સમાજશાસ્ત્ર

શાહબાનુ ખટલો

શાહબાનુ ખટલો : છૂટાછેડા(તલાક)ની શિકાર બનેલી મુસ્લિમ મહિલાના ભરણપોષણની કાયદાકીય જોગવાઈ વિશેનો ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલો શકવર્તી ચુકાદો. વિવાદાસ્પદ બનેલા આ  કેસની વિગતો આ પ્રમાણે છે : લગભગ 43 વર્ષના લગ્નજીવન બાદ શાહબાનુને તેમના પતિ મોહમ્મદ એહમદખાને જેઓ આ મુકદ્દમામાં ઉપલી અદાલતમાં અપીલ કરનાર પક્ષકાર હતા, 1975માં તલાક આપી દીધા.…

વધુ વાંચો >

શાહ, મનુભાઈ મનસુખલાલ

શાહ, મનુભાઈ મનસુખલાલ (જ. 1 નવેમ્બર 1915, સુરેન્દ્રનગર; અ. 28 ડિસેમ્બર 2000, ન્યૂ દિલ્હી) : ગુજરાતના સ્વાતંત્ર્યસેનાની, દેશના ઉદ્યોગ-વિકાસના પ્રણેતા અને દૂરંદેશી રાજપુરુષ. પિતા મનસુખલાલ. માતા ઇચ્છાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણ કૅમ્પ ઇંગ્લિશ નિશાળમાં લીધું હતું. કાયમ અવ્વલ નંબર રાખતા. મુંબઈ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑવ્ કેમિકલ ટૅક્નૉલૉજી(UDTC)માંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણ-શાસ્ત્રના…

વધુ વાંચો >

શાહ, વિદ્યાબહેન

શાહ, વિદ્યાબહેન (જ. 7 નવેમ્બર 1922, જેતપુર, રાજકોટ) : જાણીતાં મહિલા-કાર્યકર અને ‘પદ્મશ્રી’ ઍવૉર્ડ-વિજેતા. કુટુંબની સુધારક વિચારસરણીને કારણે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં અભ્યાસની તક સાંપડી અને 1942માં અર્થશાસ્ત્ર વિષયનાં સ્નાતક બન્યાં. ‘હિંદ છોડો’ આંદોલનના આ વર્ષમાં તેઓ રાષ્ટ્રીય આંદોલનની અસર હેઠળ આવ્યાં. રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લઈ સામાજિક સેવાની પ્રવૃત્તિઓના પાઠ શીખ્યાં.…

વધુ વાંચો >

શિલાહાર રાજ્યો

શિલાહાર રાજ્યો : દક્ષિણ ભારતમાં આવેલાં શિલાહાર વંશનાં રાજ્યો. શિલાહાર વંશનાં ત્રણ રાજ્યો કોલ્હાપુર, ઉત્તર કોંકણ અને દક્ષિણ કોંકણ પ્રદેશમાં આવેલાં હતાં. આ ત્રણેય રાજ્યોની સ્થાપના રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થઈ હતી અને તેઓ રાષ્ટ્રકૂટોના સામંતો તરીકે સત્તા ભોગવતા હતા. શિલાહાર વંશના બધા રાજાઓએ ‘તગરપુર  વરાધીશ્વર’નો ઇલકાબ ધારણ કર્યો હતો; તેથી…

વધુ વાંચો >

શિવસેના

શિવસેના : મહારાષ્ટ્રનો 1966માં સ્થપાયેલ કટ્ટર હિંદુત્વવાદી અને ચુસ્ત પ્રદેશવાદી રાજકીય પક્ષ. મહારાષ્ટ્રમાં ‘ધરતીના પુત્રો’(sons of the soil)ને પ્રાથમિકતા મળવી જોઈએ – એ તેનું ધ્યેય છે. દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન પછી મહારાષ્ટ્રનું અલગ રાજ્ય રચાયું ત્યારે મહારાષ્ટ્રની પ્રજાનો અવાજ બુલંદ બનાવવા ટોચના મહારાષ્ટ્રવાસીઓની એક બેઠક બોલાવવામાં આવેલી. આ સૌએ એક…

વધુ વાંચો >

શિંદે, વિઠ્ઠલ રામજી

શિંદે, વિઠ્ઠલ રામજી (જ. 23 એપ્રિલ 1873, જમખંડી, કર્ણાટક; અ. 2 જાન્યુઆરી 1944, પુણે) : સ્વાતંત્ર્યપૂર્વ કાળમાં ભારતમાં થઈ ગયેલ અગ્રણી સમાજસુધારક તથા હરિજન ઉદ્ધારને વરેલા ‘ડિપ્રેસ્ડ ક્લાસિસ મિશન સોસાયટી ઑવ્ ઇન્ડિયા’ના સંસ્થાપક. પિતા રામજીબાબા તરીકે ઓળખાતા અને જમખંડીના વિઠ્ઠલ મઠમાં દર વર્ષે તુકારામ બીજના રોજ નામસપ્તાહનું આયોજન કરતા. પરિવારમાં…

વધુ વાંચો >

શીલ્સ, એડ્વર્ડ

શીલ્સ, એડ્વર્ડ (જ. 1910; અ. 1995) : રાજ્યશાસ્ત્ર, કાયદા અને સમાજશાસ્ત્રનાં ક્ષેત્રોના વીસમી સદીના બૌદ્ધિક. ‘શિક્ષણના સમર્થ જીવ’ (Energizer Bunny of Education) તરીકે તેમની ઓળખ શિકાગો યુનિવર્સિટીના વર્તુળમાં સ્થાયી થઈ હતી. તેમના પિતા સિગારેટના ઉત્પાદક હતા અને રશિયામાંથી આવીને અમેરિકામાં સ્થિર થયા હતા. 1933માં વ્હાર્ટન ખાતે તેમણે વિદ્યાર્થી તરીકે નોંધણી…

વધુ વાંચો >

શુક્લ, ચંદ્રશંકર પ્રાણશંકર

શુક્લ, ચંદ્રશંકર પ્રાણશંકર (જ. 1901, ગોધરા, પંચમહાલ; અ. 16 ઑક્ટોબર 1953) : ગાંધીયુગના ઉત્તમ અનુવાદકોમાંના એક. મૅટ્રિક 1919માં. 18 વર્ષની ઉંમરે ગાંધીજીથી પ્રભાવિત થઈ ગોધરાના હરિજન આશ્રમમાં જઈને એના સંચાલક મામાસાહેબ ફડકેના કામમાં તેઓ મદદ કરવા લાગ્યા. ‘હરિજનબંધુ’ના પહેલા તંત્રી. તેઓ ‘હિંદુસ્તાન’ના તંત્રીપદે તેમજ ભારતીય વિદ્યાભવનના મહામાત્રપદે પણ હતા. ગાંધી…

વધુ વાંચો >

શુમાકર ઈ. એફ.

શુમાકર ઈ. એફ. (જ. 1911, જર્મની; અ. 6 સપ્ટેમ્બર 1977, સ્વિટ્ઝર્લૅન્ડ) :  વિકાસશીલ દેશો માટે મધ્યવર્તી તકનીકોની હિમાયત કરનાર સ્વતંત્ર વિચારક તથા ‘બુદ્ધિસ્ટ ઇકોનૉમિસ્ટ’ની આર્થિક વિચારસરણીના પ્રવર્તક. આખું નામ અર્ન્સ્ટ ફ્રેડરિક શુમાકર. 1930ના અરસામાં ઇંગ્લૅન્ડની ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં ‘રોડસ સ્કૉલર’ તરીકે અધ્યયન કર્યું અને ત્યારબાદ જર્મની પાછા ગયા ખરા, પરંતુ નાઝીવાદની…

વધુ વાંચો >

શૂદ્ર

શૂદ્ર : હિંદુ ધર્મના ચાર વર્ણોમાંનો એક. પુરુષસૂક્તમાં વિરાટ પુરુષના ચરણમાંથી શૂદ્રને ઉત્પન્ન થયેલો ગણાવાયો છે. અર્થાત્ સમાજસેવાનો ભાર શૂદ્રોને સોંપાયો હતો, પણ તેથી તે નીચ કે હલકો ગણાતો ન હતો; પરંતુ પ્રથમ ત્રણ વર્ણના કામ માટે અયોગ્ય ગણાતો હતો. પુરુષસૂક્ત અનુસાર સમાજના ચારેય વર્ણ ચાર વર્ગો રૂપે અલગ અલગ…

વધુ વાંચો >