સંગીતકલા
બૈજૂ બાવરા
બૈજૂ બાવરા (ઈ. સ. 1500થી 1600 વચ્ચે હયાત, જ. ચાંપાનેર, ગુજરાત) : પ્રસિદ્ધ ગાયક. મૂળ નામ બૈજનાથ મિશ્ર. બાળવયમાં જ પિતાને ગુમાવતાં માતાની છત્રછાયામાં ઊછર્યા. થોડા સમય બાદ માતાએ વૃંદાવનમાં રહેવાનો નિર્ણય કરતાં બૈજૂ પણ તેમની સાથે વૃંદાવન ગયા. ત્યાં તેમનો પરિચય સ્વામી હરિદાસ જોડે થયો. સ્વામીજીએ બૈજૂની આંતરિક પ્રતિભા…
વધુ વાંચો >બૉએમ, થિયોબાલ્ડ
બૉએમ, થિયોબાલ્ડ (જ. 1794, મ્યુનિક, જર્મની; અ. 1881) : જર્મનીના નિષ્ણાત વાંસળીવાદક અને સંશોધક. તેમણે 1828માં મ્યુનિક ખાતે વાંસળી-ઉત્પાદન માટેની ફૅક્ટરીની સ્થાપના કરી. તેમણે ધ્વનિ-નિયમનની ર્દષ્ટિએ પરિપૂર્ણ નીવડે એવી વાંસળી બનાવવાનો નિર્ણય કર્યો. એવી વાંસળી બનાવવા માટે, આંગળીઓ પહોંચી વળી ના શકે એવાં સ્થાનોએ વાંસળી પર છિદ્રો પાડવાં પડે; આ…
વધુ વાંચો >બોરાલ, રાયચંદ
બોરાલ, રાયચંદ (જ. 1903, કલકત્તા; અ. 1981, કલકત્તા) : હિંદી ચલચિત્રોના બંગાળી સંગીતકાર. પિતા લાલચંદ બોરાલ કલકત્તામાં 1927માં સ્થપાયેલી ઇંડિયન બ્રૉડકાસ્ટિંગ કંપનીમાં સંગીત-કાર્યક્રમોના નિર્માતા હતા. તેઓ ધ્રુપદ ગાયનમાં નિપુણ હતા એટલે રાયચંદનું ઘડતર બાળપણથી જ સંગીતના વાતાવરણમાં થયું. યુવાનવયે ન્યૂ થિયેટર્સમાં જોડાયા અને કલકત્તાની આ પ્રતિષ્ઠિત નિર્માણસંસ્થાનો પર્યાય બની રહ્યા.…
વધુ વાંચો >ભટ્ટ, પરેશ
ભટ્ટ, પરેશ (જ. જૂન 1950, જાંબાળા, જિ. જૂનાગઢ; અ. 14 જુલાઈ 1983, રાજકોટ) : ગુજરાતી સુગમ સંગીતના સમર્થ ગાયક, સ્વરકાર અને નિર્દેશક. પિતાનું નામ ચૂનીલાલ, જેઓ શિક્ષણાધિકારી તરીકે નિવૃત્ત થયા. માતાનું નામ કમલાબહેન, પત્નીનું નામ નીતાબહેન. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં. બાળમંદિરમાં ભણતા ત્યારે વિશ્વનાથ વ્યાસ પાસેથી ગીતો ગાવાનું શીખ્યા. આકાશવાણી રાજકોટના…
વધુ વાંચો >ભટ્ટ, બળવંતરાય ગુલાબરાય
ભટ્ટ, બળવંતરાય ગુલાબરાય (જ. 23 સપ્ટેમ્બર 1921, ભાવનગર) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગુજરાતી કલાકાર. તેમનું ઉપનામ ‘ભાવરંગ’. મુંબઈની ‘ધ વિક્ટૉરિયા મ્યૂઝિકલ સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડ’માં શાળાંત પ્રમાણપત્ર સુધીનો અભ્યાસ (1941). સૂરતના ‘શ્રી સંગીત નિકેતન’માં સંગીતનો ડૉક્ટર ઇન મ્યૂઝિક (D.MUS) કક્ષાનો અભ્યાસક્રમ પૂરો કરી ‘સંગીતાચાર્ય’ની પદવી મેળવી (1950). તેમણે શાસ્ત્રીય સંગીતની…
વધુ વાંચો >ભટ્ટ (પં.), ભોલાનાથ
ભટ્ટ (પં.), ભોલાનાથ (જ. 1894, દરભંગા; અ. 16 મે 1970, અલાહાબાદ) : હિંદુસ્તાની સંગીતના જાણીતા ગાયક કલાકાર. પિતાનું નામ મુનશીલાલ પોતે એક સારા ગાયક હતા. તેમના દાદા સાધો ભટ્ટ દરભંગાના મહારાજાના દરબારી ગાયક હતા. ભોલાનાથની સંગીતની પ્રાથમિક તાલીમ પિતા પાસે થઈ. તેઓ 19 વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું. ત્યારબાદ…
વધુ વાંચો >ભટ્ટ, વિશ્વમોહન
ભટ્ટ, વિશ્વમોહન (જ. 1951, જયપુર) : વિખ્યાત ગિટારવાદક અને ગ્રૅમી ઍવૉર્ડ વિજેતા સંગીતકાર. સંગીતનો વારસો ધરાવતા પરિવારમાં જન્મ. પિતા મનમોહન અને માતા ચંદ્રકલા બંનેને શાસ્ત્રીય સંગીતમાં સક્રિય રસ હોવાથી વિશ્વમોહનને બાળપણથી જ સંગીત પ્રત્યે માતા-પિતા પાસેથી પ્રેરણા મળતી રહી. તેઓ માત્ર નવ વર્ષના હતા ત્યારે તેમના પિતાને મળવા એક જર્મન…
વધુ વાંચો >ભટ્ટ, શશિમોહન
ભટ્ટ, શશિમોહન (જ. 16 જાન્યુઆરી 1930, જયપુર; અ. 15 જુલાઈ 1997, જયપુર) : ભારતના વિખ્યાત સિતારવાદક. પિતા મનમોહન ભટ્ટ સરકારી નોકરીમાં હતા અને શોખ ખાતર જયપુરમાં શાસ્ત્રીય સંગીતના વર્ગો ચલાવતા હતા તથા માતા ચંદ્રકલા ભટ્ટ રાજસ્થાન યુનિવર્સિટીનાં સ્નાતક હોવા ઉપરાંત કંઠ્યસંગીતનાં પ્રોફેસર હતાં. શશિમોહનનું સમગ્ર શિક્ષણ જયપુરમાં થયેલું. માતાપિતા પાસેથી…
વધુ વાંચો >ભટ્ટ, હરિભાઈ મણિશંકર
ભટ્ટ, હરિભાઈ મણિશંકર : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક, સંગીતકાર અને નાટ્યસંસ્થાના માલિક. તેમના પિતાની શ્રી પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપની(1906–1938)માં નાટ્યકળાની જાણકારી મેળવી. 1936માં પિતાની સંસ્થામાં વ્યવસ્થાપકની જવાબદારી સંભાળી. એમના લખેલા ‘મર્દ મુસ્લિમ યાને ગરીબના પૂજારી’ નાટકમાં તેમણે 1937માં સંગીત અને દિગ્દર્શનની જવાબદારી ઉપાડી લીધી. અભિનયક્ષેત્રે 1937માં ‘દેવી દેવયાની’…
વધુ વાંચો >ભટ્ટ, હેમુભાઈ મણિશંકર
ભટ્ટ, હેમુભાઈ મણિશંકર : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના નાટ્યકાર, સંગીતકાર, દિગ્દર્શક અને અભિનેતા. એેમના પિતાજીની શ્રી પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપની (1906–1938)માં અભિનય, સંગીત, દિગ્દર્શન અને નાટ્યલેખનની સર્વાંગીણ જાણકારી મેળવી. 1932માં મણિલાલ ‘પાગલ’ના ‘ઘરજમાઈ’ નાટકથી અભિનયની શરૂઆત કરી. પાલિતાણા કંપનીમાં 1934માં ‘નારીનાં વેર’, 1935માં ‘રાજરમત યાને ઈશ્વરી ન્યાય’, 1936માં ‘મર્દની મહત્તા…
વધુ વાંચો >