બળદેવપ્રસાદ પનારા

કસ્તૂરી

કસ્તૂરી (musk) : હિમાચ્છાદિત પર્વતોમાં થતા કસ્તૂરીમૃગ નામના નર જાતિની લિંગગ્રંથિની નજીક નાભિમાં જામી જતો, સુગંધિત (દ્રવ) પદાર્થ. તે ઘનસ્વરૂપે કે કસ્તૂરીમૃગના ડૂંટામાં જ પ્રાય: વેચાય છે. તે મૃગ(હરણ)નો કામ-મદ છે. વિવિધભાષી નામો : સં. मृगनाभि, मृगमद, कस्तूरिका, कस्तूरी, वेधमूखा; હિ. मृगनाभि, कस्तूरी; બં. मृगनाभि, कस्तूरी; મ. ગુ. ક. તે.…

વધુ વાંચો >

કસ્તૂરીભૈરવરસ

કસ્તૂરીભૈરવરસ : રસૌષધિ. શુદ્ધ હિંગળોક, શુદ્ધ વછનાગ, ફુલાવેલ ટંકણખાર, જાવંત્રી, જાયફળ, મરી, લીંડીપીપર અને કસ્તૂરી સરખે ભાગે લેવામાં આવે છે. પ્રથમ કસ્તૂરી સિવાયની બાકીની વસ્તુઓનાં ચૂર્ણ ખરલમાં નાખી, તેમાં બ્રાહ્મીનો ક્વાથ નાખી, ત્રણ દિવસ સતત ઘૂંટવામાં આવે છે. પછી તેમાં કસ્તૂરી ભેળવી, તેમાં નાગરવેલના પાનનો રસ નાખી 3 કલાક દવાની…

વધુ વાંચો >

કંકોડાં (કંટોલાં)

કંકોડાં (કંટોલાં) : શાકફળ. સં. कर्कोटकी, कंटफला, स्वादुफला; હિં. खेखसा, ककोडा. ककरौल; મ. कर्टोली, कांटली, फाकली; બં. कांकरोल; લૅ : Mormodica dioica Roxb. એ પ્રસિદ્ધ ચોમાસું શાકફળ છે. ભારતમાં તેના વેલા સર્વત્ર ડુંગરાળ જમીનમાં, ચોમાસાના વરસાદ પછી આપોઆપ ઊગી નીકળે છે. વાડ કે ઝાડ-ઝાંખરાં ઉપર તેના વેલા ફેલાય છે. તેમાં…

વધુ વાંચો >

કંથાર (કાળો કંથારો) – કંથેર

કંથાર (કાળો કંથારો) – કંથેર : વનૌષધિ. સં. कन्थारि, कन्थार, गृध्रनखी, वक्र- कंटका, काकादनी, अहिंस्रा; હિ. कन्थारि, कन्धारी, हैंसा; મ. कांथारी, कंथाबेल; બં. कालियाकडा, कांटागुडकाभाई; અં. Cather Plant; લૅ. Capparis Sepiaria Linn. કુળ-કેપેરિડેસી. કંથાર કે કંથારીની મોટી અને ખૂબ લાંબી કાષ્ઠમય વેલો ગુજરાતમાં ખેતરની વાડો પર બાવળ, થોર જેવી ઝાડીઓ…

વધુ વાંચો >

કંપવાત (આયુર્વેદ)

કંપવાત (આયુર્વેદ) : શરીરનાં હાથ, પગ તથા મસ્તક જેવાં અંગોને સતત કંપતાં (ધ્રૂજતાં) રાખતું શરીરના પ્રકુપિત વાયુનું દર્દ. આ દર્દ શારીરિક તથા માનસિક બંને કારણોસર બે પ્રકારે થાય છે. આયુર્વેદમાં 80 પ્રકારના વાયુનાં દર્દોની અંદર તેની ગણના કરાઈ છે, જે પ્રાય: કાયમી હોય છે પરંતુ યોગ્ય ઉપચારોથી તે મટી શકે…

વધુ વાંચો >

કાયાકલ્પ

કાયાકલ્પ : આયુર્વેદના પ્રાચીન કાળના આચાર્યો તથા ભારતના અનેક ઋષિમુનિઓએ માનવજીવનને દીર્ઘઆયુષી તથા યુવાનસશ સ્વસ્થ રાખવાની શોધેલી એક વિશિષ્ટ ચિકિત્સાપદ્ધતિ. ‘કાયાકલ્પ’ એટલે કાયા(દેહ)નું નવીનીકરણ, આમૂલ પરિવર્તન કે નવજીવન પામ્યાથી થતું દેહનું રૂપાંતરણ. ‘કલ્પ’ શબ્દ કોઈ ખાસ વિશિષ્ટ આહારદ્રવ્ય કે ઔષધિનો શરીરમાં ઉપયોગ કરવાની વિશિષ્ટ પદ્ધતિ માટે વપરાય છે. તેથી ‘કાયાકલ્પ’નો…

વધુ વાંચો >

કાલવિચાર (આયુર્વેદ)

કાલવિચાર (આયુર્વેદ) : કાલના પરિમાણનો વિચાર. કાળ વિશેનો તાત્વિક વિચાર મુખ્યત્વે ‘કણાદ’ મહર્ષિના વૈશેષિક દર્શનમાં પ્રાપ્ત થાય છે. ન્યાયદર્શનમાં પણ કાળત્રયનો વિચાર કરેલ છે. વૈશેષિક દર્શનમાં કાળનો વિચાર કરેલ છે તે પ્રમાણે જ બીજાં શાસ્ત્રોએ અનુકરણ કરેલ છે. વૃદ્ધત્વ, તારુણ્ય, યૌગપદ્ય, ચિરત્વ તથા શીઘ્રત્વ – આ ‘કાળજ્ઞાપક’ લક્ષણો છે. વૈશેષિકોના…

વધુ વાંચો >

કાંડભંગ (fracture) અસ્થિભંગ

કાંડભંગ (fracture) અસ્થિભંગ : આયુર્વેદની પરિભાષામાં શરીરના કોઈ પણ હાડકાનું તૂટવું તે. આયુર્વેદમાં ‘સુશ્રુત સંહિતા’ના નિદાનસ્થાનમાં પંદરમા અધ્યાયમાં ‘કાંડભંગ’ વિશે વિસ્તૃત વર્ણન આપેલ છે. મૂળ ગ્રંથમાં ‘ભંગ’ના બે પ્રકારો બતાવેલા છે – (1) સંધિભંગ (મચકોડ) અને (2) કાંડભંગ (અસ્થિભંગ). ઉપરથી નીચે પડવાથી, ભારે વસ્તુના દબાણમાં આવવાથી, પ્રહાર (માર) થવાથી, હિંસક…

વધુ વાંચો >

કાંસું

કાંસું : તાંબું અને કલાઈની મિશ્ર ધાતુ (ઘન દ્રાવણ). વિશિષ્ટ હેતુ માટેના કાંસામાં સીસું, જસત, ચાંદી અને અન્ય ધાતુઓ ઉમેરવામાં આવે છે. કલાઈયુક્ત કાંસા(મૂર્તિ માટેના કાંસા)માં 2 %થી 20 % કલાઈ હોય છે. બેલ-મેટલમાં 15 %થી 25 % કલાઈ અને સ્પેક્યુલમ મેટલમાં 30 % સુધી કલાઈ હોય છે. ગન-મેટલમાં 8…

વધુ વાંચો >

કીડામારી

કીડામારી :  દ્વિદળીવર્ગમાં આવેલા એરિસ્ટોલોકિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aristolochia bracteolata Lam. syn. A. bracteata Deta. (સં. ધૂમ્રપત્રા, હિં. કીડામારી; બં. તામાક; મ. ગિધાન, ગંધન, ગંધાટી; ક. કરિગિડ, કત્તગિરિ; તે ગાડિદેગાડાપારા, ત. અડુટિન્નાલાઇ; અં. બ્રેક્ટિયેટેડ બર્થવર્ટ) છે. તે એક પાતળી, ઉચ્ચાગ્રભૂશાયી (decumbent), અરોમિલ (glabrous), 30 સેમી.થી 45 સેમી.…

વધુ વાંચો >