પત્રકારત્વ

કલ્લોલ

કલ્લોલ (1923) : બંગાળી સાહિત્યિક માસિક. રવીન્દ્રનાથનું સાહિત્યજગત પર એટલું બધું તેજ તપતું હતું કે એમાં કોઈપણ ઊગતા સાહિત્યકારને આગળ આવવાનો માર્ગ જ નહોતો. આથી રવીન્દ્રનાથનો વિરોધ કરવા માટે બંગાળી નવયુવાન સાહિત્યકારોએ કમર કસી અને માસિક શરૂ કર્યું. એના તંત્રી હતા દિનેશરંજન દાસ અને તેમના સહાયક ચિત્રકાર હતા ગોકુલચંદ્ર નાગ.…

વધુ વાંચો >

કવન કૌમુદી

કવન કૌમુદી (1905) : સાંગોપાંગ કવિતામાં પ્રગટ થયેલું મલયાળમ સામયિક. ભારતમાં વીસમી સદીની પહેલી પચીસીનું કદાચ એ પ્રકારનું એકમાત્ર સામયિક ગણાય. 1905માં શરૂ થયેલા આ કાવ્ય-સામયિકનું પ્રકાશન પંદરેક વર્ષ ચાલ્યું અને ખૂબ પ્રતિષ્ઠા પામ્યું. એમાં તંત્રીલેખ, તંત્રીનોંધ, સમાચાર તથા જાહેરાત સુધ્ધાં કવિતામાં જ પ્રગટ થતાં, તે સમયના તમામ નામાંકિત કવિઓ…

વધુ વાંચો >

કવિતા (1)

કવિતા (1) : કવિતા અને કવિતાવિષયક લેખોને પ્રકટ કરતું ડબલ ક્રાઉન કદનું ગુજરાતી માસિક. 1941ના ઑગસ્ટની પહેલી તારીખે ઇન્દુલાલ ગાંધી, મગનલાલ લાલભાઈ દેસાઈ (કોલક) અને રતુભાઈ દેસાઈના તંત્રીપદે તે મુંબઈથી પ્રગટ થયું હતું. બીજા વર્ષે એનું કદ ડિમાઈ કરી નાખવામાં આવ્યું હતું. જૂની-નવી પેઢીના અનેક કવિઓની મૌલિક રચનાઓ ઉપરાંત મધ્યકાલીન-અર્વાચીન…

વધુ વાંચો >

કવિતા (2)

કવિતા (2) : અનિયતકાલિક ગુજરાતી સામયિક. સ્થાપના 1952. તંત્રી બચુભાઈ રાવત. ઇંગ્લૅન્ડથી પ્રકટ થતા ‘Poems Penny Each’ અને બંગાળીમાં નીકળતા ‘ઍક પયસાય ઍકટિ’ના અંકોને આદર્શરૂપ રાખી કાવ્યરસિકો સુધી ‘કાવડિયે કવિતા’ પહોંચતી કરવાનો ઇરાદો આ પ્રકાશન પાછળ પ્રેરક બળ હતો. આ શ્રેણીમાં કુલ 10 અંકો પ્રકટ થયેલા. 1952માં ત્રણ, 1953માં બે,…

વધુ વાંચો >

કવિતા (3)

કવિતા (3) : ગુજરાતી કવિતાનું દ્વિમાસિક. 1967ના ઑક્ટોબરમાં જન્મભૂમિ ગ્રૂપ, મુંબઈ તરફથી સુરેશ દલાલના તંત્રીપદે શરૂ થયેલા ડિમાઈ કદના આ સામયિકમાં જૂની-નવી પેઢીના કવિઓની કાવ્યકૃતિઓ અને ક્યારેક ક્યારેક કાવ્યસંગ્રહનાં અવલોકનો પ્રકટ થતાં રહે છે. સચિત્ર સામગ્રી અને આકર્ષક સજાવટ એની વિશેષતા છે. પોતાની કારકિર્દીના આ ગાળામાં ‘કવિતા’ના કવિઓના હસ્તાક્ષરમાં કાવ્યકૃતિ,…

વધુ વાંચો >

કવિલોક

કવિલોક : કવિતાની સંસ્થા અને કવિતાનું પ્રથમ દ્વિમાસિક. 1955 પછી મુંબઈમાં કવિ રાજેન્દ્ર શાહના નેજા નીચે કાવ્યો અને કાવ્યસંગ્રહો પ્રકાશિત કરવાના મનસૂબા સાથે શરૂ થયેલી આ કાવ્યસંસ્થાનું નામાભિધાન નિરંજન ભગતે કરેલું. ‘શ્રુતિ’ (રાજેન્દ્ર શાહ), ‘આર્દ્રા’ (‘ઉશનસ્’) અને ‘રાનેરી’ (મણિલાલ દેસાઈ) કાવ્યસંગ્રહોનાં છૂટક છૂટક પ્રકાશનો ઉપરાંત 1957ના ગ્રીષ્મમાં ‘કવિલોક’ નામનો ક્રાઉન…

વધુ વાંચો >

કશ્યપ સુભાષચંદ્ર ડૉ.

કશ્યપ, સુભાષચંદ્ર ડૉ. (જ. 10 મે 1929, ચાંદપુર, જિલ્લો બિજનોર, ઉત્તરપ્રદેશ) : બંધારણ-નિષ્ણાત, લોકસભાના પૂર્વ મહાસચિવ અને બંધારણની સમીક્ષા કરવા નિમાયેલ રાષ્ટ્રીય પંચના સભ્ય. પિતાનું નામ બળદેવદાસ તથા માતાનું નામ બસંતી. સમગ્ર શિક્ષણ ઉત્તરપ્રદેશના અલ્લાહાબાદ નગરમાં. એમ.એ. (રાજ્યશાસ્ત્ર), એલએલ.બી. તથા રાજ્યશાસ્ત્ર વિષયમાં અલ્લાહાબાદ યુનિવર્સિટીની ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફીની પદવી મેળવી. વ્યાવસાયિક…

વધુ વાંચો >

કાપડિયા, પરમાનંદ કુંવરજી

કાપડિયા, પરમાનંદ કુંવરજી (જ. 18 જૂન 1893, રાણપુર; અ. 17 એપ્રિલ 1971, મુંબઈ) : સન્નિષ્ઠ સમાજસુધારક તથા નિર્ભીક પત્રકાર. તેમણે જૈન સમાજના જુનવાણી રીતરિવાજો તથા અનિષ્ટ વ્યવહારોની સામે અવાજ ઉઠાવવા તથા તેમનો સામનો કરવા માટે સામયિકો અને મંડળો શરૂ કર્યાં હતાં. ગાંધીજીના નિકટના પરિચય પછી તેમણે જેલવાસ ભોગવ્યો હતો. (1930-32)…

વધુ વાંચો >

કાબરાજી, કેખુશરો નવરોજી

કાબરાજી, કેખુશરો નવરોજી (જ. 21 ઑગસ્ટ 1842, મુંબઈ; અ. 25 એપ્રિલ 1904, મુંબઈ) : પારસી પત્રકાર, નાટ્યકાર, દિગ્દર્શક અને સમાજસુધારક. લેખન અને પત્રકારત્વનો બહુ નાની વયે જ પ્રારંભ થયો, જેમાં તેમની સમાજને સુધારવાની ધગશ જોવા મળે છે. ચૌદ વર્ષની વયે ‘મુંબઈ ચાબૂક’ જેવા ચોપાનિયામાં બાળલગ્ન, કજોડાં વગેરે જેવા વિષયો પર…

વધુ વાંચો >

કામથ, માધવ વિઠ્ઠલ

કામથ, માધવ વિઠ્ઠલ (જ. 7 સપ્ટેમ્બર 1921, ઉડુપી; અ. 9 ઑક્ટોબર 2014, કર્ણાટક) : જાણીતા પત્રકાર. એમનું પ્રારંભિક શિક્ષણ મણિપાલમાં થયું હતું. ત્યારબાદ આગળના અભ્યાસ માટે તેઓ મૅંગ્લોર ગયા ત્યાંથી તેમણે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. પત્રકારત્વનું કાર્ય કરતાં પહેલાં એમણે કેમિસ્ટ તરીકે કાર્ય કર્યું હતું. એમણે ‘ફ્રી પ્રેસ જર્નલ’થી…

વધુ વાંચો >