વૈદ્ય બળદેવપ્રસાદ પનારા

શોથ

શોથ : વિવિધ કારણસર અંગ ઉપર ઉભાર પેદા કરતો સોજાનો રોગ. શોથ કે સોજા (અં. Anasarca edema dropsy કે swelling)નો રોગ થવાનાં કારણો (આયુર્વેદવિજ્ઞાન મુજબ) – વમન, વિરેચનાદિ શોધનમાં ખામી, જ્વર (તાવ) જેવા રોગ તથા ઉપવાસથી કૃશ અને દુર્બળ થયેલી વ્યક્તિ જો ખાટા, ખારા, તીખા, ગરમ તથા જડ પદાર્થોનું સેવન…

વધુ વાંચો >

શ્વાસકાસચિંતામણિરસ

શ્વાસકાસચિંતામણિરસ : આયુર્વેદિક ઔષધ. નિર્માણવિધિ : શુદ્ધ પારદ 1 ભાગ, સુવર્ણમાક્ષિક 1 ભાગ, સુવર્ણભસ્મ 1 ભાગ, મોતીભસ્મ ભાગ, શુદ્ધ ગંધક 2 ભાગ, અભ્રકભસ્મ 2 ભાગ અને લોહભસ્મ 4 ભાગ લેવામાં આવે છે. ભાવના : ભોરિંગણીનો સ્વરસ, બકરીનું દૂધ, યદૃષ્ટિ મધુનો ક્વાથ અને નાગરવેલનાં પાનના રસની વારાફરતી 77 ભાવનાઓ દેવાય છે.…

વધુ વાંચો >

શ્વાસકુઠારરસ (આયુર્વેદિક ઔષધિ)

શ્વાસકુઠારરસ (આયુર્વેદિક ઔષધિ) : નિર્માણવિધિ : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, ટંકણખાર અને મન:શિલ 10-10 ગ્રામ, કાળાં મરી 80 ગ્રામ લેવામાં આવે છે. પ્રથમ ખરલમાં પારો અને ગંધક એકત્ર કરી ઘૂંટીને તેની કજ્જલી બનાવી લેવાય છે. પછી તેમાં વછનાગ, ટંકણખાર અને મરી વારાફરતી મેળવતાં જઈ ઘૂંટવામાં આવે છે. પછી…

વધુ વાંચો >

ષડ્ધરણ યોગ (ચૂર્ણ-કલ્પ)

ષડ્ધરણ યોગ (ચૂર્ણ–કલ્પ) : વાતવ્યાધિની ચિકિત્સા માટેનો ઔષધપ્રયોગ. આયુર્વેદના બૃહતત્ર કે વૃદ્ધત્રયી ગ્રંથોમાં ગણાતા મહર્ષિ વાગ્ભટ્ટ કૃત ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના ‘ચિકિત્સાસ્થાન’ના 21મા અધ્યાયમાં શરીરના દોષરૂપ ત્રણ મુખ્ય દોષો  વાત, પિત્ત અને કફમાંના પ્રથમ ‘વાતદોષ’ કે ‘વાયુના રોગોની આયુર્વેદિક ચિકિત્સા’નું એક ખાસ પ્રકરણ છે. ગ્રંથકારે વાયુદોષની ચિકિત્સામાં સીધા જ ઔષધિપ્રયોગો ન બતાવતાં,…

વધુ વાંચો >

ષષ્ઠી ઉપક્રમ

ષષ્ઠી ઉપક્રમ : વ્રણ-ચિકિત્સાની વિધિઓમાં વ્રણ રૂઝાવનાર પદ્ધતિ. આયુર્વેદની બે મુખ્ય ચિકિત્સા-શાખાઓ : (1) ઔષધિ – Medicine અને (2) શલ્ય-શાલાક્ય (શસ્ત્રક્રિયા – Surgery) છે. તેમાં વર્તમાન સમયે પણ વૃદ્ધત્રયી ગ્રંથોમાં જેની ગણના થાય છે, તે ‘સુશ્રુત-સંહિતા’ આયુર્વેદની સર્જરીનો ઉપલબ્ધ સૌથી શ્રેષ્ઠ ચિકિત્સા-ગ્રંથ છે. વર્તમાન જગતની અત્યાધુનિક સર્જરીના નિષ્ણાતો પણ હજારો…

વધુ વાંચો >

સમીર પન્નગ રસ-કલ્પ

સમીર પન્નગ રસ–કલ્પ : આયુર્વેદિક રસૌષધિ. આયુર્વેદમાં રસ-કલ્પના અંતર્ગત વિવિધ ખનિજ ધાતુઓ અને કાષ્ઠાદિ ઔષધિઓના યોગથી બનતી રસૌષધિ ‘સમીર પન્નગ રસ’ વૈદ્યોમાં બહુ વપરાય છે. ‘રસતંત્રસાર’ અને ‘સિદ્ધપ્રયોગ સંગ્રહ ખંડ 1’માં તેનો પાઠ આ પ્રમાણે આપેલ છે : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ સોમલ, શુદ્ધ મન:શિલ અને શુદ્ધ હરતાલ 100/100…

વધુ વાંચો >

સમુદ્રશોષ (વરધારો)

સમુદ્રશોષ (વરધારો) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Argyreia nervosa (Barm. f.) Bojer syn. A. speciosa Sweet (સં. સમુદ્રશોષ, મ. સમુદ્રશોક, બં. બિરતારક, હિં. સમંદર-કાપાત, ક. અને તે. ચંદ્રપાડા, ત. સમુદ્રીરાપાકૃચાઈ, અં. એલિફંટ ક્રીપર, વૂલી મોર્નિંગ-ગ્લોરી) છે. તે એક કાષ્ઠમય આરોહી વનસ્પતિ છે અને સમગ્ર…

વધુ વાંચો >

સાલમ

સાલમ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા ઑર્કિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Orchis latifolia Linn. (સં. મુંજાતક, સુધામૂલી, સાલીમ કંદ; હિં. સાલમ, સાલમ પંજા, સાલમમિશ્રી; અં. સાલેપ) છે. સાલમ તરીકે ઓળખાવાતી ઑર્કિડેસી અન્ય વનસ્પતિઓમાં O. laxiflora (લસણિયો સાલમ), O. muscula (બાદશાહી સાલમ) અને Eulophia campestris(લાહોરી સાલમ)નો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >

સાલવણ (શાલપર્ણી, સમેરવો)

સાલવણ (શાલપર્ણી, સમેરવો) : દ્વિદળી વર્ગમાં આવેલા લેગ્યુમિનોઝી (ફેબેસી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Desmodium gangeticum DC. (સં. શાલપર્ણી, ત્રિપર્ણી; હિં. સરિવન, શાલપર્ણી; મ. સાલવણ, રાનગાંજા; બં. સાલપાની; તે. ગીતાનારામ; ત. પુલ્લડી; મલ. પુલ્લાટી) છે. તેની ઊભી (D. gangeti cum) અને બેઠી (D. diffusum) – એવી બે જાત થાય…

વધુ વાંચો >

સિંકોના

સિંકોના દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિ સદાહરિત ક્ષુપ અને વૃક્ષ-જાતિઓની બનેલી છે; જેમનું વિતરણ ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે અને ભારત, ઇંડોનેશિયા, શ્રીલંકા અને આફ્રિકામાં છાલ માટે ઉગાડવામાં આવે છે. છાલ ક્વિનીન અને અન્ય પ્રતિમલેરીય ઔષધોનો સ્રોત છે. લગભગ 7 જાતિઓ અને તેમના સંકરોનો વ્યાપારિક વાવેતર માટે…

વધુ વાંચો >