શિક્ષણ

શાહ, મધુરીબહેન

શાહ, મધુરીબહેન (જ. 13 ડિસેમ્બર 1919, રાણપુર, સૌરાષ્ટ્ર; અ. 29 જૂન 1989) : કેળવણીકાર અને શિક્ષણના વહીવટદાર. જૈન ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ. પિતા છોટાલાલ કોઠારી અને માતા સમતાબહેન કોઠારી. શાળાના ઔપચારિક શિક્ષણ પૂર્વે મધુરીબહેનને એક પારસી શિક્ષિકા પાસેથી ઘરમાં જ અનૌપચારિક શિક્ષણ મળેલું. શાલેય શિક્ષણ મુંબઈની ઍલેક્ઝાન્ડ્રા ઇંગ્લિશ સ્કૂલમાં લીધું. વિદ્યાર્થિની…

વધુ વાંચો >

શાળા – એક શિક્ષકવાળી

શાળા – એક શિક્ષકવાળી : એવી શાળા જેમાં એક શિક્ષકને એક કરતાં વધારે ધોરણો એક જ ખંડમાં એકસાથે ભણાવવાં પડતાં હોય. ભારત નાનાં ગામડાંઓનો બનેલો દેશ છે. દરેક ગામમાં પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરવી તે બંધારણીય ફરજ છે. 1થી 7 ધોરણની સાત (7) શિક્ષકવાળી અને ઓછામાં ઓછી સાત ખંડોવાળી શાળા એ…

વધુ વાંચો >

શાંતિનિકેતન

શાંતિનિકેતન  : ગુરુદેવ રવીન્દ્રનાથના નામનો પર્યાય બની ગયેલી શિક્ષણસંસ્થા. આ સંસ્થા કોલકાતાથી પશ્ચિમે લગભગ દોઢસો કિલોમીટર દૂર વેરાન ગણાતા વીરભૂમ જિલ્લામાં આવેલી છે. ખરેખર તો શાંતિનિકેતન નામના આ આશ્રમની સ્થાપના રવીન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરે ઈ. સ. 1863માં કરી હતી, જ્યારે રવીન્દ્ર ત્રણેક વર્ષના હતા. આ આશ્રમ એ વખતે ચોર-લૂંટારુઓના…

વધુ વાંચો >

શિક્ષણ

શિક્ષણ વ્યક્તિમાં રહેલી શક્તિઓને ઉપસાવતી અને કેળવતી પ્રક્રિયા. આ શૈક્ષણિક પ્રક્રિયાના ત્રણ  પ્રકારો પાડવામાં આવ્યા છે : (1) સહજ શિક્ષણ કે અનૌપચારિક શિક્ષણ (informal education), (2) શાલેય શિક્ષણ કે ઔપચારિક શિક્ષણ (formal education) અને (3) બિનશાલેય શિક્ષણ કે  બિનઔપચારિક શિક્ષણ (nonformal education). વ્યક્તિના શિક્ષણની જે પ્રક્રિયા તેના જન્મથી મૃત્યુપર્યંત અભાનપણે…

વધુ વાંચો >

શુક્લ, નંદુભાઈ દામોદર

શુક્લ, નંદુભાઈ દામોદર (જ. 18 માર્ચ 1903, શહેરા, જિ. પંચમહાલ; અ. 22 મે 1990, અમદાવાદ) : ઉત્તમ શિક્ષક અને કેળવણીકાર, રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકના વિજેતા. તેઓ વીસમી સદીના જાગ્રત, બહુશ્રુત, વિદ્યા અને વિદ્યાર્થીનિષ્ઠ શિક્ષક-આચાર્ય હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ શહેરા (1910-1911), વેજલપુર (1914-1916), દાહોદ (1917) અને ગોધરા(1917)માં તથા સન 1918થી માધ્યમિક…

વધુ વાંચો >

શેઠ, ઇન્દુમતી ચીમનલાલ

શેઠ, ઇન્દુમતી ચીમનલાલ (જ. 28 નવેમ્બર 1906, અમદાવાદ; અ. 11 માર્ચ 1985, અમદાવાદ) : અગ્રણી ગાંધીવાદી રચનાત્મક કાર્યકર, સમાજસેવિકા અને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણપ્રધાન. શિક્ષણપ્રેમી, દાનવીર પરિવારમાં જન્મ. પિતાનું નામ ચીમનલાલ નગીનદાસ. માતાનું નામ માણેકબા. માતા-પિતાની ધર્મપરાયણતા તથા વિદ્યાવ્યાસંગના ગુણો તેમનામાં ભારોભાર ઊતર્યા હતા. તેઓ જાણીતા ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈના પિતરાઈ…

વધુ વાંચો >

શેઠ ચીમનલાલ નગીનદાસ કલા મહાવિદ્યાલય (શેઠ સી. એન. કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ)

શેઠ ચીમનલાલ નગીનદાસ કલા મહાવિદ્યાલય (શેઠ સી. એન. કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ) : અમદાવાદમાં ચિત્ર, શિલ્પ અને કલાશિક્ષકોને તાલીમ આપતી કલાશાળા. ચીમનલાલ શેઠે 1912માં છાત્રાલયની સ્થાપના કરેલી. ત્યારપછી 1926માં શાળાની સ્થાપનાથી શરૂઆત કરીને સંસ્થાએ માનવજીવનને ઉપયોગી એવા શૈક્ષણિક, ભાવાત્મક, વ્યવહારુ અને કલાવિષયક અભ્યાસક્રમોનો વિકાસ કરવાનું ચાલુ રાખેલું. હાલ વિદ્યાલય (હાઈસ્કૂલ),…

વધુ વાંચો >

શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિદ્યાપીઠ

શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિદ્યાપીઠ : 19મી સદીમાં સ્ત્રીજીવન-સુધારાના હિમાયતી ‘ભારતરત્ન’ મહર્ષિ ધોંડો કેશવ કર્વે દ્વારા સ્થાપિત વિદ્યાપીઠ. કર્વેના માટે સ્ત્રીઓને શિક્ષણ આપવાની પ્રવૃત્તિ એક અગત્યનું સેવાકાર્ય હતું. તેઓ સ્ત્રીશિક્ષણ-પ્રવૃત્તિને ‘દેશકાર્ય’, ‘ધર્મકાર્ય’ માનતા હતા. ઈ. સ. 1896માં પૂના નજીકના હિંગણેમાં પ્રો. કર્વેએ વિધવા અને અસહાય સ્ત્રીઓ માટે હિન્દુ વિડોઝ…

વધુ વાંચો >

શ્રીમતી માણેકબા વ્યાયામ વિદ્યાભવન, અડાલજ

શ્રીમતી માણેકબા વ્યાયામ વિદ્યાભવન, અડાલજ : મહિલાઓને શારીરિક શિક્ષણ આપતી ગુજરાતની એક મહત્વની સંસ્થા. અમદાવાદની ખ્યાતનામ શેઠ ચી. ન. વિદ્યાવિહાર સંકુલના પગલે પગલે પૂર્વ શિક્ષણમંત્રી સ્વ. શ્રીમતી ઇન્દુમતીબહેન શેઠના પ્રયત્નોથી ઈ. સ. 1959માં અમદાવાદથી 22 કિમી. દૂર અમદાવાદ-મહેસાણાના રાજમાર્ગ પર આવેલા અડાલજ મુકામે ગ્રામજનો તથા રાજ્ય સરકારના સહયોગથી બહેનોના શિક્ષણ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >