મૈથિલી સાહિત્ય

લખિમા રાણી

લખિમા રાણી (1960) : કેદારનાથ લાભ દ્વારા મૈથિલી ભાષામાં રચાયેલું ખંડકાવ્ય. આ ખંડકાવ્ય 5 પર્વમાં વિભાજિત છે અને શરૂથી અંત સુધી મુક્ત કાવ્યશૈલીમાં રચવામાં આવ્યું છે. કૃતિના નામ પરથી ફલિત થાય છે કે કવિએ રાજા શિવસંગની પટરાણી લખિમાના જીવનનું ચિત્રાંકન કરવામાં પુષ્કળ કાળજી લીધી છે. લખિમા જ્ઞાનનો સાગર અને મહાન…

વધુ વાંચો >

વટગમની (ગીતપ્રકાર)

વટગમની (ગીતપ્રકાર) : મૈથિલી લોકગીતોનો એક પ્રકાર, જેનો અર્થ છે વાટ (પંથ) પર ગમન કરતી વખતે ગવાતાં ગીતો. મિથિલા વિસ્તારમાં મેળા અને ઉત્સવોના અવસર પર ગ્રામીણ સ્ત્રીઓનો સમુદાય એને ખૂબ આનંદ ઉમંગથી ગાતો હોય છે. વર્ષાઋતુમાં બગીચાઓમાં હીંચકાઓ પર બેસીને ઝૂલતાં ઝૂલતાં પણ વટગમની ગવાતી જેને સાંભળવા રસિક શ્રોતાઓની ભીડ…

વધુ વાંચો >

વર્મા, શેફાલિકા (શ્રીમતી)

વર્મા, શેફાલિકા (શ્રીમતી) (જ. 9 ઑગસ્ટ 1943, બારગાંવ, જિ. સહારા, બિહાર) : મૈથિલી લેખિકા. તેમણે 1981માં ભાગલપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને 1987માં પટણા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી હતી. એ. એન. કૉલેજ, પટણામાં હિંદીનાં રીડર તરીકે તેમણે કામ કર્યું છે. 1993-97 દરમિયાન સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના મૈથિલી માટેના સલાહકાર બૉર્ડનાં તેઓ…

વધુ વાંચો >

સાકેતાનંદ (એસ. એન. સિંઘ)

સાકેતાનંદ (એસ. એન. સિંઘ) (જ. 27 ફેબ્રુઆરી 1940, દરભંગા, બિહાર) : મૈથિલી ભાષાના લેખક. તેઓ મગધ યુનિવર્સિટી, બોધ-ગયામાંથી બી.એ. થયા પછી તેમણે સરકારી નોકરીમાં કારકિર્દીનો આરંભ કર્યો. 1962થી તેઓ પટના અને દરભંગા કેન્દ્રો ખાતે આકાશવાણીના કાર્યક્રમો સાથે સંકળાયેલા રહ્યા. 2002માં તેઓ આકાશવાણીના હઝારીબાગ કેન્દ્ર સાથે સંકળાયેલા હતા. તેઓ ફોટોગ્રાફીમાં અધિક…

વધુ વાંચો >

સીતાયન (1974)

સીતાયન (1974) : મૈથિલી કવિ વૈદ્યનાથ મલિક ‘વિધુ’(જ. 1912)- રચિત મહાકાવ્ય. આ કૃતિમાં 7 સર્ગો છે અને દરેકમાં 7 પેટાસર્ગો છે. આથી કવિએ તેને ‘પ્રથમ સપ્તસર્ગી સુમન’ તરીકે ઓળખાવ્યું છે. પ્રથમ સર્ગમાં તેમણે મિથિલાનું તેમજ વર્ષની તમામ ઋતુઓ દરમિયાનના તેના અદભુત સૌંદર્યનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે; સાથોસાથ મિથિલાની સામાજિક રૂઢિઓ…

વધુ વાંચો >

સોમદેવ

સોમદેવ [જ. 1934, જયંતીપુર (બેનીપુર), જિ. દરભંગા, બિહાર] : મૈથિલી લેખક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સહસમુખી ચૌક પર’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી છે. તેઓ મૈથિલી ઉપરાંત બંગાળી, નેપાળી, અંગ્રેજી અને ભોજપુરી ભાષાઓનું જ્ઞાન ધરાવે છે. તેઓ મિથિલા વિશ્વવિદ્યાલય, દરભંગામાંથી હિંદીના ઉપાચાર્યપદેથી…

વધુ વાંચો >