનવાણી વિચારના લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. પારસીઓ માટે ધર્મનું જ્ઞાન સુલભ બને એ માટે એમણે 1865માં ‘જરથોસ્ત દીનની ખોળ કરનારી મંડળી’ સ્થાપી હતી.…

વધુ વાંચો >

કારા, મણિબહેન

કારા, મણિબહેન (જ. 1905, મુંબઈ; અ. 1979) : ભારતનાં અગ્રણી મજૂરનેતા. કાપડનો વ્યાપાર કરતા ઉચ્ચ મધ્યમવર્ગી પરિવારમાં જન્મ. પિતા આર્યસમાજના સભ્ય અને પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હતા. સમાજસુધારણાના તેઓ પ્રખર હિમાયતી હતા. માધ્યમિક શિક્ષણ મુંબઈની સેન્ટ કોલંબા હાઈસ્કૂલમાં લીધું હતું. મેટ્રિકની પરીક્ષામાં નપાસ થવાથી પિતાએ મણિબહેનને આગળ ભણવા ઇંગ્લૅન્ડ મોકલ્યાં, જ્યાં…

વધુ વાંચો >

કાળે, રાવજી રામચંદ્ર (રાવબહાદુર)

કાળે, રાવજી રામચંદ્ર (રાવબહાદુર) (જ. 8 ઑગસ્ટ 1868, વિટે, સાતારા જિલ્લો, મહારાષ્ટ્ર; અ. 17 જાન્યુઆરી 1936, સાતારા) : મહારાષ્ટ્રના સંસ્કૃત પંડિત, કાયદાશાસ્ત્રી, સમાજસુધારક, મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલના પૂર્વ સભાસદ તથા પુણે ખાતેની ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પૉલિટિક્સ ઍૅન્ડ ઇકૉનોમિક્સના દાતા અને સંસ્થાપક. મૂળ નામ પુરુષોત્તમ, પરંતુ નાનપણમાં પરિવારમાં તેમને રાવજી, રાવ, રાવબા…

વધુ વાંચો >

કિરાત (મૉંગોલોઇડ)

કિરાત (મૉંગોલોઇડ) :  પ્રાચીન સમયમાં ઉત્તરાપથમાં વસતી એક અનાર્ય જાતિ. આ લોકો પીળો વર્ણ, ચપટો ચહેરો, ઊપસેલા ગાલ, બદામી આકારની આંખો અને શરીર તેમજ ચહેરા પર ખૂબ ઓછી રુવાંટી ધરાવતા હતા. આ લોકોની બે શાખાઓ મળે છે : (1) પૂર્વ મૉંગોલ અને (2) તિબેટી મૉંગોલ. પૂર્વ મૉંગોલમાં (અ) લાંબા માથાવાળા…

વધુ વાંચો >

કિંગ્સલી ડેવિસ

કિંગ્સલી ડેવિસ (જ. 20 ઑગસ્ટ 1988; અ. 27 ફેબ્રુઆરી 1997) : યુ.એસ.ની યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા(બર્કલી)માં સોશિયૉલોજીના ફૉર્ડ પ્રોફેસર. તે ઇન્ટરનૅશનલ પૉપ્યુલેશન ઍન્ડ અર્બન રિસર્ચ નામની સંશોધન-સંસ્થાના અધ્યક્ષ હતા. તેમનાં બે પ્રકાશનો વિશ્વખ્યાત થયેલાં : ‘વર્લ્ડ અર્બનાઇઝેશન’ (1950-1970), વૉલ્યૂમ 1 : બેઝિક ડેટા ફૉર સિટીઝ, કન્ટ્રિઝ ઍન્ડ રીજિયન્સ, તથા વૉલ્યૂમ 2…

વધુ વાંચો >

કુટુંબ

કુટુંબ : લગ્ન, રક્ત સંબંધ કે દત્તક સંબંધ પર આધારિત પરસ્પર હકો અને ફરજો ધરાવતાં સ્ત્રી-પુરુષ-બાળકોનું જૂથ. સમાજમાં કેન્દ્રગત સ્થાન ધરાવતી, બધા જ સમાજોમાં દૃષ્ટિગોચર થતી સાર્વત્રિક છતાં અનેકવિધ સ્વરૂપે જોવા મળતી આ સામાજિક સંસ્થા છે. વ્યક્તિ કુટુંબના પ્રવેશદ્વાર દ્વારા જ સમાજમાં પ્રવેશે છે. મોટાભાગની વ્યક્તિઓનાં કુટુંબ તરફની વફાદારી ને…

વધુ વાંચો >

કુટુંબકલ્યાણ કાર્યક્રમ

કુટુંબકલ્યાણ કાર્યક્રમ : વસ્તીનિયંત્રણ તથા સમગ્ર કુટુંબના કલ્યાણને લક્ષમાં રાખીને રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલો ભારત સરકારનો કાર્યક્રમ. ભારતમાં આઝાદીની પ્રાપ્તિ બાદ લોકકલ્યાણ માટે પંચવર્ષીય યોજનાઓ દ્વારા વિવિધ વિકાસ કાર્યક્રમો હાથ ધરાયા છે. 1952થી વિકાસ કાર્યક્રમોમાં સરકારે રાષ્ટ્રીય સ્તરે કુટુંબનિયોજન કાર્યક્રમ હાથ ધર્યો હતો. આ સમયે દેશમાં વ્યાપક નિરક્ષરતા, વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો…

વધુ વાંચો >