રમેશ ભા. શાહ

નાણાકીય અર્થશાસ્ત્ર

નાણાકીય અર્થશાસ્ત્ર : નાણાકીય સંસ્થાઓ અને નીતિઓની આર્થિક પ્રવાહો અને પરિમાણો પર પડતી અસરોનું વિશ્લેષણ કરતી અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા. જે આર્થિક પરિમાણો પરની અસરો તપાસવામાં આવે છે તેમાં ચીજ-વસ્તુઓના ભાવો, વેતનદરો, વ્યાજના દરો, રોજગારી, વપરાશ, રાષ્ટ્રીય ઉત્પાદન વગેરેનો સમાવેશ થાય છે. નાણાકીય અર્થશાસ્ત્રમાં સમાવિષ્ટ થતા ઘણા મુદ્દાઓનો અભ્યાસ સમગ્રલક્ષી…

વધુ વાંચો >

નાણાકીય નીતિ

નાણાકીય નીતિ : રાષ્ટ્રીય ઉત્પાદન અને રોજગારીમાં થયા કરતી વૃદ્ધિને આવશ્યક નાણાંનો પુરવઠો પૂરો પાડવાની સાથે રોજગારી અને ભાવોની સ્થિરતાને જાળવી રાખવાના ઉદ્દેશથી ભરવામાં આવતાં નાણાકીય પગલાં. નાણાકીય નીતિ ઉપરના બે ઉદ્દેશો ઉપરાંત અન્ય કેટલાક ઉદ્દેશો હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે; દા. ત., દેશના લેણદેણના સરવૈયામાં સમતુલા જાળવવી અને હૂંડિયામણનો…

વધુ વાંચો >

નાણાવાદ

નાણાવાદ : સમગ્રલક્ષી આર્થિક સિદ્ધાંત અને નીતિ અંગેનો એક પ્રભાવશાળી નીવડેલો અભિગમ. આ અભિગમમાં નાણાકીય રાષ્ટ્રીય આવકની સપાટી નક્કી કરતા મુખ્ય પરિબળ તરીકે નાણાંના પુરવઠા પર ભાર મૂકવામાં આવ્યો છે. નાણાં માટેની માંગ સ્થિર રહે છે એ તેનું પાયાનું અનુભવમૂલક પ્રતિપાદન છે. ભૂમિકા : મૂડીવાદી દેશોમાં પ્રવર્તતી આર્થિક અસ્થિરતા માટે…

વધુ વાંચો >

નાણાવિભ્રમ

નાણાવિભ્રમ : વ્યક્તિ વિવિધ આર્થિક પરિમાણોનાં નાણાકીય મૂલ્યોને નજર સમક્ષ રાખે અને વધેલા ભાવો પ્રમાણે તેમનાં વાસ્તવિક મૂલ્યોને ધ્યાનમાં ન લે તો તે નાણાવિભ્રમથી પીડાય છે એમ કહેવાય. દા. ત. સીંગતેલની કિંમત 1961માં એક કિગ્રા.ના રૂ. 2 હતી અને 1996માં તે રૂ. 40 હતી એ હકીકતને વ્યક્તિ ધ્યાનમાં લે, પરંતુ…

વધુ વાંચો >

નાણું

નાણું : વિનિમયના માધ્યમ તરીકે સર્વસામાન્ય રીતે સ્વીકારાતી  અસ્કામત. સાદા શબ્દોમાં કહીએ તો પોતાની ચીજવસ્તુઓ અને સેવાઓના બદલામાં જે અસ્કામત લોકો સામાન્ય રીતે સ્વીકારતા હોય તેને નાણાં તરીકે ઓળખવામાં આવે છે. વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ વ્યાપક બન્યો તે પહેલાં ચીજવસ્તુઓનો વિનિમય સાટાપદ્ધતિથી કરવામાં આવતો હતો, એટલે કે વસ્તુની સામે…

વધુ વાંચો >

નીતિ આયોગ

નીતિ આયોગ : ભારત સરકારની નીતિઓ માટેની ‘થિન્ક ટૅન્ક’. પૂર્વેના આયોજન પંચના વિકલ્પે રચવામાં આવેલી સંસ્થા. તેનું નામ અંગ્રેજીમાં રાખવામાં આવ્યું છે : ‘નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા’. આ નામના અંગ્રેજી શબ્દોના આદ્યાક્ષરો લઈને તેને ‘નીતિ’ આયોગના નામે ઓળખવામાં આવે છે. પહેલી જાન્યુઆરી, 2015ના રોજ આયોજન પંચને નાબૂદ કરીને તેના…

વધુ વાંચો >

નુર્ક્સ, રાગ્નર

નુર્ક્સ, રાગ્નર (જ. 5 ઑક્ટોબર 1907, ઇસ્ટોનિયા; અ. 1959, જિનિવા) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અર્થશાસ્ત્રી. વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસના પ્રશ્નો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને નાણાકીય પ્રશ્નોના ઊંડા અભ્યાસી તરીકે તેઓ વિશેષ જાણીતા છે. તેમણે ઉચ્ચશિક્ષણ એડિનબરો અને વિયેનામાં લીધેલું. 1935–45 દરમિયાન લીગ ઑવ્ નૅશન્સમાં અર્થશાસ્ત્રી તરીકે કામગીરી બજાવ્યા બાદ 1945–59 સુધી…

વધુ વાંચો >

નોકરશાહી (bureaucracy)

નોકરશાહી (bureaucracy) : મોટા પાયા પરનાં સંગઠનોનો વહીવટ કરવાની એવી પ્રથા, જેમાં સત્તાનું એક ચોક્કસ માળખું હોય તથા નિયમો અને પ્રવિધિઓ સ્પષ્ટ હોય. આવી નોકરશાહી પ્રથા સરકારી તંત્રો, સંગઠિત સંપ્રદાયો, શિક્ષણસંસ્થાઓ, મોટી વેપારી-ઔદ્યોગિક પેઢીઓ વગેરેમાં જોવા મળે છે. જર્મનીના સમાજશાસ્ત્રી મૅક્સ વેબરે નોકરશાહીના એક આદર્શ સ્વરૂપને ઘડી કાઢીને તેને સૈદ્ધાંતિક…

વધુ વાંચો >

પાયાની સવલતો (infrastructure)

પાયાની સવલતો (infrastructure) : અર્થતંત્રમાં રહેલાં માળખાંમાંથી મળતી એવી સેવાઓ જે ખરીદનાર અને વેચનાર વચ્ચે ચીજવસ્તુઓ અને સેવાઓના પ્રવાહને સરળ બનાવે છે. પાયાની સેવાઓમાં વિવિધ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. પહેલાં તેના માટે ‘સ્થિર સામાજિક મૂડી’ શબ્દ વપરાતો હતો. કેટલીક વખત પાયાની સેવાઓને આર્થિક અને સામાજિક – એવા બે વિભાગોમાં…

વધુ વાંચો >

પુરવઠાલક્ષી અર્થશાસ્ત્ર

પુરવઠાલક્ષી અર્થશાસ્ત્ર : રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિદર નક્કી કરતાં પરિબળોમાં પુરવઠાના પક્ષે કામ કરતાં પરિબળોની ભૂમિકા નિર્ણાયક હોય છે એવું સૂચવતી વિચારસરણી. પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રને જો લાંબા ગાળાના સંદર્ભમાં વિચારવામાં આવે તો પુરવઠાના પક્ષે કામ કરતાં પરિબળોમાં ઉત્પાદકોને પ્રાપ્ય પ્રોત્સાહનો, શ્રમબજારની કાર્યક્ષમતા, અર્થતંત્રમાં બચતોનું પ્રમાણ, અર્થતંત્ર પરનાં સરકારનાં નિયંત્રણો વગેરેનો સમાવેશ થાય…

વધુ વાંચો >