શિક્ષણ

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બ્યુસાં, ફર્દિનાંદ ઍદવાર

બ્યુસાં, ફર્દિનાંદ ઍદવાર (જ. 20 ડિસેમ્બર 1841, પૅરિસ; અ. 16 ફેબ્રુઆરી 1932, થીલૉય સેન્ટ ઍન્ટૉની, ફ્રાન્સ) : ફ્રાન્સના કેળવણીકાર રાજદ્વારી નેતા તથા 1927ના નોબેલ શાંતિ પુરસ્કારના સહવિજેતા. નેપોલિયન ત્રીજાના સામ્રાજ્ય પ્રત્યે વફાદારીના સોગંદ લેવાની ના પાડતાં તેમને દેશવટો ભોગવવો પડ્યો હતો. 1866–70ના ગાળામાં સ્વિટ્ઝર્લૅન્ડમાં દર્શનશાસ્ત્રનું અધ્યાપન કર્યું અને ફ્રાન્સમાં નેપોલિયન…

વધુ વાંચો >

બ્લો, સુસાન એલિઝાબેથ

બ્લો, સુસાન એલિઝાબેથ (જ. 1843, સેંટ લૂઈ, મિસૂરી; અ. 1916) : અમેરિકાનાં શિક્ષણકાર. નાનપણથી જ તેઓ ધાર્મિક સંસ્કારોથી રંગાયેલાં હતાં. પ્રારંભથી તેમને જર્મન આદર્શવાદીઓની વિચારસરણી તથા પ્રવૃત્તિમાં ખૂબ રસ પડ્યો હતો. ફ્રેડરિક ફ્રૉબલની કૃતિઓ વાંચ્યા પછી 1873માં તેમણે સેંટ લૂઈમાં અમેરિકાની સર્વપ્રથમ સાર્વજનિક કિંડરગાર્ટન શાળાનો આરંભ કર્યો. 1874માં કિંડરગાર્ટન પદ્ધતિના…

વધુ વાંચો >

ભટ્ટ, કરુણાશંકર કુબેરજી

ભટ્ટ, કરુણાશંકર કુબેરજી (જ. 22 ઑગસ્ટ 1873, સારસા; અ. 2 ઑક્ટોબર 1943, મુંબઈ) : ગુજરાતના ઉત્તમ કોટિના શિક્ષક અને રોજનીશીલેખક. સાહિત્ય અને સંસ્કારના વત્સલવાહક કરુણાશંકર ભટ્ટે પોતાના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓનાં પણ જીવન સંસ્કાર્યાં હતાં. 22 વર્ષની વયે પિતા કુબેરજીનું અવસાન. વિદ્યાપ્રેમી માતા દિવાળીબા અને મામા કેશવરામ દ્વારા કરુણાશંકરનું ઘડતર.…

વધુ વાંચો >

ભટ્ટ, ચંદ્રભાઈ કાલિદાસ

ભટ્ટ, ચંદ્રભાઈ કાલિદાસ (જ. 1904, સિસોદરા, જિ. ભરૂચ; અ. 11 નવેમ્બર 1988, મુંબઈ) : ઇતિહાસકાર, જીવનચરિત્ર-લેખક, નવલકથાકાર, શિક્ષક. તેમણે માધ્યમિક શિક્ષણ રાજપીપળામાં લીધું. 1929માં વડોદરાની કૉલેજમાંથી દર્શનશાસ્ત્રના સ્નાતક થયા. તેમના ઉપર રાજા રામમોહન રાય, કાર્લ માર્ક્સ, મહાત્મા ગાંધી વગેરેના વિચારોનો પ્રભાવ પડ્યો હતો. ભારતીય સામ્યવાદી પક્ષના વીસ વર્ષ સુધી સક્રિય…

વધુ વાંચો >

ભટ્ટ, નાનાભાઈ (નૃસિંહપ્રસાદ) કાલિદાસ

ભટ્ટ, નાનાભાઈ (નૃસિંહપ્રસાદ) કાલિદાસ (જ. 11 નવેમ્બર 1882, બરવાળા; અ. 31 ડિસેમ્બર 1961, સણોસરા) : પ્રયોગશીલ સમર્થ કેળવણીકાર અને સાહિત્યકાર. ભાવનગરમાંથી 1903માં મુંબઈ યુનિવર્સિટીના વેદાંત અને અંગ્રેજી સાથે બી.એ. અને 1907માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર સાથે એમ.એ. થયા. પછી એસ. ટી. સી. થયા. થોડો સમય ઇતિહાસ-અર્થશાસ્ત્રના અધ્યાપક. પછી ભાવનગર, આંબલા અને સણોસરાની શિક્ષણ-સંસ્થાઓની…

વધુ વાંચો >

ભટ્ટ, માનશંકર નરભેશંકર

ભટ્ટ, માનશંકર નરભેશંકર (જ. 28 ઑગસ્ટ 1908, ભાવનગર; અ. 2 જાન્યુઆરી 2002, વડોદરા) : માનવસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરનાર, કુશળ વહીવટકર્તા અને સમાજોપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રણેતા. એમના પિતા નરભેશંકર ભાવનગર રાજ્યમાં ફોજદાર હતા. માતા માણેકબહેનનું તેઓ નાના હતા ત્યારે અવસાન થતાં દાદા અંબાશંકરભાઈ પાસે ઊછર્યા. આઠ વર્ષની ઉંમરે ગૃહવ્યવસ્થા અને રસોઈમાં…

વધુ વાંચો >

ભટ્ટ, મૂળશંકર મોહનલાલ

ભટ્ટ, મૂળશંકર મોહનલાલ (જ. 25 જૂન 1907, ભાવનગર; અ. 31 ઑક્ટોબર 1984, ભાવનગર) : ગુજરાતના કેળવણીકાર અને બાલ-કિશોર-સાહિત્યના લેખક. પિતાનું નામ મોહનલાલ શંકરલાલ ભટ્ટ. માતાનું નામ રેવાબહેન. રોજકા(ધંધૂકા)ના વતની. 1929માં હંસાબહેન સાથે લગ્ન. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વતન તથા ‘દક્ષિણામૂર્તિ’ – ભાવનગરમાં લીધેલું. 1920માં વિનીત. 1927માં મુખ્ય વિષય સંગીત અને…

વધુ વાંચો >

ભટ્ટ, સંતપ્રસાદ રણછોડદાસ

ભટ્ટ, સંતપ્રસાદ રણછોડદાસ (જ. 24 ફેબ્રુઆરી 1916, સૂરત; અ. 24 મે 1984, અમદાવાદ) : ગુજરાતના અંગ્રેજી ભાષાના જાણીતા પ્રાધ્યાપક, વિદ્વાન, જોશીલા વક્તા, નીડર રાજકારણી અને લેખક. પિતા રણછોડદાસ અને માતા વિજયાગૌરી બંને શિક્ષણના વ્યવસાયમાં હતાં એથી એમને શિક્ષણ તો વારસામાં જ પ્રાપ્ત થયું હતું. વ્યવસાયી માતા-પિતાનું એકનું એક સંતાન એથી…

વધુ વાંચો >

ભાવનગર યુનિવર્સિટી

ભાવનગર યુનિવર્સિટી : ભાવનગર જિલ્લાના ભૌગોલિક વિસ્તાર માટે સ્થપાયેલી યુનિવર્સિટી. સૌરાષ્ટ્રમાં ઉચ્ચશિક્ષણનો આરંભ 1885માં ભાવનગરમાં શામળદાસ કૉલેજની સ્થાપનાથી થયો હતો. મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન શામળદાસ કૉલેજ શરૂ થઈ ત્યારે ગુજરાતમાં માત્ર બે જ કૉલેજ હતી : અમદાવાદમાં ગુજરાત કૉલેજ અને વડોદરામાં બરોડા કૉલેજ. સૌરાષ્ટ્રમાં શામળદાસ કૉલેજની સ્થાપનાથી ઉચ્ચ અભ્યાસાર્થે સૌરાષ્ટ્ર…

વધુ વાંચો >