જ્યોતિષ

સ્વપ્નવિદ્યા

સ્વપ્નવિદ્યા : વ્યક્તિની જાગ્રતાવસ્થાની બોધનાત્મક પ્રવૃત્તિઓનું અને અન્ય અનુભવોના બદલાયેલા સ્વરૂપનું નિદ્રાવસ્થામાંથી બહાર આવતાં થતું દર્શન. મુખ્યત્વે નિદ્રાના ઝડપી નેત્રગતિ(rapid eye movement)ના તબક્કામાં ઊપજતી સ્પષ્ટ (vivid) અને મહદંશે દૃશ્ય (visual) અને શ્રાવ્ય (auditory) પ્રતિમાઓ અને એવા અનુભવો જેમાં વ્યક્તિ સંપૂર્ણપણે નિમગ્ન (absorbed) થઈ જાય છે. સ્વપ્ન નિદ્રાવસ્થા દરમિયાન હારમાળામાં આવતાં,…

વધુ વાંચો >

સ્વરોદયશાસ્ત્ર

સ્વરોદયશાસ્ત્ર : સ્વરોદય એટલે સ્વરના ઉદય નિમિત્તનું અર્થઘટન કરતું શાસ્ત્ર. નિમિત્તશાસ્ત્રને અષ્ટાંગ નિમિત્ત કહેવામાં આવે છે. પરિપાટી મુજબ નિમિત્તશાસ્ત્રનાં આઠ અંગ છે – (1) અંગવિદ્યા, (2) સ્વપ્નશાસ્ત્ર, (3) સ્વરશાસ્ત્ર, (4) ભૌમશાસ્ત્ર, (5) વ્યંજન, (6) લક્ષણ, (7) ઉત્પાત અને (8) અંતરિક્ષ. अंगं स्वप्न: स्वरश्चैव भौमे व्यंजनलक्षणे । उत्पातमन्तरिक्षं च निमित्तं स्मृतमष्टधा…

વધુ વાંચો >

હસ્તસંજીવન

હસ્તસંજીવન : હસ્તરેખાશાસ્ત્રનો મેઘવિજયગણિકૃત એક પ્રમાણિત ગ્રંથ. આ ગ્રંથમાં રચનાકાળનો કોઈ ઉલ્લેખ નથી, પણ ભાષ્યમાં ગ્રંથકારની લેખનપ્રવૃત્તિ વિક્રમ સંવત 1714થી 1760 દરમિયાન થઈ હોવાથી આ ગ્રંથ લગભગ સંવત 1737ના અરસામાં રચ્યો હશે. ક્યારેક ગ્રંથકાર મેઘવિજયગણિ આને ‘સામુદ્રિક લહરી’ નામે ઓળખાવે છે. વારાણસીના કવિ જીવરામે ‘સામુદ્રિક લહરી ભાષ્ય’ રચ્યું છે. ગ્રંથકારે…

વધુ વાંચો >

હોરા જ્યોતિષ

હોરા, જ્યોતિષ : જુઓ જ્યોતિષશાસ્ત્ર ત્રિસ્કંધ.

વધુ વાંચો >