સ્થાપત્યકલા

જુમ્મા મસ્જિદ

જુમ્મા મસ્જિદ : ઇસ્લામના અનુયાયીઓ માટે શુક્રવારે સામૂહિક નમાજ પઢવાનું સ્થળ. ઇસ્લામના ફેલાવા સાથે મુસલમાન વસ્તી વધી, તેવાં સ્થળોએ મુખ્યત્વે મુસલમાન બાદશાહોએ આ મસ્જિદો બંધાવી. આવી જુમ્મા મસ્જિદોમાં અમદાવાદ, દિલ્હી, આગ્રા, દોલતાબાદ, શ્રીનગર, ગુલબર્ગ આદિની મસ્જિદો નોંધપાત્ર છે. અમદાવાદમાં 1424માં જુમ્મા મસ્જિદનું બાંધકામ પૂરું થયું. તેનું બાંધકામ સુલતાન અહમદશાહે કરાવ્યું…

વધુ વાંચો >

જોતો ડી બોન્દોને

જોતો ડી બોન્દોને (Giotto de Boundone) (જ. 1266; અ. 1337) : ઇટાલિયન ચિત્રકાર અને સ્થપતિ. જોતો અને તેમના ગુરુ ચિમાબુઆ (Cimabua) બંને અદ્યતન કલાના અગ્રયાયી ગણાયા છે. ઇટાલોબાઇઝૅન્ટાઇનની ચીલાચાલુ શૈલીમાંથી તેમણે માનવ-આકૃતિને મુક્ત કરી. તેને મહત્તમ શિલ્પમય ઘનતા અને સ્વાભાવિકતા આપી. શ્યોમાં કલ્પના અને અનુભૂતિને પ્રાધાન્ય આપ્યું. ફ્લૉરેન્ટાઇન ચિત્રકળાના તેઓ…

વધુ વાંચો >

જોધાબાઈનો મહેલ (ફતેહપુર સિક્રી)

જોધાબાઈનો મહેલ (ફતેહપુર સિક્રી) : આગ્રાથી 41 કિમી.ના અંતરે આવેલી વિશિષ્ટ ઇમારત. ફતેહપુર સિક્રીની અન્ય ઇમારતો સાથે ભળી જવા છતાં આગવી ભાત પાડે છે. ખાસ તો સ્તંભો અને મોતીના નકશીકામ પર પશ્ચિમ ભારતના મંદિરસ્થાપત્યની અસર જોવા મળે છે. બાદશાહ અકબરે સિક્રીના ઝડપી બાંધકામ માટે ગુજરાતથી પણ કારીગરો બોલાવ્યા હતા. આ…

વધુ વાંચો >

જૉન્સ, ઇનિગો

જૉન્સ, ઇનિગો (જ. 15 જુલાઈ 1573 લંડન; અ. 21 જૂન 1652, લંડન) : અંગ્રેજી રૅનેસાંના તારણહાર સ્થપતિ. તેમનો ફાળો અંગ્રેજી સ્થાપત્યના ઇતિહાસમાં ઘણો જ અગત્યનો છે. તેના મૂળમાં જૉન્સનો ઇટાલિયન સ્થાપત્યનો ઊંડો અભ્યાસ અને શાસ્ત્રીયતાની સૂઝ રહેલાં છે. તે શૅક્સપિયરના લગભગ સમવયસ્ક અને સ્મિથ્સફીલ્ડના એક કાપડની મિલના કામદારના પુત્ર હતા.…

વધુ વાંચો >

જોર બંગલા (વિષ્ણુપુર)

જોર બંગલા (વિષ્ણુપુર) : બંગાળમાં બાંકુરા જિલ્લામાં, વિષ્ણુપુર માટીકામથી બાંધેલાં (terralota) મંદિરોનાં સ્થાપત્ય માટે વિખ્યાત છે. બંગાળનાં ગામડાંનાં ઘરોમાં વપરાતા લાકડાના આધારવાળાં, ઘાસની સાદડીઓથી ઢંકાયેલાં છાપરાં ત્યાંની બાંધકામની પ્રણાલીની વિશેષતા છે. આ આકારને તેટલી જ કુશળતાથી માટીની ઈંટો દ્વારા બંધાયેલાં વિષ્ણુપુરનાં મંદિરોમાં પણ આગવી શૈલી પ્રાપ્ત થયેલી છે. જોર બંગલા…

વધુ વાંચો >

જ્યૉર્જિયન સ્થાપત્ય (અઢારમી સદી  ઉત્તરાર્ધ)

જ્યૉર્જિયન સ્થાપત્ય (અઢારમી સદી  ઉત્તરાર્ધ) : ઇનિગો જૉન્સની હયાતીનાં લગભગ 100 વર્ષ પછી તેમની શૈલી દ્વારા પ્રચલિત પલ્લાડિયોની નવપ્રશિષ્ટતાના ફરીથી ઉદભવેલ સ્વરૂપે જ્યૉર્જિયન સ્થાપત્યશૈલીની શરૂઆત થઈ ગણાય છે. રાજા જ્યૉર્જ 1, 2 અને 3ના સમય(1714–1820)માં પ્રચલિત થવાથી તે જ્યૉર્જિયન શૈલી કહેવાઈ. અંગ્રેજી સ્થાપત્યમાં બારોક શૈલીનો અસ્વીકાર થયો. જ્યૉર્જિયન સ્થાપત્ય વિશાળ…

વધુ વાંચો >

ઝિગુરાત

ઝિગુરાત : પ્રાચીન સુમેર, બૅબિલોનિયા અને ઍસીરિયન સંસ્કૃતિ સાથે સંકળાયેલ વિશિષ્ટ ધાર્મિક સ્થાપત્ય. ‘ઝિગુરાત’નો અર્થ થાય છે પર્વતની ટોચ કે શિખર. સુમેરિયનો પોતાના પર્વતાળ પ્રદેશના વતનને છોડીને ઈ. સ. પૂ. ચોથી સહસ્રાબ્દીના અંતમાં મેસોપોટેમિયાનાં મેદાનોમાં આવ્યા ત્યારે આ પ્રકારનાં ધાર્મિક સ્થળોની જરૂરિયાત ઊભી થઈ. મંદિર-મિનાર (temple-tower)ની રચના પગથીવાળી અને પિરામિડ…

વધુ વાંચો >

ઝૂલતા મિનારા, અમદાવાદ

ઝૂલતા મિનારા, અમદાવાદ : એકને હલાવવાથી બીજા મિનારામાં પણ કંપન થાય એવા અમદાવાદની મસ્જિદોના મિનારા. આવા મિનારા ઈ. સ. 1445માં બનેલી રાજપુર વિસ્તારની બીબીની મસ્જિદમાં તથા ઈ. સ. 1510માં બનેલ સીદી બશીરની મસ્જિદમાં છે. અહમદશાહ બીજાએ પોતાની માતા મખ્દુમ-એ-જહાનની યાદમાં ભૌમિતિક આકારોની ભાતના તળ-દર્શનવાળી બનાવેલી, ગોમતીપુરમાં 4598.7 ચોમી. વિસ્તારમાં પ્રસરેલી…

વધુ વાંચો >

ટાન્ગે, કેન્ઝો

ટાન્ગે, કેન્ઝો (જ. 1913) : જાપાનના પ્રતિભાશાળી સ્થપતિ. જાપાન તેમજ વિશ્વના આધુનિક સ્થાપત્યના તે પ્રણેતા ગણાય છે. શિક્ષણ 1935થી 1938 ટોકિયો યુનિવર્સિટીમાં. તે વખતના વિખ્યાત માએકાવા નામના સ્થપતિ સાથે તેમણે કામ કર્યું. કેન્ઝો ટાન્ગેની શૈલી પણ આથી કાક્રીટ સ્થાપત્યની અસર નીચે ઉદભવેલ. તેમની રચનાઓમાં હિરોશીમાનું સ્મૃતિભવન (1950), ટોકિયો સિટી હૉલ…

વધુ વાંચો >

ટિમ્પનમ

ટિમ્પનમ : પશ્ચિમી સ્થાપત્ય અનુસાર પ્રવેશમંડપનાં નીચાં ઢળતાં છાપરાં કે કમાન પરની ત્રિકોણાકાર કે વૃત્તખંડીય બાંધણી. યુરોપમાં અગિયારમી તથા બારમી સદીમાં ચર્ચની રચનામાં તેનો ઉપયોગ થતો. તેમાં વચમાં મોટી ઈસુની મૂર્તિવાળું લાસ્ટ જજમેન્ટનું શિલ્પ કંડારાતું. મોઝેના સંત પિયેરના તથા ઑટમના સંત લઝારના ચર્ચના ટિમ્પનમ ઉલ્લેખનીય છે. હેમંત વાળા

વધુ વાંચો >