સાહિત્યતત્વ

આકારવાદ

આકારવાદ (formalism) : સાહિત્યકૃતિના આકાર પર ભાર મૂકતી, પહેલા વિશ્વયુદ્ધ પછીની સ્લાવિક દેશોની સાહિત્યમીમાંસામાં સૌપ્રથમ ચાલેલો વાદ. વીસમી સદીની શરૂઆતમાં કળાક્ષેત્રે જે અનેક વાદો જન્મ્યા અને આંદોલનો ચાલ્યાં તેની પાછળ ‘શુદ્ધ’ કળાની શોધ હતી, મુક્ત ‘સર્જકતા’ પ્રતિની ગતિ હતી. આ જાતની કળાપ્રવૃત્તિઓમાં આકારનો ખ્યાલ કેન્દ્રમાં રહ્યો હતો. અંગ્રેજી સંજ્ઞા ‘form’…

વધુ વાંચો >

આદર્શવાદ

આદર્શવાદ (idealism) : અમૂર્ત અને અભિધારણાત્મકને બદલે દૃશ્ય જગતની પાર રહેલ મૂર્ત અને વાસ્તવિકમાં નિસબત ધરાવતો સિદ્ધાંત; વિશ્વસંઘટનમાં પદાર્થો અને ગતિઓને વજૂદ આપતો તેમજ મન સહિતની સર્વ ઘટનાઓને ભૌતિક માધ્યમ સાથે જોડતો ભૌતિકવાદ કે પૂર્વનિશ્ચિત સંપ્રત્યયથી મુક્ત એવી વિગતોને યથાતથા તટસ્થતાથી નિરૂપતો પ્રકૃતિવાદ – આ સર્વથી વિરુદ્ધ આદર્શવાદ એવી માન્યતામાં…

વધુ વાંચો >

આદિમતાવાદ (સાહિત્ય)

આદિમતાવાદ (સાહિત્ય) : માનવચિત્તનું એક વિલક્ષણ પ્રવર્તન. જે સાહિત્યમાં તે પ્રગટ થાય તે સાહિત્યને આદિમતાવાદી સાહિત્ય કહી શકાય. પશ્ચિમમાં તો છેક અઢારમી સદીથી સાહિત્ય અને કલામાં આદિમતાવાદનું નિરૂપણ અને વિચારણા થતાં આવ્યાં છે. જે. જે. રૂસોએ નિસર્ગમાનવની વિભાવના દ્વારા સંસ્કૃતિસર્જિત અનિષ્ટોનો વિરોધ શરૂ કર્યો, એથી એને ‘ફ્રેન્ચ આદિમતાવાદના પિતા’નું બિરુદ…

વધુ વાંચો >

આધુનિકતા-આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ

આધુનિકતા, આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ (તત્ત્વ, કલા, સાહિત્ય અને સમાજ) તત્ત્વજ્ઞાન : આધુનિક (modern) યુગ, આધુનિકતા (modernity) આધુનિકીકરણ (modernisation) નવ્ય સાહિત્યિક અને આધુનિકતાવાદ (modernism) એ બધી વિભાવનાઓને સમજવાનું હવે નવા સંદર્ભમાં એટલા માટે આવશ્યક છે કે તેની સમજણ વગર અનુઆધુનિકતા (post-modernity) કે અનુઆધુનિકતાવાદ(post-modernism)ની વિભાવનાઓને સમજવાનું મુશ્કેલ બને છે. આધુનિકતા અને અનુઆધુનિકતા…

વધુ વાંચો >

કલ્પન અને કલ્પનશ્રેણી

કલ્પન અને કલ્પનશ્રેણી (image and imagery) : સંવેદન કે અનુભૂતિને શબ્દ દ્વારા મૂર્ત રૂપ આપવા પ્રયોજાતી ભાષા. આ બંને પદોના શબ્દાર્થ ઉપરાંત સંકેતાર્થો પણ ઘણા છે. કલ્પન એટલે કેવળ મનોગત ચિત્ર એવું તો નથી જ. સામાન્ય રીતે કલ્પનશ્રેણી એટલે પદાર્થો, કાર્યો, લાગણીઓ, વિચારો, મનોરથો, મન:સ્થિતિઓ તથા ઇન્દ્રિયગમ્ય કે ઇન્દ્રિયાતીત અનુભવો…

વધુ વાંચો >

કલ્પનવાદ

કલ્પનવાદ (imagism) : ઇંગ્લૅન્ડ તથા અમેરિકાના કવિઓના જૂથની મુખ્યત્વે રંગદર્શિતાવાદ સામેની ઝુંબેશ. તેનો પ્રભાવ પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વે 1909થી 1917 સુધી વિશેષ રહ્યો. આ કવિજૂથ ટી. ઈ. હ્યુમની સૌંદર્યલક્ષી વિચારમીમાંસામાંથી પ્રેરણા પામ્યું હતું. જૂથના અગ્રેસર એઝરા પાઉન્ડે એચ.ડી.ના હુલામણા નામે ઓળખાતાં હિલ્ડા ડુલિટલ, રિચાર્ડ એલ્ડિંગ્ટન તથા એફ. એસ. ફ્લિન્ટ સાથે મળીને…

વધુ વાંચો >

કાવ્યન્યાય

કાવ્યન્યાય (poetic justice) : સર્જનાત્મક સાહિત્યમાં સજ્જન અને દુર્જનને તેમનાં કૃત્ય અનુસાર થતી ફળપ્રાપ્તિના નિરૂપણનો સિદ્ધાન્ત. તેનો સૌપ્રથમ પ્રયોગ કર્યો અંગ્રેજ વિવેચક ટોમસ રાઇમરે. તેમનાં ‘ટ્રેજેડિઝ ઑવ્ ધ લાસ્ટ એજ કન્સિડર્ડ’(1678)માં કૃતિના અંતે સજ્જનોનું રક્ષણ અને દુર્જનોના વિનાશની કલ્પના દર્શાવવા માટે અથવા તો વિવિધ પાત્રોના સુકૃત્ય કે દુષ્કૃત્યનો બદલો આપવાનું…

વધુ વાંચો >

કાવ્યપાક

કાવ્યપાક : ભારતીય કાવ્યશાસ્ત્ર અનુસાર કવિએ પ્રયોજેલા શબ્દોને સ્થાને પર્યાયો મૂકતાં કાવ્યનું સૌંદર્ય જળવાય નહિ એવું રચનાકૌશલ. કવિએ પોતાની કાવ્યરચનામાં કરેલા એવા શબ્દોનો પ્રયોગ જેમને સ્થાને તેમના સમાનાર્થી શબ્દો મૂકવાથી કાવ્યનું મૂળ સૌન્દર્ય ખંડિત થાય એવી રચનામાં સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અનુસાર ‘કાવ્યપાક’ સિદ્ધ થયો કહેવાય. પોતાનો ઇષ્ટાર્થ વ્યક્ત કરવા સારુ કવિ…

વધુ વાંચો >

કાવ્યપ્રયોજન

કાવ્યપ્રયોજન : કાવ્ય દ્વારા સર્જક ભાવકને થતી ફલપ્રાપ્તિ. નાટ્યશાસ્ત્રના આદિ સર્જક ભરતમુનિએ કહ્યું છે કે વાચક-પ્રેક્ષકનો મનોવિનોદ એટલે કે આનંદ એ જ કાવ્યસર્જનનું પ્રયોજન છે. નાટ્યશાસ્ત્રના વિખ્યાત વિવેચક અભિનવગુપ્તે પ્રીતિ એ જ રસ છે અને તે જ કાવ્યનો આત્મા છે એમ કહીને પ્રીતિ, રસ તથા આનંદને સમાનાર્થી બનાવી દીધાં છે.…

વધુ વાંચો >

કાવ્યહેતુ

કાવ્યહેતુ : કાવ્યસર્જનના ઉદભવનું કારણ. કવિ થવા માટે યોગ્યતાનો નિશ્ચય કરી સંસ્કૃતના કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યહેતુ બતાવ્યો છે. આ હેતુ તેમના મત અનુસાર પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ એ ત્રણ પાયા પર આધારિત છે. મમ્મટાચાર્યે આ ત્રણેને સ્વતંત્ર હેતુઓ ન ગણતાં ત્રણેયના સમન્વયને એક હેતુ કહ્યો છે. પ્રતિભા પૂર્વજન્મના સંસ્કારોથી આ જન્મમાં મળેલી…

વધુ વાંચો >