અનિલ રાવલ

મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા)

મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા) (જ. 25 સપ્ટેમ્બર 1937, કુંદરોડી, જિ. કચ્છ, અ. 29 જાન્યુઆરી 2023, મુંબઈ) : કચ્છી જૈનરત્ન, ઉદ્યોગપતિ, દાનવીર તથા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું ઉત્પાદન કરતી કંપનીના સ્થાપક. તેમના પિતા લાલજીભાઈ તેમના ગામમાં પૈસાની લેવડ-દેવડનું કામ કરતા હતા. દામજી 6 વર્ષના હતા ત્યારે તેમના પિતા મુંબઈ આવ્યા અને…

વધુ વાંચો >

મારુતિ, ભુજંગરાવ ચિતમપલ્લી

મારુતિ, ભુજંગરાવ ચિતમપલ્લી (જ. 5 નવેમ્બર 1932, સોલાપુર) : ‘અરણ્યઋષિ’ તરીકે જાણીતા પ્રકૃતિ અને વન્યજીવરક્ષણ માટે કાર્યરત મરાઠી લેખક. તેમનું પ્રારંભિક શિક્ષણ ટી. એમ. પોર સ્કૂલ અને નૉર્થકોટ ટૅકનિકલ હાઈસ્કૂલ, સોલાપુરમાં થયું. ત્યાંની દયાનંદ કૉલેજમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. 1958માં કોઇમ્બતૂરની સ્ટેટ ફૉરેસ્ટ સર્વિસ કૉલેજમાં દાખલ થયા અને 1960માં…

વધુ વાંચો >

મિરિયાલા, અપ્પારાવુ

મિરિયાલા, અપ્પારાવુ (જ. 9 સપ્ટેમ્બર 1949, નાદાકુડુર, આંધ્રપ્રદેશ; અ. 15 જાન્યુઆરી 2025, રાવુલાપાલેમ, આંધ્રપ્રદેશ) : બુર્રાકથાના સંવર્ધન અને સંરક્ષણ માટે કાર્યરત અગ્રગણ્ય કલાકાર. તેમણે બુર્રાકથાને આમ- જનતામાં લોકપ્રિય બનાવી. તેમના પિતાનું નામ વેંકટરામૈયા અને માતાનું નામ તિરુપત્તમ્મા હતું. બાળપણથી જ નાટક અને બુર્રાકથા પ્રત્યે લગાવ હતો. તેમણે 15 વર્ષની ઉંમરે…

વધુ વાંચો >

મુર્મૂ, દ્રોપદી

મુર્મૂ, દ્રોપદી (જ. 20 જૂન 1958, મયૂરભંજ, ઓડિશા) : આઝાદી પછી જન્મેલ સૌથી નાની વયના આદિવાસી સમુદાયના પ્રથમ અને ભારતના 15મા રાષ્ટ્રપતિ. દ્રૌપદી મુર્મૂનો જન્મ સંથાલી આદિવાસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ બિરંચી નારાયણ ટુડુ. પિતા અને દાદા ગ્રામપરિષદ(ગ્રામપંચાયત)ના પરંપરાગત વડા(નિયુક્ત સરપંચ) હતા. તેમના પરિવારે તેમનું નામ પુતિ ટુડુ રાખ્યું…

વધુ વાંચો >

રહાણે, અજિંક્ય મધુકર

રહાણે, અજિંક્ય મધુકર (જ. 6 જૂન 1988, અશ્વિ કેડી,મહારાષ્ટ્ર) : ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન. પિતા મધુકર બાબુરાવ રહાણે અને માતા સુજાતા રહાણે. સાત વર્ષની ઉંમરે પિતા તેમને ડોમ્બિવલીમાં મેટિંગ વિકેટ સાથે નાના કોચિંગ કેમ્પમાં લઈ ગયા. રહાણેએ એસ.વી. જોશી હાઈસ્કૂલ, ડોમ્બિવલીમાંથી માધ્યમિક શાળાનું શિક્ષણ લીધું. 17 વર્ષની ઉંમરથી…

વધુ વાંચો >

રાજગોપાલ પી. વી.

રાજગોપાલ પી. વી. (જ. 1948, થિલેન્કેરી, કેરળ) : 2023 નિવાનો શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અને ‘પદયાત્રા ગાંધી’ તરીકે ઓળખાતા ભારતીય અહિંસક સામાજિક કાર્યકર. ઘાંડિયન પરિવારમાં જન્મેલા. તેમનું આખું નામ રાજગોપાલ પુથાન વીટીલ છે, પરંતુ તેમના આખા નામ સાથે જાતિ-સંબંધિત બાબત ટાળી શકાય એ માટે તેઓ જાહેરમાં તેમના પ્રથમ નામનો જ…

વધુ વાંચો >

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન : ભારતની સુરક્ષિત અને આધુનિક સગવડતા ધરાવતી ઝડપી ટ્રેન. ભારતના લોકો ઝડપી મુસાફરી કરી શકે એ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આ સ્વપ્ન પ્રોજેક્ટ છે એટલે એમણે અત્યાર સુધી શરૂ થયેલી તમામ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપસ્થિત રહી પ્રસ્થાન કરાવ્યું છે. 15 ફેબ્રુઆરી…

વધુ વાંચો >

શુક્લ વિનોદ કુમાર

શુક્લ વિનોદ કુમાર( જ. 1 જાન્યુઆરી 1937 રાજનાંદગાંવ, મધ્યપ્રદેશ (હાલમાં છત્તીસગઢ) – ) : સર્વોચ્ચ પેન અમેરિકા વ્લાદિમીર નાબાકોવ ઍવૉર્ડ ફોર એચીવમેંટ ઇન ઇન્ટરનેશનલ લિટરેચર-2023થી સન્માનિત પહેલા ભારતીય અને એશિયાઈ લેખક. જન્મ મધ્યમવર્ગીય સંયુક્ત પરિવારમાં થયો હતો. એમની માતાનું નામ રુક્મિણી દેવી હતું. રુક્મિણી દેવીનું બાળપણ બાંગ્લાદેશના જમાલપુરમાં વીત્યું હતું.…

વધુ વાંચો >

સિંધિયા, જ્યોતિરાદિત્ય

સિંધિયા, જ્યોતિરાદિત્ય (જ. 1 જાન્યુઆરી 1971, મુંબઈ) : જાણીતા રાજકારણી. તેમનો જન્મ કુર્મી મરાઠા પરિવારમાં થયો હતો. પિતા માધવરાવ સિંધિયા અને માતા માધવી રાજે સિંધિયા. તેઓ સિંધિયા ગ્વાલિયર રજવાડાના છેલ્લા મહારાજા જીવાજીરાવ સિંધિયાના પૌત્ર છે. તેમના પિતા માધવરાવ સિંધિયા રાજીવ ગાંધીની સરકારમાં મંત્રી હતા. 30 સપ્ટેમ્બર 2001ના રોજ, ઉત્તરપ્રદેશમાં એક…

વધુ વાંચો >

સિંહ, (ડૉ.) મનમોહન

સિંહ, (ડૉ.) મનમોહન (જ. 26 સપ્ટેમ્બર 1932, ગાહ, પંજાબ (હાલ પાકિસ્તાનમાં); અ. 26 ડિલેમ્બર 2024, નવી દિલ્હી) : વિદ્વાન અધ્યાપક, અર્થશાસ્ત્રી, ભારતમાં આર્થિક ઉદારીકરણની ની પ્રખર પુરસ્કર્તા અને ભારતના પૂર્વ નાણામંત્રી અને વડાપ્રધાન. તેઓ વડાપ્રધાન તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ફરીથી ચૂંટાયા હોય તેવા જવાહરલાલ નહેરુ પછીના પહેલા વડાપ્રધાન…

વધુ વાંચો >